હાર્દિક પંડ્યાએ WI માં ઇતિહાસ રચ્યો, T20 માં આવું કરનારો બન્યો પ્રથમ ભારતીય ખેલાડી
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રેકોર્ડબ્રેક પ્રદર્શન IPL 2022 થી ચાલુ છે.
ટીમ ઈન્ડિયાનો વિસ્ફોટક ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા વર્તમાન સમયમાં ખૂબ જ સારા ફોર્મમાં ચાલી રહ્યો છે. ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યાનું રેકોર્ડબ્રેક પ્રદર્શન IPL 2022 થી ચાલુ છે. હાર્દિક પંડ્યાએ મંગળવારે (2 ઓગસ્ટ) સેન્ટ કિટ્સના વોર્નર પાર્કમાં વિન્ડીઝ સામે રમાયેલી ત્રીજી T20 મેચમાં પણ મોટો રેકોર્ડ બનાવ્યો હતો. તેણે આ મેચમાં એક એવું કારનામું કર્યું, જે આ પહેલા કોઈ ભારતીય ખેલાડી નથી કરી શક્યો.

હાર્દિક પંડ્યાએ ઈતિહાસ રચ્યો
વેસ્ટ ઈન્ડિઝ સામે રમાયેલી મેચમાં હાર્દિક પંડ્યાએ 4 ઓવર બોલિંગ કરતી વખતે 4.75ની ઈકોનોમીમાં માત્ર 19 રન આપ્યા અને 1 વિકેટલીધી હતી.
આ વિકેટ મળતાની સાથે જ હાર્દિક પંડ્યાએ T20 ઈન્ટરનેશનલ ક્રિકેટમાં પોતાની 50 વિકેટ પૂરી કરી લીધી અને સાથે જસર્વશ્રેષ્ઠ રેકોર્ડ પણ પોતાના નામે કરી લીધો.
હાર્દિક પંડ્યા T20 ક્રિકેટમાં 500 થી વધુ રન અને 50 વિકેટ લેનારો ભારતનો પ્રથમ ખેલાડીબની ગયો છે. આ ખાસ સિદ્ધિ મેળવનારો હાર્દિક વિશ્વનો 9મો ખેલાડી છે.

T20માં ભારત માટે સૌથી વધુ વિકેટ લીધી
હાર્દિક પંડ્યા T20 ઈન્ટરનેશનલ ક્રિકેટ ઈન્ડિયા માટે 50 વિકેટ પૂરી કરનારો છઠ્ઠો બોલર બન્યો છે. તેના પહેલા આ કારનામું યુઝવેન્દ્રચહલ, ભુવનેશ્વર કુમાર, જસપ્રીત બુમરાહ, આર અશ્વિન અને રવિન્દ્ર જાડેજા કરી ચુક્યા છે.
બીજી બાજુ, જો આપણે ભારત માટે T20આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ વિકેટ લેનારા બોલર વિશે વાત કરીએ, તો તે છે યુઝવેન્દ્ર ચહલ. યુઝવેન્દ્ર ચહલે ભારત માટે 60 T20મેચમાં 79 વિકેટ લીધી છે.

હાર્દિક પંડ્યાનું આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કરિયર
હાર્દિક પંડ્યા ટી20 વર્લ્ડ કપ 2021થી ટીમ ઈન્ડિયાની બહાર ચાલી રહ્યો હતો, પરંતુ તે ફરી એકવાર ટીમ ઈન્ડિયાનો મહત્વનો ભાગ બનીગયો છે.
હાર્દિક પંડ્યાએ ભારત માટે અત્યાર સુધી 66 T20 મેચોમાં 23.03ની એવરેજથી 806 રન બનાવ્યા છે અને 50 વિકેટ લીધી છે.
હાર્દિક પંડ્યાએ 66 ODI મેચો પણ રમી છે, જેમાં તેણે 1386 રન અને 63 વિકેટ લીધી છે. પંડ્યા 11 ટેસ્ટમાં પણ ટીમનો ભાગ રહ્યો છેજેમાં તેણે 532 રન અને 17 વિકેટ ઝડપી છે.
-
યુએસ-ઈરાન વાટાઘાટો: અમેરિકા અને ઈરાન વચ્ચે કેમ વાત ન બની? હોર્મુઝથી ન્યૂક્લિયર સુધી, આ 5 કારણોએ શાંતિનો માર્ગ -
યુ.એસ. ઈરાન વાટાઘાટો નિષ્ફળ થયા બાદ તેલના ભાવ વધ્યા -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો





Click it and Unblock the Notifications
