IND vs ENG : ટેસ્ટ સિરીઝ અડધે મુકીને પરત ફરશે ઈંગ્લેન્ડની ટીમ, જાણો કેમ?
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાયેલી બીજી ટેસ્ટમાં ભારતની જીત થઈ છે. ભારતે આ જીત સાથે સિરીઝ સરભર કરી લીધી છે. જો કે હવે અહેવાલો આવી રહ્યા છે કે સિરીઝ વચ્ચે જ ઈંગ્લેન્ડની ટીમ પરત ફરી રહી છે.
બીજી ટેસ્ટ મેચ પણ પાંચ દિવસ ન ચાલી. પ્રથમ ટેસ્ટ પણ માત્ર ચાર દિવસમાં પુરી થઈ હતી. ઈંગ્લેન્ડની ટીમ હવે અબુ ધાબી પરત ફરવા જઈ રહી છે. ત્યાં ખેલાડીઓ પોતાના પરિવાર સાથે સમય વિતાવશે.

ભારત આવતા પહેલા પણ ઈંગ્લિશ ટીમ અબુધાબીમાં હતી. ટેસ્ટ શ્રેણીની તૈયારી માટે ત્યાં એક શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. ઈંગ્લેન્ડના ખેલાડીઓ ત્યાં હતા અને તૈયારી કરીને ભારત આવ્યા છે. હવે ફરી એકવાર ઇંગ્લિશ ટીમ ત્યાં જવાની છે. પ્રેક્ટિસની સાથે તમને પરિવાર સાથે સમય વિતાવવાનો મોકો મળશે.
બીજી અને ત્રીજી ટેસ્ટ મેચ વચ્ચે ઘણો સમય છે. ત્રીજી ટેસ્ટ મેચ 15 ફેબ્રુઆરીએ રમાશે. આ સ્થિતિમાં ઈંગ્લેન્ડની ટીમે આ પ્લાન પહેલાથી જ વિચારી લીધો હતો. બીજી ટેસ્ટ બાદ અબુ ધાબી જવાનો પ્લાન પહેલાથી જ નક્કી કરવામાં આવ્યો હતો. ઈંગ્લિશ ટીમ ત્રીજી મેચ માટે ભારત પરત ફરશે.
પ્રથમ ટેસ્ટ મેચમાં ઓપી પોપે ઈંગ્લેન્ડ માટે શાનદાર બેટિંગ કરી હતી અને બીજી ઈનિંગમાં 196 રન બનાવ્યા હતા પરંતુ બીજી ટેસ્ટમાં તે બંને ઈનિંગમાં ફ્લોપ રહ્યો. પોપ ઉપરાંત મહત્વના બેટ્સમેન જો રૂટ અને બેન સ્ટોક્સના બેટ પણ નિષ્ફળ રહ્યા. બંને દાવમાં માત્ર જેક ક્રાઉલી જ ફિફ્ટી ફટકારી શક્યો.












Click it and Unblock the Notifications
