21 વર્ષથી ચાલી આવતી પરંપરા તોડી શકશે ટીમ ઇન્ડિયા?
નવી દિલ્હી, 2 ડિસેમ્બર: ટીમ ઇન્ડિયા આજે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ માટે રવાના થઇ ગઇ છે. આની સાથે જ તેની સામે પડકારનો નવો અધ્યાય શરૂ થઇ ગયો છે. ટીમની સામે પડકાર છે કે આફ્રીકાની સામે તેના જ ઘરમાં જીત મેળવવાનો, જેમાં તે અત્યાર સુધી નિષ્ફળ રહી છે. આવામાં સવાલ એ છે કે શું ટીમ ઇન્ડિયા 21 વર્ષથી ચાલી આવતી હારવાની પરંપરા તોડી શકશે?
11 મહિના દરમિયાન ભારતીય ક્રિકેટ ટીમે જબરદસ્ત ક્રિકેટ રમી છે. ભારતીય ટીમે એક પછી એક સતત 6 વનડે શ્રેણી પોતાના નામે કરી છે. 2011-12માં ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયાના હાહાકારી પ્રવાસ બાદ ટીમ ઇન્ડિયા જોરદાર ફોર્મમાં પાછી ફરતા ક્રિકેટ પ્રેમિયોને નવો વિશ્વાસ અપાવ્યો છે. પરંતુ શું આ ટીમ દક્ષિણ આફ્રિકાને તેના જ ઘર આંગણે માત આપી શકશે તે મોટો પ્રશ્ન છે.
પાકિસ્તાને ઇતિહાસ રચતા પહેલીવાર દ. આફ્રિકામાં વનડે શ્રેણી 2-1થી પોતાના નામે કરી છે. શું ભારત એવું કરી શકશે. 1992માં ક્રિકેટમાં બેક કર્યા બાદ દ. આફ્રિકાએ સૌથી પહેલા ભારતનો જ પ્રવાસ કર્યો હતો. ત્યારબાદ ભારતીય ટીમે પણ દ.આફ્રીકાનો પ્રવાસ કર્યો હતો. પરંતુ વનડે શ્રેણીમાં દરેક વખતે હારનો સામનો કર્યો છે. હવે 21 વર્ષ બાદ શું ટીમ ઇન્ડિયા આ સિલસિલાને થંભાવી નવો વિક્રમ બનાવી શકશે? એ એક સવાલ છે.
દક્ષિણ
આફ્રિકા
અને
ભારત
વચ્ચેના
મુકાબલા:
ઓવરઓલ:
કુલ
મેચ
67,
જીત
25,
હાર
40,
અપરિણામી
2
ભારતમાં:
કુલ
મેચ
23,
જીત
13,
હાર
10
દક્ષિણ
આફ્રિકામાં:
કુલ
મેચ
25,
જીત
5,
હાર
19,
અપરિણામી
1