નૈરોબીમાં હીરો બન્યા ભારતીય સમુદાયના લોકો
નૈરોબી, 27 સપ્ટેમ્બરઃ કેન્યામાં ભારતીય સમુદાયના લોકો નૈરોબીના એક મોલ પર શનિવારે થયેલા આતંકવાદી હુમલા બાદ હીરો બનીને ઉભર્યા, નૈરોબીમાં મોટી સંખ્યામાં રહેતા ભારતીયોએ આ પૂર્વ આફ્રિકન દેશના ઇતિહાસમાં સૌથી ભયાનક સમયમાં આપાત સહાયતા સેવા પૂરી પાડી. સમુદાય દ્વારા સંચાલિત સંસ્થાઓમાં એમપી શાહ હોસ્પિટલ અને આગા ખાન અને ગુરુનાનક હોસ્પિટલ તમામ આતંકવાદી હુમલામાં શિકાર વેસ્ટગેટ શોપિંગ મોલમાં એક કિમીથી થોડેક દૂર પર સ્થિત છે. આ હોસ્પિટલ હોસ્પિટલમાં હુમલામાં ઇજાગ્રસ્ત ડઝનેક લોકો સારવાર લઇ રહ્યાં છે.
આ ત્રણેય પ્રમુખ ચિકિત્સા સંસ્થાન શહેરના જે પાર્કલેન્ડ્સ વિસ્તારમાં સ્થિત છે, ત્યાં પરંપરાગત રીતે ભારતીયવંશોના પ્રભુત્વવાળા છે. સંસ્થાઓએ અનેક જીવન બચાવવામાં સમય સાથે દોડ લગાવી. એશિયન સમુદાયની વૃદ્ધ મહિલાઓ, યુવતીઓએ સ્વયંસેવક રીતે ઘટનાઓની પળપળના સમાચાર આપી રહેલા પત્રકારો અને આતંકવાદીઓ સામે લડી રહેલા સુરક્ષાકર્મીઓને ભોજન, પાણી અને નાસ્તો આપ્યો. સમુદાયે સૌથી કપરો સમય દેશના બાકી સમુદાયનીસાથે મહાનતમ એકજુટતા પ્રદર્શિત કરી છે.

એમપી શાહ હોસ્પિટલ હુમલામાં શિકાર બનેલા લોકો પાસેથી કોઇ કિંમત નહીં લેવાની ઘોષણા કરી છે. હોસ્પિટલના ચેરમેન મજુદ શાહે બુધવારે ઘોષણા કરી કે પીડિતોને આપવામાં આવી રહેલી સેવાઓના બદલે કોઇ શુલ્ક લેવામાં નહીં આવે. આ ઘોષણાએ દેશનું ધ્યાન ખેંચ્યું. ચાર દિવસ સુધી ચાલેલા આ સંકટ દરમિયાન 61 નાગરિક અને છ સુરક્ષાકર્મી માર્યા ગયા. નવી દિલ્હીમાં ભારતીય વિદેશ મંત્રાલયે કહ્યું કે, હુમલામાં માર્યા ગયેલા લોકોમાં ચાર ભારતીય સામેલ છે.
હુમલામાં માર્યા ગયેલા ભારતીયોમાં ગુજરાતના જુનાગઢના વાયા નિવાસી જ્યોતિબાલા, ધર્મેશ, સ્થાનિક દવાઓ કંપની ગર્લે લિમિટેડના કર્મચારી અને તમિળનાડુ નિવાસી શ્રીધર નટરાજન, નૈરોબી સ્થિત બેન્ક ઓફ બરોડાના પ્રબંધકના પુત્ર મનોજ જૈન અને બેંગ્લોર નિવાસી સુદર્શન બી. નાગરાજ સામેલ છે. આ હુમલામાં કેન્યામાં રહેતા અનેક ભારતવંશીઓએ જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત સમુદાયના વ્યવસાયને પણ નુક્સાન પહોંચ્યું છે. હુમલાનો શિકાર મોલ અહીં સ્થિત છે, તે ભારતીયો ત્રીજી પેઢીના પ્રભુત્વવાળો વિસ્તાર છે.
-
IND vs NZ Final: ક્યારે, ક્યાં અને કેટલા વાગ્યે શરૂ થશે ફાઈનલ મેચ, નોંધી લો તારીખ અને સમય -
ગુજરાતના 50% થી વધુ સ્ટાર્ટઅપ બહેનો દ્વારા સંચાલિત: CM ભૂપેન્દ્ર પટેલ -
સુરતમાં 1400 કિલો નકલી પનીરનો જથ્થો ઝડપાયો -
IND vs ENG: આજે ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે સેમિફાઇનલ મેચ, જાણો ક્યાં જોઈ શકાશે LIVE -
Gujarat Weather: રાજ્યમાં ગરમીનું જોર વધવાની હવામાન વિભાગે કરી મોટી આગાહી -
Earthquake: દાહોદ અને ભચાઉમાં ભૂકંપનો આંચકો અનુભવાયો, જાણો કેટલી હતી તીવ્રતા -
Gold Rate Today: સોનાના ભાવમાં મોટો ઘટાડો, જાણો લેટેસ્ટ કિંમત -
Western Railway: અમદાવાદ-મુંબઈ વચ્ચે દોડશે બે સ્પેશિયલ ટ્રેન, જાણો સંપૂર્ણ વિગત -
ખામેનીના મૃત્યુ બાદ ભારતે શોક વ્યક્ત કર્યો, જયશંકરે ઈરાન સાથે વાટાઘાટો કરી -
બરોડા ડેરીના સંચાલકોને રજીસ્ટ્રારે કારણદર્શક નોટિસ ફટકારી, જાણ કેમ? -
Gujarat News: CM ભૂપેન્દ્ર પટેલે ‘કવાંટ ગેર મેળા’ની ટપાલ ટિકિટનું કર્યું અનાવરણ -
અમેરિકાએ ભારતને આપી ભેટ! આટલા દિવસો સુધી રશિયા પાસેથી ખરીદી શકશે તેલ, Hormuzનું ટેન્શન ખતમ







Click it and Unblock the Notifications
