નોર્વે કેસઃ ભારતીય દંપતિને ફટકારાઇ સજા

ભારતીય દંપતિએ બાળકને સળગાવવાનો કર્યો'તો પ્રયાસ
બાળકને ત્રાસ આપવાના ગુન્હા સબબ ધરપકડ કરાયેલા ભારતીય દંપતિ અંગે કોર્ટ બુધવારે સજા સંભળાવવાની છે, ત્યારે જેમાં એક નવો ખુલાસો નોર્વે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. નોર્વે પોલીસે જે અહેવાલ રજૂ કર્યો છે, તેમાં જણાવાયું છે કે સાત વર્ષીય બાળકને મારવામાં અને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઓસ્લો પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રોસિક્યુશન હેડ કુર્ત લિરનું કહેવું છે, 'બાળકના શરીર પર બળવાના અને ચાઠાં પડવાના ચિન્હો છે, તેને બેલ્ડ વડે પણ મારવામાં આવ્યો હતો.' અહેવાલ અનુસાર, દંપતિએ તેમના બાળકને હોટ મેટલ ઓબ્જેક્ટથી સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.
બાળકો પર સતત ખરાબ વર્તનનો હતો આરોપ
નોર્વેમાં રહેતા ભારતીય દંપતિ પર તેમના બાળકો પર સતત ખરાબ વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળ શોષણના આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને ફરિયાદપક્ષે માંગણી કરી છે કે તેમના માતા-પિતાને ઓછામાં ઓછી 15 મહિનાની સજા થાય. કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે આ દંપતિ તેમના બાળકોને ધમકાવવાના, હિંસા કરવાના અને સજા ફટકારવાની કલમ નં 219 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઓસ્લો પોલિસ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આ દંપતિને શંકાના આધારે ઘરપકડ કરવામાં આવી છે તે કાર્યવાહીથી બચવા માટે ભારત પરત ફરી શકે છે. બચાવ પક્ષની અપીલોની સુનાવણી પર કાર્યવાહી ચાલી રહી હતી અને આ મુદ્દે 4 ડિસેમ્બરના રોજ ઓસ્લોની જિલ્લા કોર્ટમાં ફેંસલો સંભળાવવામાં આવ્યો છે.
નોર્વે બાલ શોષણ કેસમાં ભારત સરકાર માથું નહી મારેઃ ખુર્શિદ
હૈદ્રાબાદના દંપતિની નોર્વેના ઓસ્લોમાં કરવામાં આવેલી ધરપકડનો કેસ જોર પકડી રહ્યો છે. નોર્વે કોર્ટ આ કેસમાં 3 ડિસેમ્બરના રોજ ચૂકાદો સંભળાવશે. પોતાના બાળકો પર કડકાઇ વર્તવાના આરોપોમાં માતા-પિતાને એક વર્ષની જેલ થઇ શકે છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં ભારત સરકાર માથું નહી મારે.
-
અમેરિકાની જીદ ભારત સહિત આ દેશોને ભોગવવી પડશે? અર્થતંત્ર ખાડામાં જવાની ચેતવણી -
પાદરાનો ગંભીરા બ્રિજ 8 મહિના બાદ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાશે -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં આંધી-તોફાનની આશંકા, IMDનું એલર્ટ જાહેર -
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું રણશિંગુ ફૂંકાયું: ૨૬ એપ્રિલે મતદાન, ૨૮મીએ પરિણામ -
ગુુજરાત પર હજુ માવઠાનો ખતરો યથાવત, જાણો નવી આગાહી -
Iran US War: 'અમેરિકા ઈરાન છોડી દેશે', યુદ્ધ સમાપ્ત કરવા પર Donald Trumpની મોટી જાહેરાત -
KKR vs SRH: ઈડન ગાર્ડન્સની પિચ પર બેટર્સની મોજ કે બોલર્સનો ખૌફ? જાણો વેધર રિપોર્ટ -
દ્નારકા પંથકમાં કમોસમી વરસાદ, આ જિલ્લાઓમાં પણ આગાહી -
કોમર્શિયલ ગેસ સિલિન્ડરના ભાવમાં 195 રૂપિયાનોે વધારો, જાણો નવા ભાવ -
LPG Price Today: યુદ્ધ વચ્ચે જનતા પર પડ્યો મોંઘવારીનો માર, સિલિન્ડરના ભાવમાં વધારો, જાણો શું છે લેટેસ્ટ રેટ? -
ગુજરાત પર એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય, આગામી 5 દિવસ માવઠા માટે તૈયાર રહો -
વર્ષો પછી ભારતને એવા વડાપ્રધાન મળ્યા જેમણે પુરાતન સંસ્કૃતિને ઉજાગર કરી: પદ્મસાગર સૂરીશ્વરજી મહારાજ











Click it and Unblock the Notifications
