For Quick Alerts
For Daily Alerts

NRI નર્સના પરિવાર પર દુઃખનો ડુંગર તૂટી પડ્યો
લંડન, 9 ડિસેમ્બરઃ ભારતીય મૂળની નર્સ જેસિંથા સલદાન્હાની સંદિગ્ધ મોત બાદ લોકોમાં ગુસ્સો છે. તેમની 14 વર્ષીય પૂત્રીએ ફેસબુકમાં પોતાનું દુઃખ વ્યક્ત કર્યું છે. તેમની પૂત્રી લિશાએ લખ્યું છે કે, આઇ લવ યુ, આઇ મિસ યુ.
તેમના પિતા બેન બારાબોઝા કહે છે કે, મારી પત્ની જેને હું ઘણો પ્રેમ કરતો હતો, તેના દુઃખદ નિધનના કારણે હું તબાહ થઇ ગયો છું.
નોંધનીય છે કે 46 વર્ષીય જેસિંથા સલદાન્હાનું શુક્રવારે લંડનની હોસ્પિટલમાં સંદિગ્ધ મોત નીપજ્યું હતું. તેમને બે બાળકો છે, જે પોતાની માતાના મોતથી ઘણા જ દુઃખી છે.
નોંધનીય છે કે, ચાર ડિસેમ્બરે ઓસ્ટ્રેલિયન રેડિયો ચેનલના બે રેડિયો જોકીએ હોસ્પિટલમાં પોતાને એલીઝાબેથ અને પ્રિન્સ ચાર્લ્સ જણાવી ફોન કર્યો હતો. ત્યારે જેસિંથા નામની નર્સે કેટ મિડલટન સાથે જોડાયેલી તમામ જાણકારી આપી દીધી હતી. રેડિયો પર આ સારી વાતચીતનું પ્રસારણ કરવામાં આવ્યું.
આ ઘટનાના ત્રણ દિવસ પછી નર્સનું મોત નીપજ્યું હતું, આ મોતને આત્મહત્યા ગણાવવામાં આવ્યું છે.
Comments
indian origin nurse pregnant kate middleton australian radio મૂળ ભારતીય નર્સ ગર્ભવતી કેટ મિડલટન ઓસ્ટ્રેલિયન રેડિયો
English summary
Jacintha Saldanha’s family at Sorkala in Shirva of Udupi district is in a state of shock after learning about her sudden death.