ક્રિકેટ પર કોરોનાની અસર, IPL રદ્દ થવા પર BCCIને થશે અબજો રૂપિયાનું નુકસાન
ક્રિકેટ પર કોરોનાની અસર, IPL રદ્દ થવા પર BCCIને થશે અબજો રૂપિયાનું નુકસાન
નવી દિલ્હીઃ કોરોના વાયરસ મહામારીને પગલે વિશ્વના મોટાભાગના દેશોમાં લૉકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ઈન્ડિયન પ્રીમિયર લીગ રદ્દ કરવાને કારણે 530 મિલિયન ડૉલર (39 અબજ 99 કરોડ 60 લાખ 79 હજાર રૂપિયા)થી વધુનું નુકસાન થશે. જો કે છતાં પણ ખેલાડીઓના વેતનમાં કટૌતી કરવા પર હજી વિચાર કરાયો નથી. એએફપીને એક ઉચ્ચ અધિકારીએ આ માહિતી આપી છે.
દુનિયાના સૌથી વધુ ટી20 ટૂર્નામેન્ટ 29 માર્ચ થવાના હતા પરંતુ કોરોના વાયરસને પગલે બધી જ મેચ રદ્દ કરી દેવામાં આવી હોયાથી આર્થિક માર પડ્યો છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના કોષાધ્યક્ષ અરુણ ધૂમલે કહ્યું કે, બીસીસીઆઈ મોટા રાજસ્વ નુકસાનને જોઈ રહ્યું છે. આઈપીએલ ના થવાને કારણે 530 મિલિયન ડૉલરથી વધુનું નુકસાન થશે.
ભારત અન્ય ક્રિકેટ રાષ્ટ્રોની જેમ જ પ્રતિસ્પર્ધી આંતરરાષ્ટ્રીય ખેલમાં વાપસી જોવા માટે ઉત્સુક છે, પરંતુ સરકારી આદેશો અને સલાહનું પાલન કરવું પડશે.
તેમણે કહ્યું કે આ વર્ષે એકેય ટૂર્નામેન્ટ થશે કે નહિ તેના પર કંઈ વિશ્વાસ નહિ કરી શકીએ. આપણે કેટલી ગેમનું નુકસાન થયું છે તેનો પતો લગાવી શકીશું ત્યારે જ સાચા રાજસ્વ નુકસાનનો પતો લગાવી શકશું.
ભારતીય પ્રસારક સ્ટાર સ્પોર્ટ્સે 2022 સુધી ટીવી અધિકારોને પાંચ વર્ષ માટે 220 મિલિયન ડૉલરથી વધુની ચૂકવણી કરી. પરંતુ તેમણે એકલાએ જ માત્ર 2020માં 400 મિલિયન ડૉલરના રાજસ્વનો લક્ષ્ય બનાવ્યો હતો.
આંતરરાષ્ટ્રીય લૉકડાઉનના લપેટામાં આવવાથી કેટલાય રાજ્યોના વોર્ડોને લાગતમાં કટૌતી કરવા માટે મજબૂર થવું પડ્યું છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના મોટાભાગના કર્મચારીઓને હટાવ્યા છે જ્યારે ઈંગ્લેન્ડ અને વેલ્સ ક્રિકેટ બોર્ડે વેતનમાં કટૌતીની ઘોષણા કરી છે.
ક્રિકેટ ઈતિહાસનો સૌથી વિવાદિત મેચ, જ્યારે ખેલાડીઓએ અંપાયર સાથે કરી બગાવત
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો