સેહવાગે જણાવ્યું કે કેમ યુવરાજ સિંહ પંજાબના કેપ્ટન બન્યા નહીં
આર અશ્વિન ને આઇપીએલ 11 માટે કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની આપવામાં આવી છે. ફેસબૂક લાઈવ ઘ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેન્ચાઇઝી ઘ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી
આર અશ્વિન ને આઇપીએલ 11 માટે કિંગ્સ ઇલેવન પંજાબની કપ્તાની આપવામાં આવી છે. ફેસબૂક લાઈવ ઘ્વારા કિંગ્સ ઇલેવન પંજાબ ફ્રેન્ચાઇઝી ઘ્વારા તેની જાહેરાત કરવામાં આવી હતી. આ દરમિયાન ટીમ ડાયરેક્ટર વીરેન્દ્ર સેહવાગ સાથે આર અશ્વિન પણ હાજર હતા. આ પહેલા આર અશ્વિન ચેન્નાઇ સુપર કિંગ્સનો ભાગ હતા. પરંતુ ચેન્નાઇ પર બે વર્ષનો પ્રતિબંધ લાગવાથી તેઓ પુણે સુપર જાયન્ટ નો હિસ્સો બની ગયા.

આપણે જણાવી દઈએ કે આર અશ્વિન ને કેપ્ટન બનાવતા પહેલા ચર્ચા હતી કે પંજાબ પોતાના જુના સાથી યુવરાજ સિંહને કેપ્ટન બનાવી શકે છે. પરંતુ એવું થયું નહીં. હવે જાતે ટીમ ડાયરેક્ટર વીરેન્દ્ર સેહવાગ ઘ્વારા જણાવવામાં આવ્યું છે કે 90 ટકા લોકોની પસંદ યુવરાજ સિંહ હોવા છતાં તેમને કેપ્ટન કેમ બનાવવામાં આવ્યા નહીં.
ધ્યાન આપવા જેવી બાબત છે કે આઇપીએલ નીલામી દરમિયાન ચેન્નાઇ માટે કોઈ પણ બોલી લગાવવામાં આવી નહીં. ત્યારપછી આર અશ્વિન ને પંજાબની ટીમે 7.6 કરોડ રૂપિયામાં ખરીદ્યો. જયારે યુવરાજ સિંહ ને પંજાબે માત્ર 2 કરોડ રૂપિયાની બેઝ પ્રાઈઝમાં ખરીદ્યો હતો.
ફેસબૂક લાઈવ દરમિયાન વીરેન્દ્ર સેહવાગ ઘ્વારા જણાવવામાં આવ્યું કે યુવરાજ સિંહ તેમના ખુબ જ સારા મિત્ર છે. પરંતુ જયારે વાત ક્રિકેટ વિશે આવે છે ત્યારે દોસ્તી બાજુ પર રાખીને વિચારવું પડે છે અને અમને લાગ્યું કે આર અશ્વિન એક સારા કેપ્ટન સાબિત થશે એટલા માટે તેમની પસંદગી કરવામાં આવી.
સેહવાગે જણાવ્યું કે જયારે કેપ્ટન નામ વિશે ચર્ચા થઇ ત્યારે યુવરાજ સિંહનું નામ પણ સામે આવ્યું હતું. પરંતુ અમારા સપોર્ટ સ્ટાફના વધારે લોકો ઇચ્છતા હતા કે અશ્વિન પંજાબની કપ્તાની કરે. હું પણ પહેલાથી ઈચ્છતો હતો કે ટીમનું કેપ્ટન પદ કોઈ બોલરને સોંપવામાં આવે કારણકે હું વસીમ અક્રમ, વકાર યુનુસ, અને કપિલ દેવનો ફેન છું. તેમને પોતાની ટીમ માટે શાનદાર પ્રદર્શન કર્યું હતું. અમને આશા છે કે અશ્વિન પણ કિંગ્સ ઇલેવન પંજાબ માટે સારું પ્રદર્શન કરશે.
-
રિયાન પરાગ આઉટ, યશસ્વી જયસ્વાલ ઇન? RRના નવા માલિક આવતા જ બદલાઈ ગયો કેપ્ટન? સામે આવી અસલી સચ્ચાઈ -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
યુદ્ધ વચ્ચે મોંઘવારીનો માર, નાયરા એનર્જીએ પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
Gold Rate Today: આજે રામનવમી પર સોનાના ભાવમાં આવ્યો ઉછાળો, જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
Dhurandhar 2 BO Collection Day 7: 'ધુરંધર 2'નો બોક્સ ઓફિસ પર દબદબો, 7માં દિવસે કરી આટલી કમાણી -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત









Click it and Unblock the Notifications
