Indian Team for Sri Lanka Tour : શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત, આ ખેલાડીને કમાન સોંપાઈ
Indian Team for Sri Lanka Tour: શ્રીલંકા પ્રવાસ માટે ભારતીય ટીમની જાહેરાત કરી દેવાઈ છે. કેપ્ટનશિપને લઈને વિવાદોના અહેવાલો વચ્ચે સુર્યકુમાર યાદવને t20 ટીમની કેપ્ટનશિપ સોંપી દેવાઈ છે.
ત્રણ વનડે અને 3 T20 મેચોની શ્રેણી માટે ભારતીય ટીમની જાહેરાત કરવામાં આવી છે. ભારતીય ટીમમાં વનડે શ્રેણી માટે રોહિત શર્મા, વિરાટ કોહલી જેવા દિગ્ગજ ખેલાડીઓનો સમાવેશ કરાયો છે.

બીજી તરફ ટી-20 સિરીઝ માટે સૂર્યકુમાર યાદવને કેપ્ટન બનાવવામાં આવ્યો છે. ટી20 ટીમમાં હાર્દિક પંડ્યાનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.
રસપ્રદ વાત એ છે કે શુભમન ગીલને t20માં વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. શ્રેયસ ઐયરની વાપસી થઈ છે અને રિયાન પરાગનો વનડેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.
આ ટીમમાં શુભમન ગિલને T20 અને ODI બંને માટે વાઇસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આનો અર્થ એ થયો કે ગીલને ભવિષ્યની યોજનાઓમાં કેપ્ટનશિપ માટે તૈયાર કરવામાં આવી રહ્યોં છે. હાર્દિક પંડ્યાનો વનડે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો નથી.
ભારતની T20 ટીમ
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), શુભમન ગિલ (વાઈસ-કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, રિંકુ સિંહ, રિયાન પરાગ, ઋષભ પંત (વિકેટકીપર), સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, ખલીલ અહેમદ, મોહમ્મદ સિરાજ
ભારતની ODI ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગીલ (વાઈસ-કેપ્ટન), વિરાટ કોહલી, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), શ્રેયસ અય્યર, શિવમ દુબે, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, વોશિંગ્ટન સુંદર, અર્શદીપ સિંહ, રાયન પરાગ, અક્ષર પટેલ, ખલીલ અહેમદ, હર્ષિત રાણા
જણાવી દઈએ કે, હાર્દિક પંડ્યાએ પોતાને ODI શ્રેણીમાંથી બાકાત રાખવા કહ્યું હતુ. આ કારણોસર તેને ટીમમાં સામેલ કરવામાં આવ્યો નથી. શ્રેયસ ઐયરની વાપસી ટીમ ઈન્ડિયાને અનુભવ અને તાકાત આપશે. અય્યરને હવે વાર્ષિક કોન્ટ્રાક્ટ પણ મળશે.
રણજી ટ્રોફીમાં ન રમવા બદલ અય્યરને કરારમાંથી મુક્ત કરવામાં આવ્યો હતો. હવે તેના માટે બધું બરાબર ચાલી રહ્યું છે. ભારતીય ટીમ 27 જુલાઈએ શ્રીલંકા પ્રવાસ પર પ્રથમ T20 મેચ રમશે.
બીજી T20 મેચ 28મીએ અને ત્રીજી મેચ 30મી જુલાઈએ રમાશે. વનડે શ્રેણીની પ્રથમ મેચ 2 ઓગસ્ટે રમાશે. બીજી મેચ 4ઠ્ઠી અને ફાઈનલ મેચ 7મી ઓગસ્ટે રમાશે.
-
ગુજરાત ભાજપના મીડિયા વિભાગમાં ફેરફાર, નવા સહ-પ્રવક્તા અને ઇન્ચાર્જની નિમણૂક -
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
Jewar Airport: આવતીકાલે ખુલશે એશિયાનું સૌથી મોટું એરપોર્ટ! PM માટે સુરક્ષાનો અભેદ્ય કિલ્લો, ક્યારે ટેકઓફ થશે ફ







Click it and Unblock the Notifications
