અઝહરે કહ્યું, 'ટીમ ઇન્ડિયાનો કોચ બનવાની છે ઇચ્છા'
પત્રકારોને સંબધિત કરતા અઝહરે કહ્યું કે, હું ક્રિકેટ સાથે ફરીથી જોડાવા માંગુ છું, પરંતુ હવે હું ક્રિકેટ રમી નહીં શકુ. મારી કિસ્મતમાં માત્ર 99 ટેસ્ટ રમવાનું લખ્યું હશે, તેથી હું એટલી ટેસ્ટ જ દેશ માટે રમી શક્યો. મારી બીસીસીઆઇ સાથે કોઇ વાત થઇ નથી પરંતુ જો મને ટીમનો કોચ બનવાનો પ્રસ્તાવ મળશે તો હું જરૂરથી સ્વિકારીશ.
''મારી સાથે જે કંઇ પણ થયું તે અયોગ્ય હતું, પરંતુ હું કોઇના પર આરોપ મુકવા માગતો નથી કે, કોઇ કાયદાકીય પગલા ભરવા માગતો નથી. હું કોઇનો વિરોધ કરી રહ્યો નથી. જે થવાનું હતું તે થયું છે. બાકી તો તમે દરેક બાબતથી માહિતગાર છો.''
નોંધનીય છે કે કોર્ટે પોતાના આદેશમાં બીસીસીઆઇ (ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ)ને કહ્યું હતું કે મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાના મુદ્દે મનાઇ ફરમાવી હતી જે બિલ્કુલ ખોટી છે. આ નિર્ણય એક તરફ મોહંમદ અઝરૂદીન માટે રાહત ભર્યા સમાચાર છે તો બીજી તરફ બીસીઆઇને માટે ઝટકો છે. મેચ ફિક્સિંગમાં મોહંમદ અઝરૂદીન કથિત રીતે સામેલ હોવાના આરોપોને ધ્યાનમાં રાખતાં બીસીઆઇએ થોડા વર્ષો પહેલાં મોહંમદ અઝરૂદીન પર આજીવન ક્રિકેટ રમવાની મનાઇ ફરમાવી હતી.