રાજકોટ ટેસ્ટ: ભારત-ઇંગ્લેંડની પહેલી મેચ ડ્રો, ભારતના બીજા દાવમાં 172/6
રાજકોટમાં ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ હતો...
ભારત અને ઇંગ્લેંડ વચ્ચે રમાઇ રહેલ પહેલી ટેસ્ટ મેચનો આજે અંતિમ દિવસ હતો. ઇંગ્લેંડને હરાવવાનું વિશ્વ નંબર 1 ટીમ ભારતનું સપનુ આજે તૂટી ગયુ. મેચનુ કંઇ પરિણામ આવ્યુ નહિ અને મેચ ડ્રો રહી.

રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલ મેચમાં ભારતની સ્થિતિ ખરાબ થઇ ગઇ હતી. 310 રનના ટાર્ગેટનો પીછો કરતા ટીબ્રેક બાદ ભારતે 3 વિકેટ પર 70 રન બનાવી લીધા હતા. ત્યારબાદ અજિંક્ય રહાણે પણ ચોથા વિકેટના રુપમાં આઉટ થઇ ગયા.

ત્યારબાદ આર અશ્વિન પણ 32 રન બનાવીને આઉટ થઇ ગયા. ઋદ્ધિમાન સાહા પણ 9 રન બનાવીને આઉટ થઇ ગયા. અંતમાં ક્રીઝ પર રવિન્દ્ર જાડેજા અને વિરાટ કોહલીએ કમાન સંભાળી હતી. ઇંગ્લેંડના પહેલા દાવમાં 537 રનના જવાબમાં ભારતે 488 રન બનાવ્યા હતા.

ઇંગ્લેંડે પોતાનો બીજો દાવ 3 વિકેટના નુકશાન પર 260 રન બનાવીને ઘોષિત કરી દીધો. ભારતને જીતવા માટે 310 રન જોઇતા હતા. ભારતે પોતાના બીજા દાવમાં 6 વિકેટના નુકશાન પર 172 રન બનાવ્યા. આ રીતે મેચ ડ્રો ગઇ હતી. દિવસના પહેલા સેશનમાં ઇંગ્લેંડને હસીબ હમીદ અને જો રુટના રુપમાં બે ઝટકા લાગ્યા. કુકે પોતાની 30મી સદી પણ ફટકારી.

તમને જણાવી દઇએ કે ઇંગ્લેંડે જો રુટ (124), મોઇન અલી (117) અને બેન સ્ટોક્સની સદીઓની મદદથી પહેલા દાવમાં 537 રનનો વિશાળ સ્કોર ઉભો કરી દીધો હતો અને બાદમાં તે ભારતને પહેલા દાવના આધાર પર 488 રન પર રોકીને 49 રનોથી આગળ હતુ.
-
Gujarat Weather: હવે કમોસમી વરસાદની શક્યતા નહિવત, આગામી દિવસોમાં વધશે ગરમી, જાણો હવામાન વિભાગની આગાહી -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતના હાઈવે પર હવે નહીં લાગે લાઈનો, વધુ 24 ટોલ પ્લાઝા બનશે બેરિયર-લેસ -
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ








Click it and Unblock the Notifications
