સીરિયા પર તુર્કીએ કર્યો હુમલો, 40 સૈનિકોની મૌત
સીરિયામાં ઉત્તર પક્ષિમ ક્ષેત્ર આફરીનમાં તુર્કી એ હવાઈ હુમલો કરી ઘણા સીરિયાઈ સરકાર સમર્થક સૈનિકોને મારી નાખ્યા છે.
સીરિયામાં ઉત્તર પક્ષિમ ક્ષેત્ર આફરીનમાં તુર્કી એ હવાઈ હુમલો કરી ઘણા સીરિયાઈ સરકાર સમર્થક સૈનિકોને મારી નાખ્યા છે. તુર્કી ઘ્વારા દાવો કરવામાં આવ્યો છે કે આફરીન પ્રાંતના રોજા ક્ષેત્રના કર્ફ જિન કેમ્પ પર હવાઈ હુમલો કરી 40 જેટલા સીરિયાઈ સરકાર સમર્થક સૈનિકોને મારી નાખવામાં આવ્યા છે. સીરિયા ના આફરીન પ્રાંતમાં છેલ્લા 48 કલાકમાં આ ત્રીજી અટેક છે. તુર્કી અને તેના સહયોગી વિદ્રોહીઓ ઘ્વારા જાન્યુઆરી થી આ વિસ્તારોમાં અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે.

થોડા દિવસો પહેલા સીરિયા ના કુર્દ ક્ષેત્રમાં તુર્કીના 8 જવાનોની હત્યા કરવામાં આવી હતી. ત્યારપછી તુર્કી ઘ્વારા સખત પગલાં ભરવાની ચેતવણી આપી હતી. તુર્કીના ડિફેન્સ મિનિસ્ટર ઘ્વારા આ હુમલાની પુષ્ટિ કરતા જણાવવામાં આવ્યું કે તેમાં ઘણા સીરિયાઈ સરકાર સમર્થક સૈનિકો ઘાયલ પણ થયા છે.
સીરિયાઈ લોકલ મીડિયા મુજબ કર્ફ જીના થયેલા હુમલામાં 40 સૈનિકોની મૃત્યુ થયી છે. પરંતુ હજુ સુધી સ્પષ્ટ રીતે કઈ પણ જાણવા નથી મળ્યું કે ખરેખર આ હુમલામાં કેટલા લોકો માર્યા ગયા છે. તુર્કી સેના ઘ્વારા આફરીન પ્રાંતમાં ત્રીજી વાર હવાઈ હુમલો કર્યો છે. તુર્કીના પ્રધાનમંત્રી ઘ્વારા જણાવવામાં આવ્યું હતું કે તેમની સેનાએ કુર્દિશ સૈનિકોથી આફરીન ના રાજો ક્ષેત્ર પર કબ્જો કરી લેવામાં આવ્યો છે.
તુર્કીનો આરોપ છે કે વાયપીજી ફાયટર્સ કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીનું સમર્થન કરે છે. જેઓ ઘણા લાંબા વર્ષોથી તુર્કીમાં વિદ્રોહ ફેલાવવાનું કામ કરે છે. આપણે જણાવી દઈએ કે કુર્દિસ્તાન વર્કર્સ પાર્ટીને યુરોપિયન યુનિયન, યુનાઇટેડ સ્ટેટ અને તુર્કી આતંકવાદી સંગઠન જાહેર કરી ચૂક્યું છે.
-
પીએમ મોદી આ શનિવારે પશ્ચિમ બંગાળમાં ત્રણ ચૂંટણી રેલીઓને સંબોધિત કરશે -
મહારાષ્ટ્રના હિંગોલી જિલ્લામાં 4.7 ની તીવ્રતાનો ભૂકંપ, કોઈ જાનહાનિના અહેવાલ નથી -
પલાનીસ્વામી: વિજયની સરખામણી એમજીઆર સાથે ન કરો -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
હરિયાણા સરકારે MBBS બેઠકો અને હોસ્પિટલ બેડના 33% સ્થાનિક રહેવાસીઓ માટે અનામત રાખ્યા -
CSK vs DC: મેદાન પર અમ્પાયર સાથે બાખડ્યો નીતીશ રાણા! ચેપોકમાં મેચની વચ્ચે સર્જાયું જોરદાર હાઈ-વોલ્ટેજ ડ્રામા -
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
પેટ્રોલ-ડીઝલના ભાવ નિયંત્રિત કરવા સરકારે શું કરવું જોઈએ? -
તમિલનાડુ ફિલ્મ લીક: DMK, TVK અને BJP વચ્ચે રાજકીય વિવાદ




Click it and Unblock the Notifications
