DC vs PBKS: કોરોનાના લીધે BCCIએ લીધો મોટો નિર્ણય, પૂણેથી મુંબઇમાં શિફ્ટ કરી મેચ
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળ્યો. સોમવારે દિલ્હી કેપિટલ્સના કેટલાક સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેમાં રમવાની હતી,
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2022માં ફરી એકવાર કોરોનાનો કહેર જોવા મળ્યો. સોમવારે દિલ્હી કેપિટલ્સના કેટલાક સભ્યો કોરોનાની ઝપેટમાં આવ્યા હતા. તે જ સમયે, દિલ્હી તેની આગામી મેચ પંજાબ કિંગ્સ સામે 20 એપ્રિલે પુણેમાં રમવાની હતી, પરંતુ હવે બીસીસીઆઈએ કોરોનાને કારણે મોટો નિર્ણય લીધો છે.

શાહે પુષ્ટી કરી
હવે સમાચાર સામે આવ્યા છે કે પંજાબ કિંગ્સ સામે દિલ્હીની મેચ મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમ પુણે, ગહુંજે (એમસીએ સ્ટેડિયમને બદલે મુંબઈમાં બ્રેબોર્ન સ્ટેડિયમ) ખાતે રમાશે. 19 એપ્રિલના રોજ IPLની બેઠકમાંબીસીસીઆઈના સચિવ જય શાહે મંગળવારે આ નિર્ણય લીધો હતો. મેચ પહેલા ખેલાડીઓ અને ટીમના સભ્યોની RT-PCR ટેસ્ટ પણ થશે, ત્યારબાદ અંતિમ નિર્ણય લેવામાં આવશે.

સોશિયલ મીડિયાના સભ્યો પણ ચપેટમાં
આ પહેલા સોમવારે એવા અહેવાલો સામે આવ્યા હતા કે દિલ્હીના ઓલરાઉન્ડર મિશેલ માર્શ કોરોનાની ઝપેટમાં આવી ગયા છે, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ સાથે દિલ્હીના અન્ય કેટલાક સભ્યો પણ કોવિડ-19 પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું છે. દિલ્હી કેપિટલ્સના ફિઝિયો પેટ્રિક ફરહાર્ટ, સ્પોર્ટ્સ મસાજ થેરાપિસ્ટ ચેતન કુમાર, ટીમ ડૉક્ટર અભિજિત સાલ્વી અને સોશિયલ મીડિયા સભ્ય આકાશ કોરોનાની ઝપેટમાં આવ્યા છે.

16 એપ્રિલથી દરરોજ કરવામાં આવી રહ્યા છે ટેસ્ટ
હડકંપ પછી અન્ય ખેલાડીઓ અને દિલ્હીના સભ્યોને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને ખેલાડીઓને મુંબઈમાં પ્રેક્ટિસ કરવા માટે કહેવામાં આવ્યું છે. દિલ્હીના ખેલાડીઓનો RT PCR ટેસ્ટ પણ 16 એપ્રિલથી દરરોજ કરવામાં આવી રહ્યો છે. હાલમાં જ ચોથો RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કોઈનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો નથી. દિલ્હીની ટીમ આ સિઝનમાં અત્યાર સુધીમાં 5 મેચ રમી છે. તે આમાંથી માત્ર બે મેચ જીતી શક્યો છે, જ્યારે ત્રણ મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે.
-
IPL 2026: ગત વખતે રહ્યા ફ્લોપ, શું આ વર્ષે બદલાશે કિસ્મત? આ 5 દિગ્ગજો પાસે 'ઝીરોમાંથી હીરો' બનવાની તક! -
Middle East Crisis પર PM મોદીએ CM સાથે બોલાવી ઈમરજન્સી મીટિંગ, શું છે સરકારનો 7 Empowered Groups પ્લાન? -
હવે માત્ર 300માં થશે વારસાઈ જમીનની વહેંચણી, સરકારનો મહત્વનો નિર્ણય -
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત








Click it and Unblock the Notifications
