IND vs ENG: મહાન સ્પિનરની ભવિષ્યવાણી, આટલા રન પર ઑલ આઉટ થઈ જશે ઈંગ્લેન્ડની ટીમ
IND vs ENG: મહાન સ્પિનરની ભવિષ્યવાણી, આટલા રન પર ઑલ આઉટ થઈ જશે ઈંગ્લેન્ડની ટીમ
IND vs ENG: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે ચેન્નઈમાં ચાલી રહેલ પહેલી ટેસ્ટ મેચના પહેલા દિવસ બાદ ઓસ્ટ્રેલિયાઈ ટીમના પૂર્વ સ્પિનર શેન વોર્ને એક વડી ભવિષ્યવાણી કરી છે. મહાન સ્પિનર વૉર્ને આ મેચની પહેલી ઈનિંગમાં ભારત અને અને ઈંગ્લેન્ડ કેટલા કેટલા રન પર ઑલ આઉટ થઈ જશે તે જમાવ્યું. મેચના પહેલા દિવસ બાદ કરાયેલ ટ્વીટમાં શેન વોર્ને કહ્યું કે મેહમાન ટીમ 157 રન પર ઑલ આઉટ થઈ જશે.
મહાન સ્પિનરની ભવિષ્યવાણી
શેન વોર્ને ટ્વીટ કરતા લખ્યું કે, "મારું અનુમાન છે કે ચેન્નઈમાં ઈંગ્લેન્ડ અને ભારત વચ્ચે રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચમાં આજે ભારત 359 રન પર ઑલ આઉટ થશે અને ટી બ્રેક બાદ ફરીથી બેટિંગ કરવા ઉતરી શકે છે, કેમ કે ઈંગ્લેન્ડની ટીમ 157 રન પર ઑલ આઉટ થઈ જશે." ચેન્નઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં રમાઈ રહેલ બીજી ટેસ્ટ મેચના પહેલા દિવસે ભારતે 6 વિકેટ ગુમાવી 300 રન બનાવ્યા હતા, જેમાં અડધાથી વધુ રન રોહિત શર્માએ બનાવ્યા હતા.
ભારતે સારી શરૂઆત કરી હતી
નોંધનીય છે કે મેચના પહેલા દિવસના આખરી સત્રના છેલ્લા કલાકમાં ભારતની ત્રણ વિકેટ પડી ગઈ હતી, જેમાં રોહિત શર્મા (161), અજિંક્ય રહાણે (67), અને આર અશ્વિન (15)નું નામ સામેલ હતું. ચેન્નઈની આ પિચ પર પહેલા દિવસથી સ્પિનર્સને ટર્ન મળવા લાગ્યો હતો. જ્યારે પેસર બોલિંગને આ પિચ પરથી વધુ મદદ નથી મળી. મેચના પહેલા દિવસે મોઈન અલી અને જૈક લીચે 2-2 સફળતા હાંસલ કરી પરંતુ મોઈન અલીને બહુ ધોયા.
તો ભવિષ્યવાણી સાચી પડશે
ભારત પાસે સ્પિન વિભાગમાં આર અશ્વિન, કુલદીપ યાદવ અને અક્ષર પટેલ છે, જ્યારે પેસરના રૂપમાં ઈશાંત શર્મા અને મોહમ્મદ સિરાજ છે. એવામાં ઈંગ્લેન્ડની ટીમ સ્પિનરની આ તિકડીથી કેવી રીતે બચશે તે જોવાનું રહેશે. જો સ્પિનરની આ તિકડી ચાલી ગઈ તો શેન વોર્નની ભવિષ્યવાણી સાચી પડી શકે છે.
ક્રિકેટ પ્રેમ? સાબિત કરો. માયખેલ ક્રિકેટ ફેન્ટસી ક્રિકેટ રમો