ક્રિકેટર યૂઝવેન્દ્ર ચહલના લગ્ન જીવનમાં ખળભળાત, કેમ ધનશ્રી વર્માને આપી રહ્યો છે છૂટાછછેડા? જાણો સત્ય
ફેમસ કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલ હાલમાં સોશિયલ મીડિયા પર છવાયેલા છે. સમાચાર છે કે બંને જલ્દી જ એકબીજાને ડિવોર્સ લેવાના છે.
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક સમયથી ધનશ્રી વર્મા અને ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલના લગ્નજીવનમાં ખૂબ જ તણાવ ચાલી રહ્યો છે. બંને વચ્ચે અણબનાવ હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે બંનેએ પોતાનો રસ્તો અલગ કરવાનો નિર્ણય લીધો છે.
22 ડિસેમ્બર 2020 ના રોજ થયા હતા લગ્ન
મળતી માહિતી મુજબ, પ્રખ્યાત કોરિયોગ્રાફર ધનશ્રી વર્મા અને ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલે 22 ડિસેમ્બર 2020ના રોજ લગ્ન કર્યા હતા. હાલમાં બંનેના છૂટાછેડાના સમાચાર સામે આવી રહ્યા છે.

છૂટાછેડાની અફવા ક્યાંથી ફેલાઈ?
- ભારતીય ક્રિકેટર યુઝવેન્દ્ર સિંહ ચહલ ઈન્સ્ટાગ્રામ પર ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર મસ્તીના મૂડમાં જોવા મળે છે, પરંતુ તાજેતરમાં તેણે કંઈક એવું કર્યું જેને જોઈને બધા ચોંકી ગયા.
- યુઝવેન્દ્ર સિંહ ચહલે તેની પત્ની અને કોરિયોગ્રાફર ધનશ્રી વર્માને તેના ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધા છે અને તેની સાથેની તમામ તસવીરો પણ ડિલીટ કરી દીધી છે.
- જોકે, તેણે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ધનશ્રી વર્મા સાથેની એક તસવીર પોસ્ટ કરી છે જે તેના રણવીર અલ્હાબાદિયા સાથેના પોડકાસ્ટમાંથી છે.
- ધનશ્રીએ તેના પતિ યુઝવેન્દ્ર સિંહ ચહલને પણ ઈન્સ્ટાગ્રામ પર અનફોલો કરી દીધો છે પરંતુ તેની સાથેની તસવીરો ડિલીટ કરી નથી.
- ત્યારથી અફવાઓ ફેલાઈ હતી કે ઘનશ્રી વર્મા અને યુઝવેન્દ્ર સિંહ ચહલનું લગ્ન જીવન સારું નથી ચાલી રહ્યું અને તેઓ ટૂંક સમયમાં છૂટાછેડા લઈ શકે છે.
- ઇ ટાઇમ્સના તાજેતરના અહેવાલ અનુસાર, એવું કહેવામાં આવ્યું છે કે યુઝવેન્દ્ર ચહલ અને તેની પત્ની ધનશ્રી વર્માના અલગ થવાની અફવાઓ બિલકુલ સાચી છે. કપલની નજીકની વ્યક્તિએ આ વાત સ્વીકારી છે.
છૂટાછેડાનું કારણ અસ્પષ્ટ
દંપતીના નજીકના લોકોનું કહેવું છે કે છૂટાછેડા અનિવાર્ય છે અને તે સત્તાવાર બને તે પહેલા માત્ર સમયની વાત છે. તેમના અલગ થવાના ચોક્કસ કારણો હજુ સુધી જાણી શકાયા નથી, પરંતુ તે સ્પષ્ટ છે કે દંપતીએ અલગથી તેમના જીવન સાથે આગળ વધવાનું નક્કી કર્યું છે.
બંનેની પોસ્ટ સાંકેતિક
તમને જણાવી દઈએ કે છેલ્લા કેટલાક મહિનામાં યુઝવેન્દ્ર સિંહ ચહલની સોશિયલ મીડિયા પોસ્ટ ઉદાસી અને આત્મનિરીક્ષણથી ભરેલી હતી, જેમાંથી ઘણી ક્રિકેટરની એકલતા તરફ ઈશારો કરતી હતી. બીજી બાજુતેણીના કૅપ્શન્સ ઘણીવાર આધ્યાત્મિક વિષયો પર આધારિત હતા, જેના કારણે ચાહકો તેની ભાવનાત્મક સ્થિતિ વિશે અનુમાન લગાવતા હતા.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું?










Click it and Unblock the Notifications
