Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

જો અત્યારે યુદ્ધ થશે તો પાકિસ્તાન કરશે ભારત પર પરમાણું હુમલો: અમેરિકા

વોશિંગ્ટન, 27 ફેબ્રુઆરી: ભારત-પાકિસ્તાનની આના-કાની થંભવાની નામ નથી લઇ રહી, જેનો ઇશારો અમેરિકાએ કરી દીધો છે. અમેરિકાના બે પ્રમુખ વિશ્લેષકોએ અમેરિકન કાયદાવિદોને જણાવ્યું કે જો ભારત અને પાકિસ્તાન વચ્ચે અત્યારે યુદ્ધ થયું તો પાકિસ્તાન ભારત પર પરમાણુ હુમલો કરી શકે છે.

અમેરિકન વિશ્લેષકોએ જણાવ્યું કે ભારતમાં એક મજબૂત સરકાર છે અને એવામાં જો 26/11 જેવો હુમલો ભારત પર હવે થાય છે તો પાકિસ્તાન માટે ખતરનાખ સાબિત થઇ શકે છે. એટલું જ નહીં આવી સ્થિતિમાં પાકિસ્તાન ભારતની વિરુદ્ધ પરમાણુ હુમલો પણ કરી શકે છે.

army
અમેરિકાના વિશ્લેષક જોર્જ પર્કોવિચ અને એશ્લે ટેલિસે જણાવ્યું કે ઇસ્લામાબાદમાં અમેરિકન અધિકારીઓએ એ વાત પર ધ્યાન આપવું જોઇએ કે પાકિસ્તાન તરફથી આવી કોઇ પણ પ્રકારની ઘટનાને અંજામ ના આપવામાં આવે.

પર્કોવિચે જણાવ્યું કે દક્ષિણ એશિયામાં આગામી સમયમાં પરમાણુ હુમલાની આશંકાથી ઇનકાર કરી શકાય નહી. તેમણે જણાવ્યું કે ખાસ કરીને ભારત-પાકિસ્તાન સંબંધોને જોતા તેની સંભાવના બનેલી છે. પર્કોવિચે આ વાત આંતરરાષ્ટ્રીય શાંતિના કાર્યક્રમ દરમિયાન બોલતા જણાવી. અમેરિકન વિશ્લેષકનું નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતના વિદેશ સચિવ આવતા મહિને પાકિસ્તાન પ્રવાસ કરવાના છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X