Preity Zintaને કારણે તૂટશે Dhoniનું દિલ!, મેદાન પહેલા જ ઓક્શનમાં થશે CSK VS PBKS વચ્ચે ટક્કર
IPL2025ના ખેલાડીઓની હરાજી થવાની છે, ત્યારે હાલ IPLની ફ્રેન્ચાઈઝીસ પોતાના ખેલાડીઓને રીટેઈન કરી રહી છે. ત્યારે મળતી માહિત મુજબ, પંજાબ કિંગ્સે IPL 2025 પહેલા માત્ર બે ખેલાડીઓને જાળવી રાખ્યા છે. આ જ કારણે પંજાબ કિંગ્સના પર્સમાં ઘણા પૈસા બચ્યા છે.
પ્રીતિ ઝિન્ટાની પંજાબ કિંગ્સ ટીમ 110.5 કરોડ રૂપિયાના જંગી બજેટ સાથે હરાજીમાં ઉતરવા જઈ રહી છે. આવી સ્થિતિમાં પંજાબની ટીમ રિષભ પંતને ખરીદવા પર નજર રાખશે.
પંજાબ ઉપરાંત ચેન્નાઈ સુપર કિંગ્સ પણ રિષભ પંત પર દાવ લગાવી શકે છે. પ્રીતિ ઝિન્ટાના કારણે DHONIનું દિલ તૂટી જશે, પંજાબ કિંગ્સ હરાજીના ટેબલમાં વધુ પૈસાના કારણે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સને હરાવી શકે છે.
વાસ્તવમાં સુરેશ રૈનાએ એક કાર્યક્રમ દરમિયાન કહ્યું હતું કે ચેન્નાઈની ટીમ ઋષભ પંતને ખરીદવા માંગે છે. રિષભ પંતને પણ ધોનીની ખૂબ નજીક માનવામાં આવે છે. પરંતુ પંજાબ કિંગ્સ પાસે વધુ પૈસા હોવાના કારણે ધોનીનું દિલ તૂટી શકે છે.

પંજાબ કિંગ્સે શશાંક સિંહને 5.5 કરોડ રૂપિયામાં અને પ્રભસિમરન સિંહને 4 કરોડ રૂપિયામાં રિટેન કર્યા છે. ટીમના નિર્ણયને કારણે કુલ રૂ. 9.5 કરોડનો ખર્ચ થયો, જેના કારણે તેમને હરાજી દરમિયાન ખર્ચ કરવા માટે ઘણી બધી રકમ મળી.
પંજાબ કિંગ્સના કોચ રિકી પોન્ટિંગ અને ઋષભ પંત વચ્ચે ખૂબ જ સારો સંબંધ છે, જે દિલ્હીમાં તેમના સમયનો છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ રિષભ પંતને ખરીદી શકે છે.
પંજાબ કિંગ્સ પાસે IPL 2025ની મેગા હરાજીમાં રૂ. 110.5 કરોડ સાથે સૌથી વધુ પૈસા છે, જે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ જેવી અન્ય ફ્રેન્ચાઈઝી કરતાં ઘણા વધુ પૈસા છે.
આરસીબી પાસે 83 કરોડ રૂપિયા છે જ્યારે દિલ્હીની ટીમ પાસે 73 કરોડ રૂપિયા છે. આવી સ્થિતિમાં આવનારી હરાજી ખૂબ જ મજેદાર રહેવાની આશા છે. મેગા ઓક્શન દરમિયાન રિષભ પંત આખરે કઈ ટીમનો ભાગ બને છે તે જોવું રસપ્રદ રહેશે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?






Click it and Unblock the Notifications
