IND vs SL : શ્રીલંકા સામે આવી હશે ભારતીય ટીમ, આ ખેલાડીને બનાવાઈ શકે છે કેપ્ટન
ઝિમ્બાબ્વેના પ્રવાસ બાદ ભારતીય ટીમ શ્રીલંકાના પ્રવાસે જવાની છે. આ ટીમમાં નવા કેપ્ટનને લઈને ઘણી અટકળો લાગી રહી છે.
ઝિમ્બાબ્વે સામેની પાંચ મેચની T20 શ્રેણી બાદ ટીમ ઈન્ડિયા શ્રીલંકાનો પ્રવાસ કરશે. શ્રીલંકામાં ભારતીય ટીમે ત્રણ મેચની ટી20 શ્રેણી અને 3 મેચની વનડે શ્રેણી રમવાની છે.

હાર્દિક પંડ્યા શ્રીલંકા સામેની ટી-20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો કેપ્ટન બની શકે છે. જ્યારે જસપ્રીત બુમરાહને આ શ્રેણીમાં આરામ મળી શકે છે. આ સિવાય શિવમ દુબે પણ આ શ્રેણીમાંથી બહાર રહી શકે છે.
ઝિમ્બાબ્વે સામેની ટીમની વાત કરીએ તો અભિષેક શર્મા, રિયાન પરાગ, તુષાર દેશપાંડે માટે શ્રીલંકા માટે ટિકિટ મેળવવી ઘણી મુશ્કેલ છે. 2026 T20 વર્લ્ડ કપને ધ્યાનમાં રાખીને શ્રીલંકા સામે ભારતની 15 સભ્યોની ટીમની પસંદગી કરવામાં આવી શકે છે.
વિશ્વ વિજેતા ટીમના સભ્ય ઋષભ પંત, સૂર્યકુમાર યાદવ, યશસ્વી જયસ્વાલ, સંજુ સેમસન, કુલદીપ યાદવ અને અર્શદીપ સિંહ શ્રીલંકા શ્રેણીમાં રમતા જોવા મળી શકે છે.
ટીમ ઈન્ડિયાના પૂર્વ સ્ટાર ઓપનર ગૌતમ ગંભીર હવે ટીમ ઈન્ડિયાના નવા હેડ કોચ છે. રોહિત શર્માની T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિ બાદ હવે હાર્દિક પંડ્યાને T20નો નવો કેપ્ટન જાહેર કરવામાં આવી શકે છે. ઋષભ પંત પણ કેપ્ટન બનવાના દાવેદારોમાં સામેલ છે. હાર્દિકની સતત ઈજા તેના કેપ્ટન બનવામાં અડચણ બની શકે છે.
શ્રીલંકા સામેની T20 શ્રેણીમાં બેટિંગમાં શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ અને રિંકુ સિંહનો સમાવેશ થઈ શકે છે. રિષભ પંત અને સંજુ સેમસન બે વિકેટકીપર બની શકે છે.
આ સિવાય અક્ષર પટેલના રૂપમાં સ્પિન ઓલરાઉન્ડર અને વોશિંગ્ટન સુંદર અને કુલદીપ યાદવ મુખ્ય સ્પિનર બની શકે છે. જ્યારે ફાસ્ટ બોલિંગ વિભાગમાં અરશદીપ સિંહ, અવેશ ખાન અને મોહમ્મદ સિરાજની સાથે ખલીલ અહેમદ અથવા મુકેશ કુમારને સ્થાન મળી શકે છે.
ભારતની 15 સભ્યોની સંભવિત ટીમ
શુભમન ગિલ, યશસ્વી જયસ્વાલ, રુતુરાજ ગાયકવાડ, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા (કેપ્ટન), રિંકુ સિંહ, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, અવેશ ખાન, મોહમ્મદ સિરાજ અને ખલીલ અહેમદ/મુકેશ કુમાર.
-
Flight Fare: સરકારે ફ્લાઈટના ભાડા પરથી હટાવ્યું નિયંત્રણ, એરલાઈન્સને મળી ખુલ્લી છૂટ, શું વધશે ટિકિટના ભાવ? -
Mumbai Ahmedabad Bullet Train: બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હવે પકડશે રોકેટ જેવી રફ્તાર, જાણો લેટેસ્ટ અપડેટ -
Flight tickets: પેટ્રોલ-LPG પછી હવે મોંઘી થશે હવાઈ મુસાફરી? ઉડ્ડયન મંત્રીએ આપ્યો આ જવાબ -
IPL 2026: કઈ ટીમનું નેતૃત્વ કોણ કરશે? ઈશાન કિશનથી લઈને ઋતુરાજ સુધીના તમામ કેપ્ટનોની યાદી, જાણો -
Weather News: યુપી-એમપી-બિહાર સહિત 8 રાજ્યોમાં ભારે વરસાદનો કહેર, જાણો હવામાન વિભાગની આગાહી -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
Middle East Crisis: PM મોદી એક્શન મોડમાં, ક્રૂડ ઓઈલ, ગેસ અને ફર્ટિલાઈઝરની સપ્લાય પર મોટો નિર્ણય! -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
World Water Day 2026: ઉનાળાના પ્રારંભે ગુજરાતના જળાશયોમાં કેટલું પાણી? જાણો 207 ડેમની લેટેસ્ટ સ્થિતિ -
Dhurandhar 2 BO Collection Day 3: ત્રીજા દિવસે રણવીર સિંહની 'ધુરંધર 2'એ મચાવી ધમાલ, કમાણીએ તોડ્યા રેકોર્ડ -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ








Click it and Unblock the Notifications
