Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

IPL 2025 Mega Auction : આઈપીએલમાં બદલાઈ શકે છે આ ટીમોના કેપ્ટન, જાણો કોણ કોણ રિટેન થઈ શકે છે?

IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓને લઈને અફવાઓનું બજાર ગરમ છે.

અહેવાલો અનુસાર, કેટલીક ટીમો તેના વર્તમાન કેપ્ટનને પડતા મુકી શકે છે. આ સાથે ઘણી ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે.

રોહિત શર્મા અને સંજુ સેમસન સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને તેની ટીમ પડતા મુકી શકે છે. અહેવાલો અનુસાર, એક ફ્રેન્ચાઇઝી મેગા ઓક્શનમાં વધુમાં વધુ 4 ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. આ સ્થિતિમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઓક્શનમાં ઉતરી શકે છે.

રોહિત શર્મા

ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. અહેવાલો પણ હતા કે રોહિત IPL 2024 દરમિયાન MI મેનેજમેન્ટથી ખુશ નહોતો. એવી પણ અટકળો હતી કે રોહિત મુંબઈ છોડીને આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે.

IPL 2025 Mega Auction

આ સિવાય તેનું નામ પંજાબ કિંગ્સ સાથે પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે રોહિત મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહી શકે છે. પરંતુ હજુ સુધી આ વિષય પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.

સંજુ સેમસન

રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ વિષય સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો હતો. હવે એક તરફ રાહુલ દ્રવિડ આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે બીજી તરફ એવા પણ અહેવાલ છે કે સેમસન રાજસ્થાનમાં જ રહેશે.

શિવમ દુબે

CSK માં આવ્યા પછી શિવમ દુબેના આઈપીએલ કરિયરને વેગ મળ્યો છે અને પકડ્યો છે અને ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક બની ગયો છે. જો કે અફવા એવી પણ છે કે રાજસ્થાને શિવમ દુબેને ટ્રેડ કરવા CSK મેનેજમેન્ટ પાસે માંગણી કરી છે.

આ અહેવાલો સમયે સંજુ સેમસન ચર્ચામાં આવ્યા હતા કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે CSKએ દુબેના બદલામાં સંજુ સેમસનની માંગણી કરી હતી. બંને પક્ષોએ હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ આપી નથી.

ઋષભ પંત

ઋષભ પંત 2021 થી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. જો કે પરંતુ ટીમના મેન્ટર રિકી પોન્ટિંગની વિદાય પછી અટકળો શરૂ થઈ કે પંત પણ ડીસી છોડી શકે છે. IPL 2024 સિઝનના અંતના થોડા સમય પછી અહેવાલો આવ્યા હતા કે પંત એમએસ ધોનીની નિવૃત્તિની સંભાવનાને લઈને CSK સાથે જોડાઈ શકે છે. ધોનીના નિવૃત્તિ બાદ ટીમને ભારતીય વિકેટકીપરની જરૂર છે.

જણાવી દઈએ કે, મેગા ઓક્શન પહેલા 10 IPL ફ્રેન્ચાઇઝીમાંથી કોઈ પણ ચોક્કસ ખેલાડીનો સીધો સંપર્ક કરી શકશે નહીં. જો કોઈ ટીમ કોઈ ખેલાડીને ટ્રેડિંગ કે ખરીદવામાં રસ દાખવે છે તો તેણે અન્ય ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડશે.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X