T20 World Cup 2026 : હાર બાદ પણ ભારત સેમિફાઈનલમાં પહોંચી શકે છે, જાણો તમામ સમીકરણ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી મેચમાં દક્ષિણ આફ્રિકા સામે ભારતનો 76 રને પરાજય થયો છે. 188 રનના લક્ષ્યાંક સામે ટીમ ઈન્ડિયા માત્ર 111 રનમાં સમેટાઈ ગઈ હતી.
ટી20 વર્લ્ડ કપના ઇતિહાસમાં રનના માર્જિનથી ભારતની આ સૌથી મોટી હાર માનવામાં આવે છે. આ હારના કારણે ટીમ ઈન્ડિયાના નેટ રન-રેટ (NRR) પર પણ નકારાત્મક અસર પડી છે.

સુપર-8માં આંચકો લાગવા છતાં સૂર્યકુમાર યાદવની કેપ્ટન્સી હેઠળની ભારતીય ટીમ હજુ પણ રેસમાં છે. ભારત માટે સેમિફાઇનલનો માર્ગ અત્યારે ઝિમ્બાબ્વે અને વેસ્ટ ઇન્ડીઝની મેચો પર ટકેલો છે.
ભારતે જો અંતિમ ચારમાં સ્થાન મેળવવું હોય તો હવે પછીની બંને મેચો જીતવી અનિવાર્ય છે. આ સાથે દક્ષિણ આફ્રિકાની ટીમ બાકીની તમામ મેચો જીતે તે ભારત માટે ફાયદાકારક રહેશે.
જો આફ્રિકા ગ્રુપમાં ટોપ પર રહે તો ભારત 4 પોઈન્ટ સાથે બીજા ક્રમે રહીને ક્વોલિફાય કરી શકશે. આવા સંજોગોમાં વેસ્ટ ઇન્ડીઝ અને ઝિમ્બાબ્વેની ટીમ વધુમાં વધુ 2 પોઈન્ટ સુધી જ પહોંચી શકશે.
પરંતુ જો આફ્રિકા તેની આગામી મેચ હારી જાય તો પોઈન્ટ ટેબલમાં ભારે ગૂંચવણ ઊભી થઈ શકે છે. આવી સ્થિતિમાં ત્રણ ટીમોના 4-4 પોઈન્ટ થવાની પૂરેપૂરી સંભાવનાઓ રહેલી છે.
જ્યારે પોઈન્ટ સમાન હોય ત્યારે રન-રેટ જ સેમિફાઇનલનો ફેંસલો કરશે, જે હાલ ભારતનો ઘણો ઓછો છે. તેથી હવે ભારતે આગામી મેચો માત્ર જીતવી જ નહીં પણ મોટા અંતરથી જીતવી પડશે.












Click it and Unblock the Notifications
