IND vs ENG : બીજી ટેસ્ટ પહેલા ઈજાથી ટીમ પરેશાન, આ બે સ્ટાર ટીમમાંથી બહાર
ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. એક સાથે ટીમમાંથી બે સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે બહાર થયા છે.
અહેવાલો અનુસાર, ઈજાના કારણે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાંથી બહાર થઈ થઈ ગયા છે. આ બન્નેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.

બંનેની ગેરહાજરીથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલા જ હૈદરાબાદમાં 28 રનથી શરમજનક હારનો સામનો કરી ચુકી છે.
ભારતીય સેટઅપમાં મુખ્ય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ સિવાય કેએલ રાહુલના જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજાને કારણે તે પણ ટીમમાંથી બહાર થયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર, BCCI મેડિકલ ટીમ બંને ખેલાડીઓની હાલત પર દેખરેખ રાખી રહી છે. આ ઇજાઓ બાદ પસંદગી સમિતિએ ઝડપથી પગલાં લીધાં છે અને તેમાં મુંબઈના ક્રિકેટર સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે.
સૌરભ કુમાર ડાબોડી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર છે અને ઉત્તર પ્રદેશનો છે. તેને સરફરાઝ સાથે મળીને ભારત તરફથી પહેલી વખત એન્ટ્રી મળી રહી છે.
આ ખેલાડીઓનો હેતુ જાડેજા અને રાહુલની ગેરહાજરીની અસરને ઘટાડવાનો છે, જે ટીમની લાઇનઅપને ઊંડાણ અને બહુમુખી પ્રતિભા પ્રદાન કરશે. જો કે આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના ઓછી છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
