નોર્વે કેસઃ ભારતીય દંપતિને ફટકારાઇ સજા

ભારતીય દંપતિએ બાળકને સળગાવવાનો કર્યો'તો પ્રયાસ
બાળકને ત્રાસ આપવાના ગુન્હા સબબ ધરપકડ કરાયેલા ભારતીય દંપતિ અંગે કોર્ટ બુધવારે સજા સંભળાવવાની છે, ત્યારે જેમાં એક નવો ખુલાસો નોર્વે પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. નોર્વે પોલીસે જે અહેવાલ રજૂ કર્યો છે, તેમાં જણાવાયું છે કે સાત વર્ષીય બાળકને મારવામાં અને સળગાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ઓસ્લો પોલીસ ડિપાર્ટમેન્ટના પ્રોસિક્યુશન હેડ કુર્ત લિરનું કહેવું છે, 'બાળકના શરીર પર બળવાના અને ચાઠાં પડવાના ચિન્હો છે, તેને બેલ્ડ વડે પણ મારવામાં આવ્યો હતો.' અહેવાલ અનુસાર, દંપતિએ તેમના બાળકને હોટ મેટલ ઓબ્જેક્ટથી સળગાવવાનો પણ પ્રયાસ કર્યો હોવાનો આરોપ છે.
બાળકો પર સતત ખરાબ વર્તનનો હતો આરોપ
નોર્વેમાં રહેતા ભારતીય દંપતિ પર તેમના બાળકો પર સતત ખરાબ વર્તનનો આરોપ લગાવવામાં આવ્યો છે. બાળ શોષણના આ કેસમાં ધરપકડ કરવામાં આવી છે અને ફરિયાદપક્ષે માંગણી કરી છે કે તેમના માતા-પિતાને ઓછામાં ઓછી 15 મહિનાની સજા થાય. કોર્ટમાં હાલ કેસ ચાલી રહ્યો છે. પોલીસ વિભાગે જણાવ્યું છે કે આ દંપતિ તેમના બાળકોને ધમકાવવાના, હિંસા કરવાના અને સજા ફટકારવાની કલમ નં 219 હેઠળ તેમની ધરપકડ કરવામાં આવી છે.
ઓસ્લો પોલિસ વિભાગ દ્રારા જાહેર કરવામાં આવેલા નિવેદન અનુસાર આ દંપતિને શંકાના આધારે ઘરપકડ કરવામાં આવી છે તે કાર્યવાહીથી બચવા માટે ભારત પરત ફરી શકે છે. બચાવ પક્ષની અપીલોની સુનાવણી પર કાર્યવાહી ચાલી રહી હતી અને આ મુદ્દે 4 ડિસેમ્બરના રોજ ઓસ્લોની જિલ્લા કોર્ટમાં ફેંસલો સંભળાવવામાં આવ્યો છે.
નોર્વે બાલ શોષણ કેસમાં ભારત સરકાર માથું નહી મારેઃ ખુર્શિદ
હૈદ્રાબાદના દંપતિની નોર્વેના ઓસ્લોમાં કરવામાં આવેલી ધરપકડનો કેસ જોર પકડી રહ્યો છે. નોર્વે કોર્ટ આ કેસમાં 3 ડિસેમ્બરના રોજ ચૂકાદો સંભળાવશે. પોતાના બાળકો પર કડકાઇ વર્તવાના આરોપોમાં માતા-પિતાને એક વર્ષની જેલ થઇ શકે છે. ત્યારે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદે સ્પષ્ટતા કરી છે કે આ કેસમાં ભારત સરકાર માથું નહી મારે.
-
ગુજરાત સરકારે અમદાવાદ અને સુરત મેટ્રો માટે 34 ટ્રેનસેટ્સનો ઓર્ડર આપ્યો, જાણો શું છે ખાસિયત -
Gujarat Weather: અંબાલાલ પટેલની મોટી આગાહી, 18થી 25 માર્ચ સુધી ગુજરાતમાં કમોસમી વરસાદની શક્યતા -
ગુજરાતમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી, જાણો તમારા શહેરમાં કેવો રહેશે માહોલ -
Parliament Today: સંસદમાં વિપક્ષનો સરકાર પર LPG-CNG પ્રહાર, આજે ગૃહમાં કયા મુદ્દાઓ પર થશે ચર્ચા -
કચ્છના રણ વચ્ચેથી નીકળશે નવો હાઈવે, કેન્દ્ર સરકારની જાહેરાત -
ગુજરાતની 71 નગરપાલિકાઓમાં સરકારે વહીવટદારની નિમણૂક કરી -
ગુજરાતના 17 જિલ્લાઓમાં ગરમી પરસેવો પડાવશે, હવામાન વિભાગની મોટી આગાહી -
કિસાન સન્માન નિધિનો 22મોં હપ્તો ક્યારે આવશે? આવી ગઈ તારીખ -
ગરમીને લઈને હવામાન વિભાગની નવી આગાહી, આ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ -
LPG અછતને લઈને ભારત સરકાર એક્શનમાં, જાણો શું કહ્યું? -
અમદાવાદમાં આકાર લેશે ભવ્ય 'સ્પોર્ટ્સ એન્ક્લેવ', ઓલિમ્પિક સ્તરની સુવિધાઓ માટે સરકારે ખોલી તિજોરી -
Gold Silver Rate Today: ઈરાન યુદ્ધની અસર! ચાંદી ₹13,000 મોંઘી, સોનામાં પણ ઉછાળો, જાણો શું છે લેટેસ્ટ ભાવ







Click it and Unblock the Notifications
