ફ્લોપ ગુરુનો હિટ ચેલો, કોણ છે ન્યૂ હાર્ડ હિટર અંગક્રિશ રધુવંશી
Abhishek Nayar, Angkrish Raghuvanshi: એવી કહેવત છે કે, ખેલાડી સફળ હોય તો તેની પાછળ સફળ ગુરુ હોય એવુ જરૂરી નથી, એક અસફળ ગુરુનો શિષ્ય પણ સફળતાના શિખરો સર કરી શકે છે. જેનું ઉદાહરણ અભિષેક નાયર છે. ભારત માટે ત્રણ વનડે રમનારા અભિષેક નાયરે ભારતીય ક્રિકેટને એવો સ્ટાર બેટ્સમેન આપ્યો છે. જેનું બેટ હાલ બોલી રહ્યું છે.
IPL 2024માં પોતાની ડેબ્યૂ ઇનિંગમાં જ બેટથી રનનો વરસાદ કરીને અંગક્રિશ રઘુવંશીએ વિશ્વ મંચ પર પોતાનું નામ સુવર્ણ અક્ષરોમાં લખાવ્યું છે, આ સાથે તેના માર્ગદર્શકની પણ દરેક જગ્યાએ ચર્ચા થઈ રહી છે. તેના વખાણ થઈ રહ્યા છે.
દિલ્હી કેપિટલ્સ સામેની તેની અવિશ્વસનીય ઇનિંગ્સ બાદ, KKRના અંગક્રિશ રઘુવંશીએ જણાવ્યું છે કે, તેની સફળતા પાછળનું કારણ અભિષેક નાયર છે, જે તેને બાળપણથી તાલીમ આપી રહ્યો છે. અંગક્રિશે આરસીબી સામેની છેલ્લી રમતમાં ઇમ્પેક્ટ પ્લેયર તરીકે ડેબ્યૂ કર્યું હતું, પરંતુ તેને બેટિંગ કરવાની તક મળી ન હતી.
ડીસી સામેની મેચ દરમિયાન 18 વર્ષીય ખેલાડીને નંબર 3 પર પ્રમોટ કરવામાં આવ્યો હતો જેથી તેણે સુનીલ નારાયણ સાથે મળીને બંને હાથે તક ઝડપી લીધી હતી. તેઓએ સાથે મળીને ડીસીના બોલરની ધુલાઇ કરી હતી.
અંગક્રિશે સુનીલ નારાયણ સાથે 104 રનની ભાગીદારી કરી અને બેટ વડે તેની પ્રથમ આઇપીએલ ફિફ્ટી ફટકારી હતી. KKRએ 20 ઓવરમાં 272 રન બનાવ્યા હતા.

અંગક્રિશે માત્ર 27 બોલમાં 54 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે 5 ચોગ્ગા અને 3 છગ્ગા ફટકાર્યા હતા. તેના ખાતામાં 27 બોલમાં 200ના સ્ટ્રાઈક રેટથી કુલ 54 રન આવ્યા હતા. મેચ બાદ તેણે તેની ઇનિંગ્સ નાયર અને બાકીના KKR સ્ટાફને સમર્પિત કરી હતી.
ગુરુ અભિષેક નાયરે શીખવી છે રિવર્સ સ્વીપ - આ યુવાને છગ્ગા માટે શાનદાર રિવર્સ સ્વીપ રમ્યો અને ખુલાસો કર્યો કે, નાયર જ તે હતો જેણે તેને આવા શોટ રમવાની તાલીમ આપી હતી અને તે બાળપણથી તેની સાથે કામ કરતો હતો.
અંગક્રિશે જણાવ્યું હતું કે, હું આ ઇનિંગ મારા કોચ અભિષેક નાયર અને મારા સાથી ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફને સમર્પિત કરવા માંગુ છું. હું તેમની સાથે રહીને ઘણું શીખ્યો છું. અભિષેક સર બાળપણથી મારી સાથે કામ કરે છે. આ બધા રિવર્સ સ્વીપ અને બીજા શોટ્સની તેઓએ મને ઘણી પ્રેક્ટિસ કરાવી છે.
ઉલ્લેખનીય છે કે, અંગક્રિશને અભિષેક નાયર દ્વારા ડેબ્યૂ કેપ પણ આપવામાં આવી હતી. તે કોલકાતા નાઈટ રાઈડર્સનો આસિસ્ટન્ટ કોચ છે. અંગક્રિશના પિતાએ એકવાર આ વિશે કહ્યું હતું કે, અમે નસીબદાર છીએ કે તે અભિષેકના કોચિંગ હેઠળ શીખ્યો અને હવે તેની સાથે તે જ ટીમમાં રમી રહ્યો છે. અંડર-19ના સમયથી જ અંગક્રિશને ઉભરતો સ્ટાર માનવામાં આવતો હતો.
અંગક્રિશ રઘુવંશીનું અંતિમ ધ્યેય શું છે? - દેશની ઘણી યુવા પ્રતિભાઓની જેમ, અંગક્રિશે કહ્યું કે, તે ભારતીય જર્સી પહેરવાની આશા રાખે છે, અને દાવો કર્યો કે, તે આમ કરવાથી અલગ બનવા માંગે છે.
અંગક્રિશે કહ્યું કે, ભારતીય જર્સી પહેરવી પડશે. તેને પહેરવા જેવું કે, આ પહેલા ક્યારેય કોઈએ પહેર્યું નથી. બધા મારી તરફ જોશે અને કહેશે, હું અલગ છું. ઉલ્લેખનીય છે કે, KKRએ દિલ્હી સામે 106 રને જીત નોંધાવી હતી. KKRની આગામી મેચ 8 એપ્રિલના રોજ ચેન્નાઈમાં CSK સામે છે.
-
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
Earthquake: રાજસ્થાનના સીકરમાં ધરા ધ્રુજી, ખાટુશ્યામજી સહિત અનેક વિસ્તારોમાં 3.5ની તીવ્રતાનો ભૂકંપ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
LPG Price: મોંઘવારીનો ઝટકો, ઘરેલું ગેસ 60 અને કોમર્શિયલ ગેસ 115 રૂપિયા મોંઘો, જાણો તમારા શહેરના લેટેસ્ટ રેટ -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ









Click it and Unblock the Notifications
