For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

200મી ટેસ્ટ જ હશે માસ્ટર બ્લાસ્ટરની છેલ્લી ટેસ્ટ!

|
Google Oneindia Gujarati News

મુંબઇ, 18 સપ્ટેમ્બર : ભારતીય ક્રિકેટર સચિન તેંડુલકરની 200મી ટેસ્ટ તેમના કારકિર્દીની છેલ્લી ટેસ્ટ સાબિત થઇ શકે છે. એટલે કે એનો અર્થ એ થયો કે તેઓ ત્યારબાદ સંન્યાસ લઇ લેશે.

સૂત્રોના હવાલાથી કહેવામાં આવી રહ્યું છે કે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અને સિલેક્ટર્સે આ અંગેના સંકેતો આપી દીધા છે. સમાચાર અનુસાર મુખ્ય પસંદગીકર્તા સંદીપ પાટિલ આ વિષયમાં સચિન તેંડુલકરની મુલાકાત કરી હતી. કહેવાય છે કે પાટિલે સચિનને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે 200 ટેસ્ટ સમાપ્ત થયા બાદ તેમના ભવિષ્ય અંગેનો નિર્ણય બોર્ડ અને પસંદગીકારો કરી શકે છે.

sachin
અત્રે ઉલ્લેખનીય છે કે આ વર્ષે નવેમ્બર મહિનામાં બે ટેસ્ટ મેચોની શ્રેણી ભારત અને વેસ્ટ ઇન્ડિઝની વચ્ચે આયોજિત કરવામાં આવશે. બીજી ટેસ્ટ મુંબઇમાં થશે અને આ જ સચિનની 200મી ટેસ્ટ સાબિત થશે.

સચિન અત્યાર સુધી 198 ટેસ્ટ મેચ પોતાની કારકિર્દીમાં રમી ચૂક્યા છે તેમના ટેસ્ટ કેરિયરમાં 200મી ટેસ્ટમાં પણ માત્ર બે જ ટેસ્ટ બાકી છે. એટલે એ પાક્કુ છે કે સચિન પોતાની 200મી ટેસ્ટ ભારતમાં જ રમશે.

English summary
If reports are to be believed then Master Blaster Sachin Tendulkar’s 200th Test against West Indies at home could well prove to be his last.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X