H-1B વીઝા : 75,000 ભારતીઓ અમેરિકા છોડવા થશે લાચાર
ડોનાલ્ડ ટ્રંપનો એક નિર્ણય અનેક ભારતીયોને અમેરિકાથી ભારત પરત ફરવા માટે કરી શકે છે મજબૂર. સાથે જ જાણો કેમ અમેરિકામાં વસતા ભારતીયો કેમ કેનેડાને આપી રહ્યા છે પ્રાધાન્ય. વધુ વાંચો
અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપના નિર્ણયોના લીધે અમેરિકામાં રહેતા લગભગ 7,50,000 ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર એક તેવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે. જેના કારણે અમેરિકામાં એચ1બી વીઝા પર રહી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશી ઉચ્ચ શ્રેણીના સારા નોકરીયાત વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. જેનાથી ભારતીય નોકરીયાત લોકો જે અમેરિકાની કંપનીઓ માટે કામ કરી રહ્યા છે તેમની મુશ્કેલી વધી શકે છે. આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં ઇંટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડીએસએસની નાગરિકતા અને અપ્રવાસને દેખતા તેમનો ઉદ્દેશ તે એચ 1 બી વીઝા ગ્રાહકોના મામલે વિચાર કરવાનો છે જેમણે સ્થાયી નાગરિકતા માટે આવેદન આપ્યું છે. જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સ્થાનીય અમેરિકી નાગરિકોને નોકરી આપવાની નીતિ બાય અમેરિકન હાયર અમેરિકન પર આગળ વધશે તો લગભગ 5 લાખથી વધુ ભારતીય એચ1બી વીઝા ગ્રાહકોને ઘરે પાછા આવવાનો વખત આવશે.

સેન જોસના ઇમિગ્રેશન વાયસના એક અધિકારીએ જણાવ્યું કે જો તેને લાગુ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવાનો વારો આવી શકે છે. જેના કારણે અનેક પરિવારો સામે સંકટ પેદા થશે. તેમણે કહ્યું કે આ નિર્ણયની જાહેરાત પછી જ તેને સામે પડકારી શકાય. વધુમાં સુત્રોથી તેવી વાત પણ જાણવા મળી છે કે હોમલેન્ડ સિક્યોરિટી ઓફિશિયલ્સની તરફથી આ યોજના દ્વારા ભારતીય કુશળ કારીગરોને અહીંથી પાછા મોકલીને અમેરિકાના લોકોને વધુ નોકરીઓ આ દ્વારા મળે તેવી નીતિ છે. ઉલ્લેખનીય છે કે H1B વીઝા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કડક વલણને જોતા મોટા સંખ્યામાં અમેરિકા સ્થિત ભારતીયો કેનડા તરફ વળી રહ્યા છે. ત્યાંના વીઝા નિયમો સરળ હોવાના કારણે નોકરી માટે હવે અનેક આઇટી પ્રોફેશન્સ કેનાડાની કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી રહ્યા છે. આ કારણે કેનાડામાં હવે નવું ફાસ્ટ ટ્રેક વીઝા પ્રોગામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે લોકો હાઇ સ્કિલ્ડ વર્કર્સને 2 અઠવાડિયામાં જ વીઝા આપવા તૈયાર છે.
-
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા




Click it and Unblock the Notifications
