IND vs SL : એશિયા કપમાં સુપર 4 માં ભારતનો બીજો મુકાબલો શ્રીલંકા સામે, ટીમ ઇન્ડિયા માટે કરો યા મરો વાળી મેચ
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશ
પાકિસ્તાન સામેની હાર બાદ ભારતીય ટીમને એશિયા કપમાં કાયમ રહેવા માટે દરેક મુકાબલો કરો યા મરો નો હશે. એક હાર તેને ફાઇનલની રેસમાથી બહાર કરી શકે છે. સાત બાર ની વિજેતા ટીમ જ્યારે મંગળવારે સુપર ફોર મુકાબલામાં શ્રીલંકા સામે ઉતરશે. તેને તેના બોલરો પાસે સર્વશ્રેષ્ઠ પ્રદર્શનનુ ઉમીદ હશે. હવે તેના માટે ટૂર્નામેન્ટમાં કાયમ રહેવા માટે વધુ પ્રયોગની કરવાની તક પણ નથી રહી.

ઇજાગ્રસ્ત રવિંદ્ર જાડેજા, હર્ષલ પટેલ, અને જસપ્રીત બુમરાહની ગેર હાજરીમાં ભઆરત પાસે બોલરોને રમાડવાની વધુ વિકલ્પ પણ નથી રહ્યા. ભારત પાસે જે બોલર છે તેમા સતત કમી જોવા મળે છે. ખાસ કરીને યુજવેન્દ્ર ચહલ અત્યારે ચિંતાઓની કારણ હશે. પાકિસ્તાન વિરુધ રવિવારે પાંચ બોલરો સાથે રમવુ પણ ભારતને રાસ ના આવ્યુ.તેને વધારે એક ફાસ્ટ બોલરની કમી અનુભાવી હતી. ખાસ કરીને ભૂવનેશ્વર કુમાર અને હાર્દિક પંડ્યા સામે અસફળ થયા બાદ છઠા બોલરની કમીનો અનુભવ થયો હતો.
શરૂઆતના મુકાબલામાં હારનો સામનો કર્યા બાદ શ્રીલંકાએ બાંગ્લાદેશ અને અફગાનિસ્તાન રસાકસી ભરેલા મુકાબલામાં બાદ તે ફોર્મમાં આવી ગઇ છે. ત્રીજા નંબરના બેસ્ટમેન્ ચરિત આસલંફાને છોડીને શ્રીલંકાના બેસ્ટમેન પ્રભાવ પાડવામાં સફળ રહ્યા છે. બાંગ્લાદેશ વિરુધ કેપ્ટન દસુન શનાકા અને કુસાલ મેડિસ અને અફગાનિસ્તાન વિરુદ્ધ ધનુષ્ક ગુણતિલકે અને ભાનુકા રાજપક્ષે પ્રભાવી રમત રમી હતી.
કોચ ક્રિસ સિલ્વારવડની ટીમ હવે રાહતનો શ્વાસ લેશે હવે તે કોઇ પણ પરિસ્થિતિમાં જીત મેળવી શકે છે. આ જ કારણ છે ભારતને શ્રીલંકા સામે સતર્ક રહેવું પડશે. શનાકાએ અફગાનિસ્તાન વિરુદ્ધ સારુ પ્રદર્શન કર્યા બાદ ડ્રેસિંગ રૂમમાં ખુશીનો માહોલ જામી ગયો હતો. તેને લાગે છે. ટીમ તરીકે તે કોઇ પણ લક્ષ્યનો પીછો કરી શકે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
સોનિયા ગાંધીએ સરકારના સીમાંકન પ્રસ્તાવને બંધારણ પર ખતરનાક હુમલો ગણાવ્યો -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા







Click it and Unblock the Notifications
