Asia Cup 2025 : પાકિસ્તાની કેપ્ટન સલમાન આગા આતંકી મસૂદના પરિવારને કરી રહ્યો છે?
Asia Cup 2025 : એશિયા કપ 2025ની ફાઇનલમાં ભારતે પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને ટ્રોફી જીતી લીધી છે. ભારતીય કપ્તાન સૂર્યકુમાર યાદવે ટૂર્નામેન્ટની તમામ મેચોની પોતાની ફી ભારતીય સેનાને દાન કરવાની જાહેરાત કરી છે.
બીજી તરફ પાકિસ્તાની કપ્તાન સલમાન અલી આગા એક નિવેદનને કારણે વિવાદમાં છે. તેના આ પગલાથી પાકિસ્તાનનો બેવડો વ્યવહાર ફરી એકવાર સામે આવ્યો છે.

મેચ પછીની પ્રેસ કોન્ફરન્સમાં સલમાન આગાએ દાવો કર્યો કે પાકિસ્તાની ટીમ તેની મેચ ફી એ પાકિસ્તાની નાગરિકોને દાન કરશે, જે મે મહિનામાં ઓપરેશન સિંદૂર દરમિયાન 'ભારતીય હુમલાથી પ્રભાવિત થયા હતા.
આ નિવેદન આવતાની સાથે જ સોશિયલ મીડિયા પર તેમને લોકોના આક્રોશનો સામનો કરવો પડ્યો છે. લોકોને સીધો સવાલ પૂછ્યો કે શું તે આતંકવાદીઓના પરિવારો સાથે છે?
ઓપરેશન સિંદૂર ભારતીય સેના દ્વારા પાકિસ્તાન પ્રેરિત આતંકવાદી ઠેકાણાંને નિશાન બનાવીને શરૂ કરાયું હતું. આ ઓપરેશનમાં જૈશ-એ-મોહમ્મદના વડા મસૂદ અઝહરના પરિવારનો પણ ખાતમો થયો હતો.
એપ્રિલ 2025માં જમ્મુ-કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકી હુમલાના જવાબમાં ભારતે આ કાર્યવાહી કરી હતી, જેમાં લગભગ 100 આતંકવાદીઓ માર્યા ગયા હતા.
આગાના નિવેદન પર આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ચર્ચા શરૂ થઈ ગઈ છે અને તેને સીધો સવાલ પૂછવામાં આવી રહ્યો છે કે શું તે મસૂદ અઝહરના પરિવારને મદદ કરવા માંગે છે? હાલમાં સલમાન અલી આગાને જોરદાર રીતે ટ્રોલ કરવામાં આવી રહ્યો છે.












Click it and Unblock the Notifications
