IND vs ENG : બીજી ટેસ્ટ પહેલા ઈજાથી ટીમ પરેશાન, આ બે સ્ટાર ટીમમાંથી બહાર
ઈંગ્લેન્ડ સામે વિશાખાપટ્ટનમમાં રમાનારી બીજી ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાને મોટો ઝટકો લાગ્યો છે. એક સાથે ટીમમાંથી બે સ્ટાર ખેલાડીઓ ઈજાના કારણે બહાર થયા છે.
અહેવાલો અનુસાર, ઈજાના કારણે કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજા બીજી ટેસ્ટમાંથી બહાર થઈ થઈ ગયા છે. આ બન્નેના રિપ્લેસમેન્ટની જાહેરાત કરી દીધી છે.

બંનેની ગેરહાજરીથી ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ટીમ પહેલા જ હૈદરાબાદમાં 28 રનથી શરમજનક હારનો સામનો કરી ચુકી છે.
ભારતીય સેટઅપમાં મુખ્ય ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાને પ્રથમ ટેસ્ટના ચોથા દિવસે હેમસ્ટ્રિંગમાં ઈજા થઈ હતી. આ સિવાય કેએલ રાહુલના જમણા ક્વાડ્રિસેપ્સમાં ઈજાને કારણે તે પણ ટીમમાંથી બહાર થયો છે.
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ અનુસાર, BCCI મેડિકલ ટીમ બંને ખેલાડીઓની હાલત પર દેખરેખ રાખી રહી છે. આ ઇજાઓ બાદ પસંદગી સમિતિએ ઝડપથી પગલાં લીધાં છે અને તેમાં મુંબઈના ક્રિકેટર સરફરાઝ ખાન, સૌરભ કુમાર અને વોશિંગ્ટન સુંદરનો સમાવેશ કરાયો છે.
સૌરભ કુમાર ડાબોડી સ્પિન-બોલિંગ ઓલરાઉન્ડર છે અને ઉત્તર પ્રદેશનો છે. તેને સરફરાઝ સાથે મળીને ભારત તરફથી પહેલી વખત એન્ટ્રી મળી રહી છે.
આ ખેલાડીઓનો હેતુ જાડેજા અને રાહુલની ગેરહાજરીની અસરને ઘટાડવાનો છે, જે ટીમની લાઇનઅપને ઊંડાણ અને બહુમુખી પ્રતિભા પ્રદાન કરશે. જો કે આ ખેલાડીઓને પ્લેઈંગ ઈલેવનમાં જગ્યા મળવાની સંભાવના ઓછી છે.
-
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર? -
New LPG Booking Rules: 'હવે 35 દિવસ પહેલા બુક નહીં થાય સિલિન્ડર', બદલાયા LPG બુકિંગના નિયમ -
ગુજરાતમાં યુનિફોર્મ સિવિલ કોડ લાગુ કરવા સરકાર એક્શનમાં, વિધાનસભામાં બિલ આપશે -
Weather News: આગામી 24 કલાકમાં ભારે વરસાદની આગાહી, 80ની ઝડપે ફૂંકાશે પવન, UP-બિહાર સહિત 7 રાજ્યોમાં એલર્ટ -
Petrol Diesel Price: 25 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
No LPG Crisis: 'હોર્મુઝથી 4-5 દિવસમાં 5 LPG જહાજ ભારત આવશે', સરકારની મોટી જાહેરાત, LPG અછતને 'બાય-બાય'?








Click it and Unblock the Notifications
