મિસ્રના સોહાગમાં બે ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત, 32 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ
મિસ્રના સોહાગમાં બે ટ્રેન વચ્ચે ભીષણ અકસ્માત, 32 લોકોનાં મોત, 60થી વધુ ઘાયલ
મિસ્રના સોહારગ શહેરમાં ભીષણ ટ્રેન અકસ્માત થયો છે. શુક્રવારે બે ટ્રેન વચ્ચે અહીં ટક્કર થઈ છે. આ ભીષણ ટક્કરમાં 32 લોકોનાં મોત થયાં છે અને 60થી વધુ લોકો ઘાયલ થયા છે. ઘાયલોમાં કેટલાયની હાલત ગંભીર જણાવવામાં આવી છે. એવામાં આશંકા છે કે મૃતકોની સંખ્યા હજી પણ વધી શકે છે. ઘટના બાદ રાહત અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયા અને ફસાયેલા લોકોને કાઢવામાં આવી રહ્યા છે.
મિસ્રના મીડિયામાં આવેલી જાણકારી મુજબ શુક્રવારે મિસ્રની રાજધાની કાહિરાથી 460 કિમી દક્ષિણમાં સોહાગ શહેરમાં બે ટ્રેન વચ્ચે ટક્કર થઈ. જે સમયે આ દુર્ઘટના સર્જાઈ ત્યારે બંને જ ટ્રેન ખુબ ગતિએ ચાલી રહી હતી. ટક્કર એટલી જોરથી લાગી હતી કે ડબ્બા પાટા પરથી પલટી ગયા.
ઘટના બાદ આજુબાજુના લોકો અને બચાવ દળ ઘટના સ્થળે પહોંચી ગયું અને લોકોને યુદ્ધસ્તરે રેસ્ક્યૂ કરવાનું કામ હાથ ધરવામાં આવી રહ્યું છે. મિસ્રના સ્વાસ્થ્ય મંત્રાલયે આ દુર્ઘટનામાં અત્યાર સુધી 32 લોકો મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ કરી છે. જ્યારે કેટલાક સ્થાનિક લોકોએ ઘટના બાદથી વીડિયો શેર કરતાં દાવો કર્યો છે કે જેટલો ભયંકર અકસ્માત છે તેને જોતાં 100થી વધુ લોકો મૃત્યુ પામ્યા હોય શકે છે.
Weather: દિલ્લી-NCRમાં હવામાન સાફ પરંતુ આ રાજ્યોમાં વરસાદની સંભાવના