ભારત-પાકિસ્તાન પ્રવાસ કરવા માટે ઉત્સાહિત છે જ્હોન કેરી

સાકીએ ગઇકાલે પત્રકારોને કહ્યું કે 'કેરી યોગ્ય સમય પર ભારત અને પાકિસ્તાન જવા માટે ઉત્સુક છે. જોકે મારી પાસે જણાવવા માટે હમણા કોઇ માહિતી નથી.' વિસ્તારમાં કેરીની મુલાકાતની વિસ્તૃત માહિતી આપ્યા વગર સાકીએ કહ્યું કે અમેરિકાની પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સંબંધો, સુરક્ષા સહિત હિતો અને આતંકવાદને નાથવાના સહયોગમાં બધાં પાસાઓ પર સારી એવી ચર્ચા થઇ રહી છે.
તેમણે વધુમાં જણાવ્યું કે 'તેમાંથી કોઇપણ ચિંતાના હલ માટે અમે સાથે સાથે કામ કરીશું.' સાકીએ ખરાઇ કરી કે ઇસ્લામાબાદ સ્થિત અમેરિકન દૂતાવાસના ચાર અધિકારીઓને કરાચીમાં વાણીજ્ય દૂતાવાસ જવાની પરવાનગી આપવામાં આવી નહીં. તેમણે કહ્યું કે 'ચાર અમેરિકન અધિકારી ગઇકાલે ઇસ્લામાબાદથી વિમાન દ્વારા કરાચી ગયા. મારા મતે તેઓ કરાચી સ્થિત અમેરિકન મહાવાણિજ્ય દૂતાવાસના અધિકારીઓને મળવા ગયા.'
સાકીએ કહ્યું કે જ્યારે તે લોકો કરાચી આંતરરાષ્ટ્રીય હવાઇમથક પર પહોંચ્યા તો તેમને એરપોર્ટના અધિકારીઓએ પોતાની કસ્ટડીમાં લઇ લીધા અને પછી તે ઇસ્લામાબાદ પરત ફર્યા. ત્યાં શું થયું તે અંગેની વધુ જાણકારી અમે મેળવી રહ્યા છીએ'












Click it and Unblock the Notifications
