IPL 2024 : ધોનીના નામે મહા રેકોર્ડ, આઈપીએલમાં આવુ કરનારો પહેલો વિકેટકિપર બન્યો
મહેન્દ્ર સિંહ ધોની આઈપીએલમાં યુવા ખેલાડીઓને ફિક્કા પાડી રહ્યો છે. તેના બેટથી શાનદાર સિક્સરનો વરસાદ થઈ રહ્યો છે. હવે ધોનીના નામે નવુ કારનામું નોંધાયુ છે.
ચેન્નાઈ સુપર કિંગ્સના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ પંજાબ કિંગ્સ સામેના મુકાબલામાં અનોખી સિદ્ધી પોતાના નામે કરી છે. આવું કરનારો તે પ્રથમ વિકેટકીપર બન્યો છે.

ધોનીએ પંજાબ વિરૂદ્ધ જીતેશ શર્માનો વિકેટ પાછળ કેચ લઈને ઈતિહાસમાં પોતાનું નામ નોંધાવ્યું. હતું. ધોની IPLમાં 150 કેચ ઝડપનાર પ્રથમ વિકેટકીપર બની ગયો છે.
સિમરનજીત સિંહ પંજાબ કિંગ્સ સામે 11મી ઓવર ફેંકવા આવ્યો હતો. સિમરનજીતના ચોથા બોલ પર જિતેશ શર્માએ વિકેટ પાછળ મહેન્દ્ર સિંહ ધોનીને તેનો કેચ આપી દીધો. IPLમાં વિકેટકીપર તરીકે ધોનીનો આ 150મો કેચ હતો.
ધોનીએ 261મી મેચમાં આ આંકડાને સ્પર્શ કર્યો હતો. IPLમાં વિકેટકીપર તરીકે સૌથી વધુ કેચ લેવાના મામલે ધોની પ્રથમ સ્થાને છે, જ્યારે દિનેશ કાર્તિક 144 કેચ સાથે બીજા સ્થાને છે અને એબી ડી વિલિયર્સ 119 કેચ સાથે ત્રીજા સ્થાને છે.
ધોનીએ IPLમાં 192 વિકેટ લીધી છે અને જેમાં 42 સ્ટમ્પિંગનો સમાવેશ થાય છે. દિલ્હી કેપિટલ્સના કેપ્ટન અને વિકેટકીપર રિષભ પંતે IPLમાં 75 કેચ પકડ્યા છે. ધોનીએ પંજાબ સામેની મેચમાં પણ 9મા નંબરે અનોખો રેકોર્ડ બનાવ્યો.
આઈપીએલના ઈતિહાસમાં આવું પહેલીવાર બન્યું જ્યારે ધોની 8 નીચે ઉતર્યો. જોકે તે સફળ થઈ શક્યો નહીં અને હર્ષલ પટેલે તેને શૂન્યના અંગત સ્કોર પર ક્લીન બોલ્ડ કર્યો.
જણાવી દઈએ કે, ખેલાડી તરીકે એમએસ ધોનીની આ છેલ્લી આઈપીએલ હોઈ શકે છે. ધોનીએ IPLની 17મી સિઝનની શરૂઆત પહેલા કેપ્ટનશિપ પરથી રાજીનામું આપી દીધું હતું. તેણે ઋતુરાજ ગાયકવાડને કેપ્ટનશિપ સોંપી છે. ધોનીનું સુકાની પદ પરથી રાજીનામું તેની નિવૃત્તિનો સંકેત આપે છે.
-
મુંબઇ ઇન્ડિયન્સે બુમરાહની ભૂમિકા પર પુનર્વિચાર કરવો જોઈએઃ ફાફ -
ઈરાન યુદ્ધ વૈશ્વિક ઉર્જા સંકટને વેગ આપે છે, સ્વચ્છ ટેકનોલોજીમાં ચીનની સ્થિતિ મજબૂત બનાવે છે -
Crude oil Price Hike: હોર્મુઝ પર ટ્રમ્પની ઘેરાબંધી થી ક્રૂડ ઓઈલની કિંમતમાં તેજ ઉછાળો, ભારતમાં ભાવ શું છે? -
સુપરનેચરલ થ્રિલર સીરીઝ ‘FROM’ Season 4 ની વાપસી; જાણો આ સીઝનમાં શું-શું હશે? -
RCB vs MI: મુંબઈ ઈન્ડિયન્સની હારની હેટ્રિક -
સીમાંકન નહીં, મહિલા અનામત એ સાચો મુદ્દો છે: સોનિયા ગાંધી -
ક્યુબાના રાષ્ટ્રપતિ મિગુએલ ડિયાઝ-કેનેલે લશ્કરી કાર્યવાહી અને તેમને પદભ્રષ્ટ કરવાના પ્રયાસો સામે યુએસને ચેતવણી આપી -
ગુજરાત કોંગ્રેસે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા પોલીસ પર ઉમેદવારોને ડરાવવાનો આરોપ લગાવ્યો -
"ગુજરાતીઓને મૂર્ખ સમજનારાઓને જનતા જડબાતોડ જવાબ આપશે": વડોદરાથી હર્ષ સંઘવીનો વિપક્ષ પર પ્રહાર -
લખતર-વિરમગામ રોડ પર ટ્રકે પદયાત્રીઓને કચડ્યા, 7 ના કરુણ મોત -
આંબેડકર જયંતિની ઉજવણી દરમિયાન કાસગંજ, આગ્રા અને લખીમપુર ખેરીમાં તણાવ ફાટી નીકળ્યો -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ









Click it and Unblock the Notifications
