IPL 2025 Mega Auction : આઈપીએલમાં બદલાઈ શકે છે આ ટીમોના કેપ્ટન, જાણો કોણ કોણ રિટેન થઈ શકે છે?
IPL 2025 Mega Auction : આઈપીએલ 2025 પહેલા મેગા ઓક્શન થવા જઈ રહ્યું છે. આ મેગા ઓક્શન પહેલા ઘણા ખેલાડીઓને લઈને અફવાઓનું બજાર ગરમ છે.
અહેવાલો અનુસાર, કેટલીક ટીમો તેના વર્તમાન કેપ્ટનને પડતા મુકી શકે છે. આ સાથે ઘણી ટીમોના કેપ્ટન બદલાઈ શકે છે.
રોહિત શર્મા અને સંજુ સેમસન સહિત ઘણા સ્ટાર ખેલાડીઓને તેની ટીમ પડતા મુકી શકે છે. અહેવાલો અનુસાર, એક ફ્રેન્ચાઇઝી મેગા ઓક્શનમાં વધુમાં વધુ 4 ખેલાડીઓને જ રિટેન કરી શકે છે. આ સ્થિતિમાં ઘણા દિગ્ગજ ખેલાડીઓ ઓક્શનમાં ઉતરી શકે છે.
રોહિત શર્મા
ગઈ સિઝનમાં મુંબઈ ઈન્ડિયન્સે રોહિત શર્માને કેપ્ટનશિપ પરથી હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન બનાવ્યો હતો. અહેવાલો પણ હતા કે રોહિત IPL 2024 દરમિયાન MI મેનેજમેન્ટથી ખુશ નહોતો. એવી પણ અટકળો હતી કે રોહિત મુંબઈ છોડીને આગામી સિઝનમાં લખનૌ સુપર જાયન્ટ્સનો કેપ્ટન બની શકે છે.

આ સિવાય તેનું નામ પંજાબ કિંગ્સ સાથે પણ જોડવામાં આવ્યું હતું. પરંતુ હવે રોહિત મુંબઈ ઈન્ડિયન્સ સાથે રહી શકે છે. પરંતુ હજુ સુધી આ વિષય પર કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.
સંજુ સેમસન
રાજસ્થાન રોયલ્સના કેપ્ટન સંજુ સેમસન ચેન્નાઈ સુપર કિંગ્સમાં જઈ શકે છે. આ વિષય સોશિયલ મીડિયા પર ઘણો ટ્રેન્ડ કરી રહ્યો હતો. હવે એક તરફ રાહુલ દ્રવિડ આગામી સિઝનમાં રાજસ્થાન રોયલ્સનો મુખ્ય કોચ બનવા જઈ રહ્યો છે બીજી તરફ એવા પણ અહેવાલ છે કે સેમસન રાજસ્થાનમાં જ રહેશે.
શિવમ દુબે
CSK માં આવ્યા પછી શિવમ દુબેના આઈપીએલ કરિયરને વેગ મળ્યો છે અને પકડ્યો છે અને ટોચના ઓલરાઉન્ડર ખેલાડીઓમાંથી એક બની ગયો છે. જો કે અફવા એવી પણ છે કે રાજસ્થાને શિવમ દુબેને ટ્રેડ કરવા CSK મેનેજમેન્ટ પાસે માંગણી કરી છે.
આ અહેવાલો સમયે સંજુ સેમસન ચર્ચામાં આવ્યા હતા કારણ કે એવું કહેવામાં આવ્યું હતું કે CSKએ દુબેના બદલામાં સંજુ સેમસનની માંગણી કરી હતી. બંને પક્ષોએ હજુ સુધી આ બાબતે કોઈ પુષ્ટિ આપી નથી.
ઋષભ પંત
ઋષભ પંત 2021 થી દિલ્હી કેપિટલ્સના કેપ્ટન છે. જો કે પરંતુ ટીમના મેન્ટર રિકી પોન્ટિંગની વિદાય પછી અટકળો શરૂ થઈ કે પંત પણ ડીસી છોડી શકે છે. IPL 2024 સિઝનના અંતના થોડા સમય પછી અહેવાલો આવ્યા હતા કે પંત એમએસ ધોનીની નિવૃત્તિની સંભાવનાને લઈને CSK સાથે જોડાઈ શકે છે. ધોનીના નિવૃત્તિ બાદ ટીમને ભારતીય વિકેટકીપરની જરૂર છે.
જણાવી દઈએ કે, મેગા ઓક્શન પહેલા 10 IPL ફ્રેન્ચાઇઝીમાંથી કોઈ પણ ચોક્કસ ખેલાડીનો સીધો સંપર્ક કરી શકશે નહીં. જો કોઈ ટીમ કોઈ ખેલાડીને ટ્રેડિંગ કે ખરીદવામાં રસ દાખવે છે તો તેણે અન્ય ફ્રેન્ચાઈઝીના મેનેજમેન્ટનો સંપર્ક કરવો પડશે.
-
સુરત ઈકોનોમિક રિજિયન SERને રોડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર માટે 1185 કરોડ ફળવાયા -
ઓમ બિરલા સામે અવિશ્વાસ પ્રસ્તાવ, જાણો સ્પીકરને હટાવવાના નિયમો અને પ્રક્રિયા -
IND vs NZ Final: ભારતે ન્યુઝીલેન્ડને જીતવા માટે આપ્યો 256 રનનો ટાર્ગેટ -
ગુજરાતમાં હાલ પીવાના પાણીનો પુરતો જથ્થો:ગુજરાત સરકાર -
ગુજરાત સરકારનો મોટો નિર્ણય, 6 મહાનગરપાલિકાઓમાં વહીવટદારોની નિમણૂક -
Petrol Diesel Price: 8 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
T20 World Cup : ભારતના ખાતામાં વધુ એક વર્લ્ડ કપ, ન્યુઝીલેન્ડને હરાવીને ચેમ્પિયન -
Weather News: ઉત્તર ભારતના આ રાજ્યોમાં વધશે તાપમાન, હિમાચલમાં વરસાદ, જાણો હવામાન વિભાગની આગાહી -
Gold Rate Today: એક જ અઠવાડિયામાં સોનું ₹5060 સસ્તું થયું, જાણો લેટેસ્ટ કિંમત -
કેશોદ એરપોર્ટ પર પાઇલટ ટ્રેનિંગ સેન્ટર શરૂ થશે, જાણો શું કહ્યું સરકારે? -
પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની અવગણના પર વિવાદ, કેન્દ્રએ રાજ્ય સરકાર પાસે માંગ્યો રિપોર્ટ -
IND vs NZ Final: ન્યુઝીલેન્ડે જીત્યો ટોસ, ભારત પહેલા કરશે બેટિંગ, જાણો પ્લેઈંગ 11









Click it and Unblock the Notifications
