H-1B વીઝા : 75,000 ભારતીઓ અમેરિકા છોડવા થશે લાચાર
ડોનાલ્ડ ટ્રંપનો એક નિર્ણય અનેક ભારતીયોને અમેરિકાથી ભારત પરત ફરવા માટે કરી શકે છે મજબૂર. સાથે જ જાણો કેમ અમેરિકામાં વસતા ભારતીયો કેમ કેનેડાને આપી રહ્યા છે પ્રાધાન્ય. વધુ વાંચો
અમેરિકાના ડોનાલ્ડ ટ્રંપના નિર્ણયોના લીધે અમેરિકામાં રહેતા લગભગ 7,50,000 ભારતીયોની મુશ્કેલી વધી શકે છે. ડોનાલ્ડ ટ્રંપની સરકાર એક તેવા પ્રસ્તાવ પર કામ કરી રહી છે. જેના કારણે અમેરિકામાં એચ1બી વીઝા પર રહી ગ્રીન કાર્ડની રાહ જોતા વિદેશી ઉચ્ચ શ્રેણીના સારા નોકરીયાત વર્ગને મોટો ઝટકો લાગી શકે છે. જેનાથી ભારતીય નોકરીયાત લોકો જે અમેરિકાની કંપનીઓ માટે કામ કરી રહ્યા છે તેમની મુશ્કેલી વધી શકે છે. આ પ્રસ્તાવ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીમાં ઇંટરનલ મેમો તરીકે જાહેર કરવામાં આવ્યો છે. ડીએસએસની નાગરિકતા અને અપ્રવાસને દેખતા તેમનો ઉદ્દેશ તે એચ 1 બી વીઝા ગ્રાહકોના મામલે વિચાર કરવાનો છે જેમણે સ્થાયી નાગરિકતા માટે આવેદન આપ્યું છે. જો રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપની સ્થાનીય અમેરિકી નાગરિકોને નોકરી આપવાની નીતિ બાય અમેરિકન હાયર અમેરિકન પર આગળ વધશે તો લગભગ 5 લાખથી વધુ ભારતીય એચ1બી વીઝા ગ્રાહકોને ઘરે પાછા આવવાનો વખત આવશે.

સેન જોસના ઇમિગ્રેશન વાયસના એક અધિકારીએ જણાવ્યું કે જો તેને લાગુ કરવામાં આવે તો મોટી સંખ્યામાં ભારતીયોને અમેરિકા છોડવાનો વારો આવી શકે છે. જેના કારણે અનેક પરિવારો સામે સંકટ પેદા થશે. તેમણે કહ્યું કે આ નિર્ણયની જાહેરાત પછી જ તેને સામે પડકારી શકાય. વધુમાં સુત્રોથી તેવી વાત પણ જાણવા મળી છે કે હોમલેન્ડ સિક્યોરિટી ઓફિશિયલ્સની તરફથી આ યોજના દ્વારા ભારતીય કુશળ કારીગરોને અહીંથી પાછા મોકલીને અમેરિકાના લોકોને વધુ નોકરીઓ આ દ્વારા મળે તેવી નીતિ છે. ઉલ્લેખનીય છે કે H1B વીઝા અને અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપના કડક વલણને જોતા મોટા સંખ્યામાં અમેરિકા સ્થિત ભારતીયો કેનડા તરફ વળી રહ્યા છે. ત્યાંના વીઝા નિયમો સરળ હોવાના કારણે નોકરી માટે હવે અનેક આઇટી પ્રોફેશન્સ કેનાડાની કંપનીઓમાં જોબ માટે એપ્લાય કરી રહ્યા છે. આ કારણે કેનાડામાં હવે નવું ફાસ્ટ ટ્રેક વીઝા પ્રોગામને પ્રાધાન્ય આપવામાં આવી રહ્યું છે. તે લોકો હાઇ સ્કિલ્ડ વર્કર્સને 2 અઠવાડિયામાં જ વીઝા આપવા તૈયાર છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
