IPL 2023 Qualifier 2 GT vs MI: વરસાદના કારણે ટોસમાં થયો વિલંબ, મેચ પર સંકટના વાદળ
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારે વરસાદ પડી રહ્યો છે. વરસાદને કારણે ટોસમાં વિલંબ થશે. જો આ મેચ વરસાદમાં ધોવાઇ જાય તો ગુજરાત ટાઇટન્સ માટે ફાયદાકારક સાબિત થશે. IPL 2023માં, રોહિત શર્માની કપ્તાનીવાળી મુંબઈ ઈન્ડિયન્સની ટીમે છેલ્લી કેટલીક મેચોમાં સતત સારું પ્રદર્શન કર્યું છે.

મુંબઇ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની આ મેચમાં વિજેતા ટીમ ફાઇનલમાં પ્રવેશ કરશે. ગુજરાતની ટીમે ગયા વર્ષે IPL ટ્રોફી પર કબજો કર્યો હતો. જ્યારે મુંબઈએ આઈપીએલના ઈતિહાસમાં અત્યાર સુધી પાંચ વખત આ ખિતાબ જીત્યો છે. બંને ટીમો ફરી એકવાર ફાઇનલમાં પ્રવેશ મેળવવાનો પ્રયાસ કરશે.
રોહિત શર્માની ટીમનો ગુજરાત ટાઇટન્સ સામે સારો રેકોર્ડ છે. આ બંને ટીમો વચ્ચે અત્યાર સુધીમાં ત્રણ મેચ રમાઈ છે. આ દરમિયાન મુંબઈએ 2 અને ગુજરાતે એક મેચ જીતી છે. ગુજરાત તરફથી શુભમન ગિલ ફોર્મમાં છે. જ્યારે મુંબઈ તરફથી મોટાભાગના બેટ્સમેનોના બેટમાંથી રન આવી રહ્યા છે. સૂર્યકુમાર યાદવ અને કેમરન ગ્રીન ટીમ માટે મધ્ય ઓવરોમાં ઝડપી રન બનાવવામાં સફળ રહ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સ માટે ગુજરાત સામે જીત નોંધાવવી એટલી સરળ નહીં હોય. ગુજરાત માટે આ સિઝન શાનદાર રહી છે. હાર્દિક પંડ્યાની ગુજરાત એવી ટીમ છે જેણે લીગ તબક્કામાં સૌથી વધુ મેચ જીતી છે. ગુજરાતે લીગ તબક્કામાં રમાયેલી 14માંથી 10 મેચ જીતી હતી અને ટીમ 20 પોઈન્ટ સાથે ટોચ પર રહી હતી.
-
રાજકોટ AIIMS માં સર્જરીના આંકડામાં ધરખમ ઉછાળો: વર્ષ 2025માં 1,900 થી વધુ ઓપરેશન સફળતાપૂર્વક સંપન્ન -
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો










Click it and Unblock the Notifications
