IND vs ENG : યશસ્વીન બાદ હવે બુમરાહનો છક્કો, 6 વિકેટ સાથે આવુ કરનારો પહેલો બોલર બન્યો
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વિશાખાપટ્ટનમમાં રમાઈ રહેલી બીજી ટેસ્ટમાં બેટિંગ બાદ બોલિંગમાં પણ ભારતે ધમાકો કર્યો છે. પહેલા યશસ્વીની બેવડી સદી અને હવે બુમરાહે છક્કો ફટકાર્યો છે.
જસપ્રીત બુમરાહ વિશાખાપટ્ટનમના મેદાન માટે ઈંગ્લેન્ટ માટે આતંકનું કારણ બન્યો. તેણે છ વિકેટ લેતા એક પછી એક બેટ્સમેનોને પેવેલિયન પરત મોકલી દીધા.

ટી ટાઈમ સુધીમાં ઈંગ્લેન્ડનો સ્કોર 4 વિકેટે 155 રન હતો. આ પછી બેન સ્ટોક્સ અને જોની બેરસ્ટો ક્રિઝ પર આવ્યા. બેયરસ્ટોએ બેઝબોલને પોતાનું હથિયાર બનાવવાનો પ્રયાસ કર્યો પરંતુ તે સફળ ન થયો. તે 25ના અંગત સ્કોર પર બુમરાહે ગિલના હાથે કેચ કરાવીને આઉટ કર્યો.
બુમરાહ ભારત તરફથી ટેસ્ટ ક્રિકેટમાં સૌથી ઝડપી 150 વિકેટ લેનારો બોલર બન્યો છે. તેણે બેન સ્ટોક્સને પોતાનો 150મો શિકાર બનાવ્યો. સ્ટોક્સને બુમરાહે બોલ્ડ કરીને પરત મોકલ્યો હતો. આ પછી તેણે પોતાની 5 વિકેટ પણ પૂરી કરી. ટોમ હાર્ટલી પાંચમી વિકેટ તરીકે આઉટ થયો. આ પછી તેણે એન્ડરસનને છઠ્ઠો શિકાર બનાવ્યો અને ઈંગ્લેન્ડનો સ્કોર 253 પર રોકી દીધો.
બીજા સેશનમાં બેન ફોક્સ ક્રિઝ પર આવ્યો પરંતુ કુલદીપ યાદવે તેને પોતાનો શિકાર બનાવ્યો. છઠ્ઠી વિકેટ પડ્યા બાદ બેન સ્ટોક્સે આક્રમક વલણ અપનાવ્યું અને કેટલાક આકર્ષક શોટ લગાવ્યા અને ઝડપી રન બનાવ્યા. જો કે તુ બુમરાહે આવીને 47 રન પર પરત મોકલી દીધો.
નિયમિત વિકેટ લેતા બુમરાહે પંજો ફટકાર્યો. એન્ડરસન છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો હતો. આ રીતે બુમરાહે છઠ્ઠી વિકેટ લીધી અને મુલાકાતી ટીમને 253 રનમાં આઉટ કરી દીધી. તેના સિવાય કુલદીપ યાદવે 3 વિકેટ ઝડપી. અશ્વિન અને મુકેશ કુમાર વિકેટ લઈ ન શક્યા. અક્ષર પટેલે એક ખેલાડીને આઉટ કર્યો. આમ ભારતને પ્રથમ દાવના આધારે 143 રનની લીડ મળી.
ભારતીય ટીમે આજે તેની બીજી ઇનિંગ દરમિયાન 5 ઓવર રમીને 28 રન બનાવ્યા હતા. રોહિત શર્મા 13 રન અને યશસ્વી જયસ્વાલ 15 રન બનાવીને અણનમ પરત ફર્યા હતા. ટીમ ઈન્ડિયાની કુલ લીડ 171 રન છે.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના











Click it and Unblock the Notifications
