આ ભારતીયને ટ્વિટરની કમાન સોંપાઈ શકે છે, જાણો કોણ છે આ વ્યક્તિ?
લાંબા વિવાદ બાદ હવે આખરે એલોન મસ્કના હાથમાં ટ્વિટર આવી ગયુ છે. એલોન મસ્કે ટ્વિટર પર કબ્જો કરતા જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આ પહેલા એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલને હટાવી દીધા હતા.
નવી દિલ્હી : લાંબા વિવાદ બાદ હવે આખરે એલોન મસ્કના હાથમાં ટ્વિટર આવી ગયુ છે. એલોન મસ્કે ટ્વિટર પર કબ્જો કરતા જ મોટી ઉથલપાથલ જોવા મળી રહી છે. આ પહેલા એલોન મસ્કે ટ્વિટરના સીઈઓ પદેથી પરાગ અગ્રવાલને હટાવી દીધા હતા. હવે એવા જ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે.

લાંબા સમયથી એલોન મસ્ક ટ્વિટરની કમાન પોતાના હાથમાં લેવા માટે પ્રયત્ન કરી રહ્યા હતા ત્યારે આખરે મસ્કે ટ્વિટરની કમાન સંભાળતા જ મોટા બદલાવ કરવાનું શરૂ કરી દીધુ છે. હવે પરાગ અગ્રવાલને હટાવ્યા બાદ સમાચાર સામે આવી રહ્યા છે કે ભારતીય મુળના એન્જીનિયર શ્રીરામ કૃષ્ણન ટ્વિટરના નવા સીઈઓ બની શકે છે.
કૃષ્ણન મુળ ચેન્નાઈના ભારતીય-અમેરિકન એન્જિનિયર અને ટ્વિટરના ભૂતપૂર્વ કર્મચારી છે. એલોન મસ્ક પરાગ અગ્રવાલને હટાવ્યા પછી હવે કૃષ્ણનની સલાહ પર કંપની સંબંધિત નિર્ણયો લઈ રહ્યા છે. કૃષ્ણનન એલોન મસ્કને મદદ કરી રહ્યા છે. મસ્કે ટ્વિટરમાં મોટા ફેરફારો કરનારી ટીમમાં શ્રીરામ કૃષ્ણનને પણ સામેલ કર્યા છે.
શ્રીરામ કૃષ્ણનને એક ટ્વિટ કરીને જાણકારી આપી કે, હું કહેવા માંગુ છું કે હું ટ્વિટરના અદ્ભુત લોકોની સાથે ટ્વિટર પર એલોન મસ્કની મદદ કરી રહ્યો છું. તેણે આ સાથે લખ્યું કે હું માનું છું કે આ એક મહત્વપૂર્ણ કંપની છે અને તે વિશ્વ પર અસર કરી શકે છે. એલોન મસ્ક તે વ્યક્તિ છે જે આ શક્ય બનાવશે.












Click it and Unblock the Notifications
