IND Vs BAN : બાંગ્લાદેશ સામે આ બદલાવ સાથે ઉતરશે ટીમ ઈન્ડિયા, આ ખેલાડીઓને મળી શકે ચાન્સ
એશિયા કપમાં ભારતીય ટીમ શ્રીલંકા અને પાકિસ્તાનને હરાવીને સેમીફાઈનલમાં પહોંચી ગઈ છે. બીજી તરફ એક મેચ બાકી છે અને આ મેચમાં ભારતીય ટીમ કેટલાક ખેલાડીઓને ચાન્સ આપી શકે છે.
એશિયા કપની ફાઈનલ પહેલાની છેલ્લી મેચમાં ભારતીય ટીમમાં કેટલાક ફેરફાર સાથે મેદાન પર ઉતરી શકે છે. ભારત આ મેચને પ્રેક્ટિસ તરીકે જોઈ શકે છે. આ સ્થિતિમાં ભારત પાસે આ મેચમાં પોતાની બેન્ચ સ્ટ્રેન્થ ચકાસવાની તક હશે.

શ્રેયસ અય્યર આ મેચ પહેલા સંપૂર્ણ રીતે ફિટ થઈ ગયો છે અને તે નેટ્સ પર લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો છે. આવી સ્થિતિમાં અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે તે બાંગ્લાદેશ સામે મેદાનમાં ઉતરી શકે છે.
આ સિવાય ભારતીય ટીમે 17 સપ્ટેમ્બરે ફાઇનલ રમવાની છે. ટીમના કેટલાક સિનિયર ખેલાડીઓને ફાઈનલ પહેલા આરામ આપવામાં આવી શકે છે. પ્રથમ મેચમાં રાહુલે લાંબી ઇનિંગ્સ રમી હતી અને અણનમ સદી ફટકારી હતી. આ સ્થિતિમાં તેને આરામ આપીને શ્રેયસ અય્યરને તક આપવામાં આવી શકે છે. ઈશાન કિશન આ મેચમાં ભારત માટે વિકેટ કીપિંગ કરતો જોવા મળી શકે છે.
ભારતીય ટીમનો ભાગ રહેલા મોહમ્મદ શમી, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા અને પ્રસિદ્ધ કૃષ્ણ જેવા ખેલાડીઓને એશિયા કપમાં એક પણ મેચ રમવાની તક મળી નથી. આ સ્થિતિમાં આ ખેલાડીઓને તક મળી શકે છે. વર્લ્ડ કપ પહેલા ભારતીય ટીમ પાસે આ મેચ દ્વારા પોતાની બેન્ચ સ્ટ્રેન્થને પરખવાની શાનદાર છે.
ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ/મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ/મોહમ્મદ શમી.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા









Click it and Unblock the Notifications
