અજેય પંજશીરનું પતન - આ પાંચ કારણે કરવો પડ્યો હારનો સામનો
નોર્થન એલાયન્સના તાબાનો અંતિમ વિસ્તાર પંજશીરમાં હાર એટલે અફઘાનિસ્તાનમાં નવા શાસનનો ઉદય. તાલિબાને સોમવારના રોજ દાવો કર્યો હતો કે, પંજશીરની જીત મેળવી છે. પંજશીરની હારના મુખ્ય પાંચ કારણો છે.
નોર્થન એલાયન્સના તાબાનો અંતિમ વિસ્તાર પંજશીરમાં હાર એટલે અફઘાનિસ્તાનમાં નવા શાસનનો ઉદય. તાલિબાને સોમવારના રોજ દાવો કર્યો હતો કે, પંજશીરની જીત મેળવી છે. પંજશીરની હારના મુખ્ય પાંચ કારણો છે.
પ્રથમ - તાલિબાન દ્વારા ઉપયોગમાં લેવાતી નવી વ્યૂહરચના
1990ના દાયકાથી વિપરીત જ્યારે નોર્થન એલાયન્સ તાજિકિસ્તાનથી પંજશીર ખીણ સુધીની સપ્લાય લાઇનને નિયંત્રિત કરવામાં સક્ષમ રહ્યું હતું, આ વખતે તાલિબાનેપંજશીરની ઉત્તરે આવેલા પ્રાંતોને કબ્જે કર્યા હતા. જે કારણે તેમને ખીણને ઘેરી શક્યા અને પ્રતિકાર માટે હથિયારો, દારૂગોળો, લડવૈયાઓ, ખોરાક અને ઇંધણની સપ્લાયલાઇનને અસરકારક રીતે તોડી શક્યા હતા.
બીજું - પાકિસ્તાને તાલિબાનને હથિયારો, દારૂગોળો સાથે મદદ કરી હતી.
અહેવાલો સૂચવે છે કે, નોર્થન એલાયન્સને હરાવવા માટે પાકિસ્તાને એર ફોર્સ પણ મોકલી હતી. પાકિસ્તાન એર ફોર્સની મદદ એક ગેમ ચેન્જર સાબિત થયું હતું, જેણેતાલિબાન અને નોર્થન એલાયન્સ વચ્ચે અસમપ્રમાણતા ઉંભી કરી અને છેવટે તાલિબાનનું પલડું ભારે કરી આપ્યું. કાબુલમાં ISI ચીફની હાજરી પાકિસ્તાને ભજવેલીચાવીરૂપ ભૂમિકાનો સંકેત આપી રહી છે. ઈરાને પાકિસ્તાની સૈન્યની અફઘાન બાબતોમાં "વિદેશી હસ્તક્ષેપ" માટે આકરી ટીકા કરી છે.
ત્રીજું - યુએસ અને તેના સાથીઓએ નોર્થન એલાયન્સનો સાથ સંપૂર્ણપણે છોડી દીધો.
અહમદ શાહ મસૌદ, સુપ્રસિદ્ધ "લાયન ઓફ પંજશીર" અને પ્રતિકારના યુવા નેતા અહમદ મસૌદના પિતા, તાલિબાન વિરોધી દળોના કમાન્ડર હતા, ત્યારે આંતરરાષ્ટ્રીયસમુદાયમા રહેલા ઘણાએ પેરામીટર અને સાધન સંરજામ સાથે નોર્થન એલાયન્સને મદદ કરી હતી. અહમદ શાહ મસૌદની 20 વર્ષ પહેલા અલ કાયદા દ્વારા હત્યાકરવામાં આવી હતી.
આ હત્યા 9/11 હુમલાના માત્ર બે દિવસ પહેલા જ કરવામાં આવી હતી. 9/11 હુમલાને કારણે સમગ્ર વિશ્વ હચમચી ગયું અને આતંકવાદ સામેયુએસએના નેતૃત્વમાં યુદ્ધની શરૂઆત કરી હતી.
ગત મહિને વોશિંગ્ટન પોસ્ટમાં એક ઓપિનિયન આર્ટીકલમાં 32 વર્ષીય અહમદે યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રિટન અને ફ્રાન્સને હથિયારો મોકલીને તેમના બળવાને સમર્થનઆપવા અપીલ કરી હતી, જે નિષ્ફળ નીવડી હોય તેવું જણાય છે.
