ભારતના ખેલાડીઓને પાકિસ્તાન ઉંઘની ગોળી આપી દે તો જ મેચ જીતી શકાશેઃ શોયબ અખ્તર
મેચ શરુ થાય તે પહેલા પૂર્વ ક્રિકેટ ખેલાડીઓના નિવેદનથી સોશિયલ મીડિયા વોર શરુ થઈ છે. આજે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ 7.30ના ટકોરે શરૃ થશે ત્યારે મેચને લઈને ભારત પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ મેચના
મેચ શરુ થાય તે પહેલા પૂર્વ ક્રિકેટ ખેલાડીઓના નિવેદનથી સોશિયલ મીડિયા વોર શરુ થઈ છે. આજે આઈસીસી ટી-20 વર્લ્ડ કપમાં ભારત પાકિસ્તાનની હાઈવોલ્ટેજ મેચ 7.30ના ટકોરે શરૃ થશે ત્યારે મેચને લઈને ભારત પાકિસ્તાનના પૂર્વ ખેલાડીઓ મેચના પરિણામને લઈને પોતાના નિવેદન આપી રહ્યાં છે પાકિસ્તાનના પૂર્વ ફાસ્ટ બોલર શોયબ અખ્તરે ભારત-પાકિસ્તાન ટી-20 મેચને લઈને એક મોટુ નિવેદન આપ્યુ છે. પાકિસ્તાનના પૂર્વ ખેલાડીએ અખ્તરે ફન્ની અંદાજમાં પાકિસ્તાનના પ્લેયિંગ ઈલેવન પર કટાક્ષ કર્યો હતો. શોયબે અખ્તરે કહ્યું કે, ટી-20 વર્લ્ડ કપમાં ભારતને હરાવવા માટે પાકિસ્તાની પ્લેયર્સે ઈન્ડિયન ટીમને ઉંઘની ગોળી આપી દે તો જ જીતી શકાશે.
શોયબ અખ્તરની આ ફન્ની ટિપ્પણી સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થઈ રહી છે. જ્યારે પાકિસ્તાનના ચાહકો દ્વારા શોયબ અખ્તરને ટ્રોલ કરીને દેશદ્રોહી કહી રહ્યાં છે. ભારત પાકિસ્તાન મેચ પહેલા પૂર્વ ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનોને સોશિયલ મીડિયામાં મેચ પહેલા જ વોર શરુ થઈ ગઈ છે. પૂર્વ ખેલાડીઓ દ્વારા આપવામાં આવેલા નિવેદનો હવે મેચના પરિણામ બાદ જ સ્પષ્ટ થશે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો