મેં જસપ્રીત બુમરાહને લાંચ આપવાની કોશિશ કરી હતી, આ ક્રિકેટરે કર્યો ઘટસ્ફોટ

ભારતે રોહિત શર્મા (44), ઈશાન કિશન (89) અને શ્રેયસ ઐયર (57)ની જોરદાર ઈનિંગ્સના આધારે માત્ર 2 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 6 વિકેટના નુકસાન સાથે 137 રન જ બનાવી શકી હતી.

નવી દિલ્હી : ભારત અને શ્રીલંકા વચ્ચે રમાઈ રહેલી દ્વિપક્ષીય શ્રેણી શરૂ થઈ ગઈ છે, જેની પ્રથમ મેચ લખનઉના શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં રમાઈ હતી. ટી 20 ફોર્મેટમાં રમાયેલી આ મેચમાં શ્રીલંકાએ ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે તેના પક્ષમાં ગયો ન હતો.

ભારતે રોહિત શર્મા (44), ઈશાન કિશન (89) અને શ્રેયસ ઐયર (57)ની જોરદાર ઈનિંગ્સના આધારે માત્ર 2 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા, જેના જવાબમાં શ્રીલંકાની ટીમ 6 વિકેટના નુકસાન સાથે 137 રન જ બનાવી શકી હતી.

ભારતીય ટીમે શ્રેણીની પ્રથમ મેચમાં 62 રને જોરદાર જીત મેળવીને શ્રેણીમાં 1-0 ની લીડ મેળવી હતી. આ મેચમાં ભારતીય ટીમને જીત અપાવવામાં જેટલી મહત્વની ભૂમિકા ભારતીય બેટ્સમેનોએ ભજવી હતી, તેટલું જ સારું પ્રદર્શન બોલર્સે પણ કર્યું હતું.

રોહિતે બોલિંગમાં 7 બોલર્સને અજમાવ્યા

રોહિતે બોલિંગમાં 7 બોલર્સને અજમાવ્યા

વિરાટ કોહલીની કેપ્ટન્સીમાં ભારત છઠ્ઠા બોલિંગ વિકલ્પની શોધમાં હતું અને તેને સતત સંઘર્ષ કરવો પડ્યો હતો, પરંતુ રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ મેનેજમેન્ટ આનબળાઈને દૂર કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. તેને જોતા ગુરુવારે ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ બોલિંગના 7 વિકલ્પોનો ઉપયોગ કર્યો હતો.

આટલું જ નહીં, તે16મી ઓવરમાં મેદાનની બહાર પણ ગયો હતો, ત્યારબાદ ટીમની કમાન વાઇસ કેપ્ટન બુમરાહ સંભાળી રહ્યો હતો. મેચ પછીના વિજેતા હીરો શ્રેયસ અય્યર સાથે વાતકરતા, પ્રસ્તુતકર્તાએ પ્રશ્ન કર્યો કે, સુકાની રોહિત જે રીતે તેના બોલિંગ વિકલ્પોનો ઉપયોગ કરી રહ્યો હતો તે જોતાં તેને બોલિંગ કરવાનું મન થતું નથી અને શું તેણેકેપ્ટન સાથે તેના વિશે વાત કરી હતી.

નોંધનીય છે કે, જસપ્રીત બુમરાહ સિવાય રોહિત શર્માએ શ્રીલંકા સામે ભુવનેશ્વર કુમાર, હર્ષલ પટેલ, યુઝવેન્દ્ર ચહલ, વેંકટેશ અય્યર, રવિન્દ્ર જાડેજા અને દીપક હુડાએબોલિંગ કરી હતી. જે દરમિયાન ભુવનેશ્વર અને વેંકટેશ ઐયરના ખાતામાં 2-2 વિકેટ હતી, જ્યારે રવિન્દ્ર જાડેજા અને યુઝવેન્દ્ર ચહલના ખાતામાં 1-1 વિકેટ હતી.

અય્યરે બુમરાહને લાંચ આપવા અંગે જણાવ્યું

અય્યરે બુમરાહને લાંચ આપવા અંગે જણાવ્યું

નોંધનીય છે કે, ગયા મહિને દક્ષિણ આફ્રિકા સામે રમાયેલી ODI શ્રેણી દરમિયાન શ્રેયસ અય્યરને છઠ્ઠા બોલિંગ વિકલ્પ તરીકે ઉપયોગ કરવામાં આવ્યો હતો.

આવી સ્થિતિમાં, જ્યારે તેને આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેણે કહ્યું કે, મેં બુમરાહ સાથે ડેથ ઓવરમાં બોલિંગ કરવા વિશે વાત કરી હતી, જોકે વસ્તુઓ તેના પક્ષમાં નહતી, તેને બોલિંગ મળી ન હતી.

તેણે કહ્યું, 'મેં બોલિંગ કરવા માટે પહેલેથી જ મારો હાથ ઊંચો કરી દીધો હતો, જ્યારે 16મી ઓવરમાં રોહિત ભાઈ આઉટ થયો ત્યારે તેણે બુમરાહને પહેલાથી જ કહી દીધુંહતું કે, બાકીની ઓવરો કયા બોલરોએ નાખવી. મેં બુમરાહ સાથે વાત કરી અને બોલિંગ કરવા માંગતો હતો પરંતુ તે કામ ન થયું, મેં બુમરાહને લાંચ આપવાનો પ્રયાસપણ કર્યો, પરંતુ તે મને બોલિંગ કરવા માટે ન માન્યો.

અય્યરે માત્ર 11 બોલમાં 33 રન બનાવ્યા

અય્યરે માત્ર 11 બોલમાં 33 રન બનાવ્યા

ઉલ્લેખનીય છે કે, શ્રીલંકા વિરૂદ્ધ પ્રથમ બેટિંગ કરતી વખતે જ્યાં ઈશાન કિશન અને રોહિત શર્માએ 111 રનની ભાગીદારી નોંધાવી હતી, ત્યાં રોહિતના આઉટ થયા બાદબેટિંગ કરવા આવેલા શ્રેયસ અય્યરે ઈનિંગ્સને સંભાળી અને સન્માનજનક સ્કોર સુધી પહોંચાડ્યો હતો.

શ્રેયસ અય્યરે તેની બેટિંગમાં 28 બોલનો સામનો કર્યો, જેમાં તેણે5 ચોગ્ગા અને 2 છગ્ગાની મદદથી અણનમ 57 રન બનાવ્યા હતા.

આ દરમિયાન તેની શરૂઆત ધીમી રહી હતી, જેમાં તેણે પહેલા 14 બોલમાં માત્ર 17 રન જ બનાવ્યાહતા. જોકે અય્યરે પછીના 11 બોલમાં 33 રન ઉમેર્યા હતા અને 25 બોલમાં તેની અડધી સદી પૂરી કરી હતી.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X