સીરિયામાં 93 હજારથી વધુના મોતઃ સંયુક્ત રાષ્ટ્ર

બીજી તરફ રાષ્ટ્રપતિ બશર અલ-અસદ સરકારે રાસાયણિક હથિયારોના ઉપયોગની વાતનો ઇન્કાર કર્યો છે. આ વચ્ચે સંયુક્ત રાષ્ટ્રના નવીનતમ આંકડાઓ અનુસાર સીરિાયમાં જારી સંઘર્ષમાં અત્યારસુધીમાં ઓછામાં ઓછા 93 હજાર લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર સંગઠનનું કહેવું છે કે ગત જુલાઇથી અત્યારસુધી સીરિયામાં દર મહિને એવરેજ ઓછામાં ઓછા પાંચ હજાર લોકોના મોત થઇ રહ્યાં રહ્યાં છે. જોકે સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે આ આંકડા હજુ ઓછા છે કારણ કે તમામ મોતોને નોંધવામાં આવી નથી.
સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર ઉચ્ચાયુક્તનું કહેવું છે કે મૃતકોમાં 80 ટકા પુરુષ છે અને 10થી ઓછી ઉમરના 1700 બાળકો પણ સામેલ છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર પ્રમુખ નવી પિલ્લેએ કહ્યું છે કે ઘણીવાર આવા મામલા પણ સામે આવે છે, જેમાં બાળકો પ્રતાડિત કરવામાં આવ્યા અને બાદમાં તેમને મારી નાંખવામાં આવ્યા અથવા તો આખા પરિવારને બાળકો સહિત મારી નાંખવામાં આવ્યા. તેમણે કહ્યું કે, મૃતકોનો સૌથી વધુ દર એ દર્શાવે છે કે આ વિવાદ કેટલો બર્બર થઇ ચૂક્યો છે. આ ઉપરાંત સંયુક્ત રાષ્ટ્રની એક અન્ય રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે સીરિયામાં છેલ્લા બે વર્ષતી જારી લડાઇમાં અત્યારસુધીમાં હજારો બાળકો માર્યા ગયા છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
