ભારતનો ગુસ્સો જોઇ અમેરિકાએ પાકને આપી હતી આ સલાહ
ઇસ્લામાબાદ,
28
એપ્રિલઃ
કારગિલ
યુદ્ધ
1999ના
સમયે
ભારતના
ગુસ્સાનો
અંદાજો
અમેરિકાને
થઇ
ગયો
હતો
અને
તેથી
જ
તેણે
પાકિસ્તાનને
પીછેહટ
કરવાની
સલાહ
આપી
હતી.
અમેરિકામાં
પાકિસ્તાનના
ત્યારના
રાજદૂત
રિયાદ
ખોખરે
રવિવારે
આ
વાતનો
ખુલાસો
કર્યો.
તેમણે
જણાવ્યાનુસાર
યુદ્ધ
દરમિયાન
અમેરિકાએ
ઇસ્લામાબાદને
સંદેશો
મોકલ્યો
હતો
કે,
ભારત
પાગલ
થઇ
રહ્યું
છે,
મહેરબાની
કરીને
જે
ક્ષેત્રોમાં
તમારો
કબજો
છે
ત્યાંથી
હટી
જાઓ.
તેમણે કહ્યું કે, આ યુદ્ધ ટાળી શકાયુ હોત. અમેરિકન વિદેશ વિભાગના વરિષ્ઠ અધિકારીઓએ મને ફોન કર્યો હતો અને કહ્યું હતુ કે જે ક્ષેત્રો પર અમે કબજો કર્યો છે, ત્યાંથી હટી જઇએ. ખોખરે કહ્યું કે પાકિસ્તાનની સૌથી મોટી અસફળતા એ રહી કે તે વિશ્વસનીય સાખ વિકસીત ના કરી શક્યું. તેમણે કહ્યું કે મને લાગે છેકે અમને એક બિન જવાબદાર દેશના રૂપમાં રાખવામાં આવ્યું.
તેમણે કહ્યું કે સેનામાં એ વાતને લઇને આમ સહમતિ હતી કે તત્કાલિન વડાપ્રધાન નવાજ શરીફે આ યુદ્ધના વિષયમાં સમુચિત જાણકારી આપવામાં આવી હતી. તેમણે એ વાતનો ઇન્કાર કર્યો કે જો પાકિસ્તાન પાછળ ના હટ્યું તો યુદ્ધના ક્ષેત્રમાં મોટા થઇ શકતા હતા. અમેરિકામાં પાકિસ્તાનના રાજદૂત રિયાજ ખોખરે કહ્યું કે અમેરિકાએ કહ્યું હતુ કે ભારત પાગલોની જેમ ઉછળી રહ્યું છે. તમે લોકો જે ક્ષેત્રો પર કબજો કર્યો છે, ત્યાંથી હટી જાઓ. નહીંતર યુદ્ધ ક્ષેત્રનો વિસ્તાર થઇ શકે છે. એ માત્ર એક ધમકી હતી જેનો અમેરિકાએ ઉપયોગ કર્યો.
તેમણે કહ્યું કે, ભારત તરફથી સેનાની કોઇ ગતિવિધિ નહોતી થઇ રહી, જેનાથી લાગ્યું કે યુદ્ધ ક્ષેત્રનો વિસ્તાર થઇ શકે છે. પત્રકાર નસીમ જેહરાએ કહ્યું કે, કારગિલ એવું નથી જેના પર પ્રાધિકાર પાકિસ્તાની સેના ગર્વ કરી શકે. તેમણે કહ્યું કે, ચાર જનરલોનું એક કારગિલ સમૂહ હતું જેમણે આ યોજના બનાવી, જે એક દુર્ઘટના હતી. જેહરાએ કહ્યું કે પાકિસ્તાની સૈનિકોએ કારગિલ યુદ્ધની યોજના બનાવનારાઓ કરતા વધારે સારા નેતૃત્વની જરૂર હતી.