Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IND vs ENG : બીજી ટેસ્ટ પહેલા ઈજાથી ટીમ પરેશાન, આ બે સ્ટાર ટીમમાંથી બહાર

ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. એક સાથે ટીમમાંથી બે સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે બહાર થયા છે.

અહેવાલો અનુસાર, ઈજાના કારણે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાંથી બહાર થઈ થઈ ગયા છે. આ બન્નેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.

India test team

બંનેની ગેરહાજરીથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલા જ હૈદરાબાદમાં 28 રનથી શરમજનક હારનો સામનો કરી ચુકી છે.

ભારતીય સેટઅપમાં મુખ્ય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ સિવાય કેએલ રાહુલના જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજાને કારણે તે પણ ટીમમાંથી બહાર થયો છે.

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર, BCCI મેડિકલ ટીમ બંને ખેલાડીઓની હાલત પર દેખરેખ રાખી રહી છે. આ ઇજાઓ બાદ પસંદગી સમિતિએ ઝડપથી પગલાં લીધાં છે અને તેમાં મુંબઈના ક્રિકેટર સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે.

સૌરભ કુમાર ડાબોડી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર છે અને ઉત્તર પ્રદેશનો છે. તેને સરફરાઝ સાથે મળીને ભારત તરફથી પહેલી વખત એન્ટ્રી મળી રહી છે.

આ ખેલાડીઓનો હેતુ જાડેજા અને રાહુલની ગેરહાજરીની અસરને ઘટાડવાનો છે, જે ટીમની લાઇનઅપને ઊંડાણ અને બહુમુખી પ્રતિભા પ્રદાન કરશે. જો કે આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના ઓછી છે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X