Turkey Earthquake: તુર્કીમાં મૃતકોની સંખ્યામાં થઈ શકે છે 8 ગણો વધારોઃ WHO
તુર્કીમાં સોમવારે આવેલા વિનાશકારી ભૂકંપમાં અત્યાર સુધીમાં 3800થી વધુ લોકોના મોત નીપજ્યા છે. ડબ્લ્યુએચઓના જણાવ્યા મુજબ મૃતકોની સંખ્યામાં 8 ગણો વધારો થઈ શકે છે.
Turkey Earthquake: તુર્કી અને સીરિયામાં આવેલા શક્તિશાળી ભૂંકપના કારણે હજારો લોકોના મોત થઈ ગયા છે. મોતનો આંકડો હાલમાં 3800ને પાર કરી ગયો છે. આ દરમિયાન વિશ્વ આરોગ્ય સંગઠન તરફથી ચેતવણી આપવામાં આવી છે કે મૃતકોની સંખ્યામાં હજુ વધારો થઈ શકે છે. તુર્કીમાં મરનાર સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે.

તમને જણાવી દઈએ કે સોમવારે સવારે તુર્કીમાં આવેલા વિનાશકારી ભૂકંપ બાદ દુનિયાભરમાંથી રાહત અને મદદ મોકલવામાં આવી રહી છે. ભારતે પણ તુર્કીને મદદ માટે હાથ લંબાવ્યો છે અને એનડીઆરએફની બે ટીમોને રાહત અને બચાવ તેમજ સર્ચ અભિયાન માટે રવાના કરી છે. નોંધનીય છે કે સોમવારે સવારે 7.8ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપ સવારે 4.17 વાગ્યે આવ્યો હતો, ત્યારબાદ 7.6ની તીવ્રતાનો બીજો ભૂકંપ આવ્યો હતો. ત્રીજો ભૂકંપ 6.0ની તીવ્રતાનો હતો.
વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન દ્વારા કહેવામાં આવ્યુ છે કે મૃત્યુઆંક હજુ આઠ ગણો વધી શકે છે. આવતા અઠવાડિયામાં ભૂકંપમાં માર્યા ગયેલા અથવા ઘાયલ થયેલા લોકોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. ઠંડીના કારણે ઘણા લોકોને ખુલ્લામાં રહેવુ પડી શકે છે. રોડ તૂટી ગયા છે, આવનારા દિવસોમાં સ્થિતિ ખૂબ ગંભીર બની શકે છે.












Click it and Unblock the Notifications