ચોથું - અહેમદ સ્પષ્ટપણે હજૂ સુધી સદીના સૌથી મોટા ગેરિલા લડવૈયાઓમાંના એક એવા તેમના પિતા મસૌદની લયમાં લડવા માટે સક્ષમ નથી.
મસૌદના હવાલા સાથે પંજશીર રેડ આર્મીનું કબ્રસ્તાન બન્યું હતું. આ સાથે સોવિયેતને અનુસરતા તાલિબાનીઓ પણ ક્યારેય ખીણ પર કબ્જો કરી શક્યા ન હતા.
અહમદ, જે બ્રિટનમાં સેન્ડહર્સ્ટ અને કિંગ્સ કોલેજ, લંડનમાં ભદ્ર રોયલ મિલિટરી કોલેજમાં ભણેલો છે અને વર્ષ 2016માં અફઘાનિસ્તાન પરત ફરતા પહેલા યુદ્ધઅભ્યાસમાં ડિગ્રી મેળવી હતી, એવું કહેવાય છે કે, તાલિબાન પંજશીરમાં ઘુસી જતાં અહમદ તાજિકિસ્તાન ભાગી ગયો હતો.
અહમદની સાથે માર્ગદર્શક તરીકે પાકિસ્તાનના લાંબા સમયના સહાયક સિનિયર મસૂદ, અમરૂલ્લાહ સાલેહ કાર્ય કરી રહ્યા છે. અશરફ ગની દેશ છોડીને ગયા બાદપોતાને અફઘાનિસ્તાનના કાર્યકારી રાષ્ટ્રપતિ જાહેર કરનારા સાલેહ ભૂતપૂર્વ જાસૂસ ચીફ છે, જે સીઆઇએ અને વિશ્વની લગભગ દરેક ગુપ્તચર એજન્સી સાથે ગાઢ સંબંધધરાવે છે. ઘણા લોકો સાલેહને તાલિબાન સામે ઉભેલા છેલ્લા માણસ માને છે, જેમણે લડવા માટે વ્યૂહાત્મક લડાઇ કરવા માટે પીછેહઠ કરી છે.
પાંચ - ભારતે પણ છોડ્યો સાથ
પંજશીરનું પતન તાલિબાન અને પાકિસ્તાની સૈન્યની સફળતાની નિશાની છે, તે ભારત માટે એક મોટો ઝટકો છે. સ્ટીવ કોલની સેમિનાલ બુકમાં દસ્તાવેજીકરણ મુજબનવી દિલ્હીએ અગાઉ ભંડોળ અને સામગ્રી દ્વારા નોર્થન એલાયન્સનું સમર્થન કર્યું હતું, ડિરેક્ટોરેટ એસએ અમેરિકનો પાસેથી બોધ લીધો હતો, આ વખતે મદદ ન કરીહોવાનું જણાય છે.
13 ઓગસ્ટ, 2001ના રોજ એક ટીવી ચેનલને આપેલા વરિષ્ઠ મસૌદના છેલ્લા ઇન્ટરવ્યુમાં તેમને પૂછવામાં આવ્યું કે, શું ભારતે તેમની સરકારને કોઈપણ રીતે મદદ કરીછે. તેનો જવાબ આપતા તેમણે જણાવ્યું હતું કે, અમારી વચ્ચે સારા સંબંધો છે. અમે સહાય માટે ભારતનો આભાર માનીએ છીએ, જે અફઘાન સ્થળાંતર કરનારાઓ માટેમાનવીય સહાયતા ક્ષેત્રોમાં સમયાંતરે વિસ્તૃત કરવામાં આવે છે. અમારા સારા રાજકીય સંબંધો છે અને અમે તેને સકારાત્મક પગલું માનીએ છીએ.
મસૌદને એ પણ પૂછવામાં આવ્યું કે, શું ભારત સરકાર સામાન્ય હિતો ધરાવે છે? અને અફઘાનિસ્તાનમાં શાંતિ લાવવા માટે ભારત શું કરી શકે છે? તેનો જવાબ આપતામસૂદે જણાવ્યું કે, મુખ્ય સમાનતા એ છે કે, બંને દેશો આ ક્ષેત્રમાં શાંતિ અને સ્થિરતા ઇચ્છે છે અને તણાવ નથી ઇચ્છતા. ભારત આ ક્ષેત્રમાં એક મોટો દેશ છે અનેઅફઘાનિસ્તાનમાં શાંતિ પુનઃસ્થાપિત કરવાની વિવિધ રીતો દ્વારા અસરકારક બની શકે છે.