For Quick Alerts
For Daily Alerts
ભારત સાથે રણનીતિક વાર્તા જારી રાખશે અમેરિકા
અમેરિકન વિદેશ મંત્રાલયની પ્રવક્તા વિક્ટોરિયા નૂલેન્ડે બુધવારે જણાવ્યું કે મંગળવારે ખુર્શીદ સાથે ફોન પર થયેલી વાતચીત દરમિયાન બંને નેતાઓએ ભારત-અમેરિકાના સંબંધોના મહત્વ પર જોર આપ્યું છે અને બંને મંત્રીઓએ માત્ર દ્વિપક્ષીય જ નહીં બલકે ક્ષેત્રીય અને વૈશ્વિક મુદ્દાઓ પર કામમાં સહયોગ કરવાની વાત કરી. તેમણે કહ્યું કે બંને મંત્રીઓએ ભારત-અમેરિકાની વચ્ચે રણનીતિક વાતચીતની પ્રક્રિયાને મજબૂત બનાવવા અને તેને યથાવત રાખવા પર ભાર મૂક્યો છે.
નૂલેન્ડ અનુસાર કેરીએ ભારત દ્વારા અફઘાનિસ્તાનને સતત આપવામાં આવતા સહયોગ માટે ખુર્શીદ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો અને ક્ષેત્રીય મુદ્દાઓ પર ભારતને સહયોગ આપવા માટે અમેરિકન ઇચ્છાને સ્વીકાર કર્યો. નૂલેન્ડે જણાવ્યું કે હાલમાં કેરીની ભારત પ્રવાસ અંગે કોઇ યોજના નથી, પરંતુ બંને દેશો વચ્ચે એક સારો સંબંધ સ્થપાશે.
Comments
English summary
New US State Secretary John Kerry calls Khurshid, discusses Indo-US ties.
Story first published: Thursday, February 7, 2013, 16:25 [IST]