Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

એક એવો જીન જે તમારા મૃત્યુંનો સમય બતાવશે !

clock
વોશિંગ્ટન, 23 નવેમ્બર: વૈજ્ઞાનિકોએ પ્રથમ વખત એક એવા વિચિત્ર જીન શોધ કરી છે જે નક્કી કરશે કે તમે દરરોજ કેટલા વાગે ઉંઘીને ઉઠશો અને તમારું મૃત્યું કયા દિવસે અને કેટલા વાગે થવાની સંભાવના છે.

સંશોધનકર્તાઓએ જીનમાં એવા પરિવર્તનને ઓળખી કાઢ્યો છે જે એક જ સમય ઉઠનારાઓ અથવા આખી રાત જાગતા રહેનારા લોકોની સંખ્યાને પ્રભાવીત કરે છે. આ શોધમાં એ પણ પરિવર્તન મળી આવ્યું છે કે જેનાથી ખબર પડી શકે છે કે કોઇ વ્યક્તિનું મૃત્યું કયા દિવસે અને કયા સમયે થવાની વધારે શક્યતા છે.

આ શોધ મળી આવેલા આશ્રર્યજનક પરિણામોથી કામનો સમય બદલવાનો, દાકતરી સારવારની યોજના બનાવવાની અને નબળી સ્થિતી ધરાવતા દર્દીઓની સ્થિતીનો તપાસ કરવાનો સમય નક્કી કરી શકાય.

અધ્યનના પ્રમુખ લેખક એંડ્ર્યૂ લિમે કહ્યું હતું કે આપણી આંતરિક 'જૈવિક ઘડિયાળ' માનવીય જીવ વિજ્ઞાન અને વ્યવહારના ઘણા પક્ષોને નિયંત્રિત કરે છે. જેમાં ઉંઘવાનો સમય, સમજશક્તિ આધારિત પ્રદર્શનનો સમય અને કેટલાક અન્ય શારીરિક ક્રિયાઓના સમયનો સમાવેશ છે. આ આધાત અથવા હદયના હુમલા જેવી કેટલીક દાક્તરી સારવારનો સમય પણ સમાવેશ થાય છે.

હાવર્ડ મેડિકલ સ્કૂલનાં પ્રોફેસર સૈપરે એક નિવેદનમાં કહ્યું છે કે, "આભાસી રૂપથી તમામ શારિરીક ક્રિયાઓની એક મર્યાદા હોય છે. એટલે કે મૃત્યુનો પણ એક નિશ્ચીત સમય છે. માટે સામાન્ય જનસંખ્યામાં મોટાભાગનાં લોકોનાં મૃત્યું સવારનાં સમયે થાય છે. કેટલીક વાર આ સમય લગભગ સવારનાં ૧૧ વાગ્યાની આસપાસનો પણ રહે છે."

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X