આ ભારતીય મહિલા પોતાના બાળકોને ખુંખાર આતંકી બનાવવા માંગે છે, કારણ
વેસ્ટ બંગાળમાં રહેતી ઝોયા ચૌધરીનું સપનું છે કે તેના બાળકો મોટા થઈને આતંકી સંગઠનમાં જોડાય.
ખુંખાર આતંકી સંગઠન આઈએસઆઈએસ ઘ્વારા લોકોને સપના બતાવીને આતંકવાદી બનાવવની ખબર તો તમે વાંચી જ હશે. પરંતુ તમે એવું સાંભળું છે કે કોઈ મહિલા પોતાના બાળકોને આઈએસઆઈએસ જેવા આતંકી સંગઠનમાં ભરતી કરાવવા માંગતી હોય અને તેમને એક ખુંખાર આતંકી બનાવવા માંગતી હોય?
વેસ્ટ બંગાળમાં રહેતી ઝોયા ચૌધરીનું સપનું છે કે તેના બાળકો મોટા થઈને આતંકી સંગઠનમાં જોડાય. એક નજર કરો ઝોયા ચૌધરીની કહાની પર...
ઝોયાએ અમેરિકાના જોન જોંજેલ્સ સાથે લગ્ન કર્યા હતા
રિપોર્ટ અનુસાર ઝોયા ચૌધરીએ વર્ષ 2004 દરમિયાન અમેરિકાના જોન જોંજેલ્સ સાથે લગ્ન કર્યા હતા. બંનેની મુલાકાત એક ઓનલાઇન ડેટિંગ સાઈટ પર થઇ હતી અને ત્યારપછી પ્રેમ થઇ ગયો.
ઇસ્લામ ધર્મ અપનાવી લીધો
ઝોયાને મળતા પહેલા જ જોને ઇસ્લામ ધર્મ અપનાવી લીધો હતો. ઇસ્લામ ધર્મ અપનાવ્યા પછી તેનું નામ અબુ હસન થઇ ગયું. આપણે જણાવી દઈએ કે જોનના પિતા અમેરિકા વાયુ સેનામાં ડોક્ટરનું કામ કરી ચુક્યા છે.
9/11 હુમલા પછી આતંવાદ થી પ્રભાવિત થયો જોન
અમેરિકામાં થયેલા 9/11 હુમલા પછી જોનના મનમાં આઈએસઆઈએસ સાથે જોડાવવાનો વિચાર આવ્યો. તે સમયે તે ઇસ્લામ અને આતંવાદથી પ્રભાવિત થયો. ત્યારપછી જોને ટેક્સાસ કોલેજમાં ભણતા મિત્રોને છોડીને મુસ્લિમ લોકો સાથે રહેવાનું અને ફરવાનું ચાલુ કર્યું.
ઝોયાને ખબર હતી જોન આઈએસઆઈએસ આતંકી છે
વર્ષ 2004 દરમિયાન જયારે ઝોયા અને જોનના લગ્ન થયા ત્યારે ઝોયાને ખબર હતી કે જોન આઈએસઆઈએસ આતંકી છે. તે આઈએસઆઈએસ યુવકોને જોડવાનું કામ કરે છે. એક ભારતીય યુવતીનું આ પ્રકારનું પગલું ભરવું ચોક્કસ એક ચિંતાનો વિષય છે. જોન ઈન્ટરનેટ હોસ્ટિંગ કંપનીમાં કામ કરતો હતો જેના ઘ્વારા તે ઓનલાઇન અલકયદા સમર્થકો ને જોડતો હતો.
ઝોયા ચૌધરી પણ કટરપંથી ઇસ્લામ પ્રચારક
ઝોયાનો પતિ જોન આઈએસઆઈએસ તરફથી ઇરાક અને સીરિયાના આતંકવાદી સમૂહમાં નવા લોકોને જોડવાનું કામ કરતો હતો અને ઘણી ઘટનાઓમાં જોડાયેલો પણ હતો.
ઇસ્લામ પ્રચારકનો આરોપ
ઝોયા અમેરિકામાં રહે છે અને તેના પાર કટરપંથી ઇસ્લામ પ્રચારકનો આરોપ પણ લાગી ચુક્યો છે. ખબર અનુસાર જોન હજુ પણ અમેરિકી અજેન્સીને હાથતાળી આપી રહ્યો છે. હજુ પણ જોન ઓનલાઇન અલકાયદા સમર્થકો ભેગા કરી રહ્યો છે.