પાંચમી વનડેમાં પણ હાર્યું ભારત
ઓકલેન્ડ, 31 જાન્યુઆરીઃ ન્યુઝીલેન્ડ સામેની શ્રેણી ભારતને શરમજનક રીતે ગુમાવી છે. શ્રેણીની પાંચમી અને અંતિમ વનડેમાં પર ભારતનો પરાજય થતા ન્યુઝીલેન્ડે આ શ્રેણી 4-0થી જીતી લીધી છે. ન્યુઝીલેન્ડ દ્વારા આપવામાં આવેલા 304 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતીય ટીમ માત્ર 216 રનમાં જ ઓલાઉટ થઇ ગઇ હતી. ભારત તરફથી સૌથી વધારે રન વિરાટ કહોલીએ 82 અને મહેન્દ્ર સિંહ ધોનીએ 47 રનની ઇનિંગ રમી હતી. બાકી બધા ખેલાડી નિષ્ફળ નિવડ્યા હતા. જ્યારે ન્યુઝીલેન્ડ તરફથી હેનરીએ ચાર, મિલ્સ અને વિલિયમ્સને બે-બે તથા મેક્કુલમ અને નીશામે એક-એક વિકેટ ઝડપી હતી.
પાંચમી વનડેમાં ટીમ ઇન્ડિયાની બોલિંગ અને બેટિંગ બન્ને નબળી હતી. જેનો ફાયદો સીધી રીતે ન્યુઝીલેન્ડને મળ્યો હતો. બેટિંગની વાત કરવામાં આવે તો, ભારત તરફથી રોહિત શર્મા 4, ધવન 9, કોહલી 82, રહાણે 2, રાયડુ 20, ધોની 47, અશ્વિન 7, જાડેજા 5, ભુવનેશ્વર કુમાર 20, મોહમ્મદ સામી 14 રન બનાવ્યા હતા.

આ મેચમાં ભારત તરફથી એક ફેરબદલ કરવામાં આવ્યો હતો. બિન્નીના સ્થાને શિખર ધવનનો ટીમમાં પુનઃ સમાવેશ કરવામાં આવ્યો હતો. નોંધનીય છે કે, ન્યુઝીલેન્ડ આ શ્રેણી 3-0થી જીતી ગયું છે. આ મેચમાં વિજય મેળવવો ભારત માટે જરૂરી છે, કારણ કે હવે પછી ટેસ્ટ શ્રેણી શરૂ થવાની છે અને એ માટે ટીમ ઇન્ડિયા તેનું મનોબળ પાછું મેળવે તે આવશ્યક છે.












Click it and Unblock the Notifications
