IPL 2020: રવિચંદ્રન અશ્વિને કહ્યું તે ફરી બેટ્સમેનોને ‘માંકડ’ કરશે
IPL 2020: રવિચંદ્રન અશ્વિને કહ્યું તે ફરી બેટ્સમેનોને ‘માંકડ’ કરશે
રવિચંદ્રન અશ્વિને આઈપીએલ 2019માં રાજસ્થાન રોયલ્સના જોસ બટલરની માંકડેડ રીતે આઉટ કર્યા હતા. અશ્વિન ત્યારે કિંગ્સ ઈલેવન પંજાબના કેપ્ટન હતા, અને હવે આઈપીએલ 2020માં તે દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા દેખાશે. પરંતુ ગત વર્ષે આકરી પ્રતિક્રિયા છતાંય અશ્વિને પોતાનું વલણ નથઈ બદલ્યું. તેમણે કહ્યું કે તેઓ 2020માં પણ બેટ્સમેનને માંકડિંગથી આઉટ કરશે. અશ્વિને હેશટેગ #akash સાથે પોતાના ફેન્સને ટ્વિટર પર સવાલોના જવાબ આપ્યા હતા.

આ દરમિયાન જ એક પ્રશંસકે સવાલ કર્યો કે કોઈ બેટ્સમેન એવો છે, જેને તમે માંકડિંગથી આઉટ કરશો ? તો અશ્વિને જવાબ આપ્યો, કોઈ પણ વ્યક્તિ જે ક્રીઝમાંથી બહાર નીકળતો હોય..
ગત સિઝનમાં અશ્વિને બટલરને આ રીતે આઉટ કર્યો હતો જેના પર મહાન સ્પિનર શેન વોર્ન સહિત દુનિયાભરના ક્રિકેટર્સે કમેન્ટ કરી હતી. કેટલાક ક્રિકેટર્સે અશ્વિનની આ રીતને ખોટી ગણાવી, તો કેટલાકે અનૈતિક ગણાવી. ઈંગ્લેન્ડના કેપ્ટન ઈયાન મોર્ગને માંકડિંગને 'નાના બાળકો માટે ખોટુ ઉદાહરણ' કહ્યું હતું.
ક્રિકેટના નિયમોની માહિતી આપતી મહાન ક્લબ MCCએ શરૂઆતમાં અશ્વિનનું સમર્થન કર્યું, પરંતુ પાછળથી તેમણે નિવેદન બદલતા કહ્યું કે રમતની આત્માને નુક્સાન પહોંચાડવાથી બચવું જોઈએ.
એમસીસીએ કહ્યું હતું,'આ કાયદો જરૂરી છે, તેના વગર નોન સ્ટ્રાઈકર બેટ્સમેનને વધુ પડતી છૂટ મળે છે, અને તે બોલ નાખતા પહેલા જ ક્રિઝમાંથી ઘણા આગળ નીકળી જાય છે, એટલે આ નિયમ જરૂરી છે.' પરંતુ બાદમાં તેમણે અશ્વિનના માકડિંગને સ્પિરિટ ઓફ ધી ગેમ વિરુદ્ધનું ગણાવી દીધુ. સાથે જ એવું પણ કહ્યું કે બટલરનું ક્રીઝમાંથી બહાર નીકળવું ખોટુ હતું.
-
ગુજરાતમાં ફરી આફતનુ માવઠું, 28 થી 30 માર્ચ દરમિયાન કમોસમી વરસાદની આગાહી -
ગુજરાતમાં ગરમીનો પારો વધ્યો, સૌથી વધુ ગરમી વડોદરા અને અમરેલીમાં નોંધાઈ, જાણો હવામાન વિભાગની આગાહી -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
સોના-ચાંદીના ભાવમાં ફરી મોટો ઘટાડો, જાણો આજના લેટેસ્ટ રેટ -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
સોના-ચાંદીના ભાવમાં મોટો કડાકો, જાણો આજના તાજા ભાવ -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માંટે AAP એ 460 ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના







Click it and Unblock the Notifications
