IPL 2023 MI vs RR: રાજસ્થાને ટોસ જીતી બેટિંગ કરવાનો લીધો નિર્ણય
રાજસ્થાન રોયલ્સ (RR) તેની અગાઉની મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) ને હરાવ્યા બાદ આજે વાનખેડે સ્ટેડિયમ ખાતે મુંબઈ ઈન્ડિયન્સ (MI) સામે ટકરાવા જઇ રહી છે. રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસને ટોસ જીતીને બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

CSK સામે RRની જીતે ટીમને પોઈન્ટ ટેબલમાં બીજા સ્થાને પહોંચાડી દીધી છે. આ શાનદાર જીત રોયલ્સનો આત્મવિશ્વાસ વધારશે અને હવે તેઓ આગામી મેચમાં અંડરકોન્ફિડન્ટ MIને હરાવવાનો પ્રયાસ કરશે. સંજુ સેમસનની આગેવાની હેઠળની ટીમે અત્યાર સુધી આઠમાંથી પાંચ મેચ જીતી છે. મુંબઈ સામેની જીત રોયલ્સને પ્લેઓફની નજીક લઈ જશે.
આ વર્ષે રોહિત શર્મા એન્ડ કંપની પહેલેથી જ જીત માટે સંઘર્ષ કરી રહી હોવાથી, RR પણ MI ની નબળી સ્થિતિનો લાભ લેવા અને લીગમાં પોતાની જાતને મજબૂત કરવા માટે જોશે. રાજસ્થાને છેલ્લી મેચમાં ચેન્નાઈ સામે શાનદાર જીત નોંધાવી હતી. મુંબઈની ડેથ ઓવરોની બોલિંગ ચિંતાનો વિષય છે.
મુંબઈ માટે કેપ્ટન રોહિત શર્મા, ઈશાન અને સૂર્યકુમારનું સતત ફોર્મમાં રહેવું ખૂબ જ જરૂરી છે. આ ખેલાડીઓએ તેમના પ્રદર્શનમાં સતત સુધારો કરવો પડશે.












Click it and Unblock the Notifications
