કોહલીએ હાર માની નથી, BCCIએ ટી20ની કેપ્ટનશીપ છીનવી, વન ડેની કમાન છીનવાઇ શકે છે
ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારના રોજ (16 સપ્ટેમ્બર) ભારતની ટી 20 કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો.
નવી દિલ્હી : ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલીએ ગુરુવારના રોજ (16 સપ્ટેમ્બર) ભારતની ટી 20 કેપ્ટનશીપમાંથી રાજીનામું આપવાનો નિર્ણય જાહેર કર્યો હતો, જે અંતર્ગત આગામી ICC ટી 20 વર્લ્ડકપ ટુર્નામેન્ટ બાદ તે ટી 20 ફોર્મેટની કેપ્ટનશિપ છોડશે.
વિરાટ કોહલીનો આ નિર્ણય તેમનો છે, બેટિંગની ગુમાવેલી ધાર પરત મેળવવાનો માર્ગ તરીકે જોવામાં આવી રહી છે, પરંતુ આ ફેરફારોને વન ડે ફોર્મેટમાં નવા સેટઅપ સાથે જોડી શકાય છે. જ્યાં વિરાટ કોહલીએ પોતાના નિવેદનમાં સ્પષ્ટ કર્યું છે કે, તે ભારત માટે વન ડે અને ટેસ્ટ ફોર્મેટમાં ટીમનું નેતૃત્વ કરવાનું ચાલુ રાખશે, પરંતુ ભારતમાં યોજાનાર 2023 વન ડે વર્લ્ડ કપ આ સ્થિતિમાં ચાલુ રહેશે કે કેમ તે કહેવું મુશ્કેલ છે.

જ્યારે કોહલીના મોટા નિર્ણય પાછળ વર્કલોડ મેનેજમેન્ટ ખૂબ જ મહત્વનું કારણ ગણી શકાય, પરંતુ BCCIના એક સૂત્રએ દાવો કર્યો છે કે, કોહલીએ કેપ્ટનશીપ છોડી નથી, પરંતુ BCCI દ્વારા તેની પાસેથી છીનવી લેવામાં આવી છે. સૂત્રોએ દાવો કર્યો હતો કે, કોહલી ઈચ્છતો હતો કે, રોહિત શર્માને વાઇસ કેપ્ટનશીપ છીનવી લેવામાં આવે અને કેએલ રાહુલને સોંપવામાં આવે. કારણ કે, તે હવે 34 વર્ષનો છે, જો કે, બોર્ડે તેની માંગને ફગાવી દીધી છે.
કોહલીએ કામના ભારણને ટાંક્યું છે, જ્યારે ભારતીય ટીમે 2020થી માત્ર 8 ટી 20 મેચ રમી છે, જ્યારે ભારતીય ટીમના 2023ના કેલેન્ડરને જોતા ભારતને લગભગ 20 ટી 20 મેચ રમવાની છે, જે હવે વિરાટ કોહલીની કપ્તાનીમાં નથી. ચોક્કસપણે તેનો એક ભાગ બનશે.

કોહલીની વિદાય વર્લ્ડ કપ બાદ નક્કી કરવામાં આવી હતી
BCCIના આંતરિક સ્રોત મુજબ જો 2021 ટી 20 વર્લ્ડકપમાં સારી રીતે રમી શકતો નથી, તો બોર્ડ તેને કોઈપણ રીતે મર્યાદિત ઓવરના ફોર્મેટની કેપ્ટનશીપમાંથી દૂરકરવા જઈ રહ્યો હતો.
BCCIના એક સૂત્રએ કહ્યું, વિરાટ જાણતો હતો કે, જો ટીમ UAEમાં રમાનારા ટી 20 વર્લ્ડ કપમાં સારું પ્રદર્શન નહીં કરે, તો તેને મર્યાદિતબોલ ફોર્મેટની કેપ્ટનશીપમાંથી હટાવવો પડશે." મર્યાદિત ફોર્મેટની કેપ્ટનશિપની વાત કરીએ તો તેમનું પ્રસ્થાન ટીમ માટે સારું છે.
આમ કરીને તેમને પોતાના પર થોડુંદબાણ ઓછું કર્યું છે, જો કોઈ બહારની વ્યક્તિ આ સ્થિતિ જોશે, તો તેને લાગશે કે, તેમને અહીં પોતાની સ્થિતિ પર છે. હજૂ સુધી વન ડે ક્રિકેટમાં આવું બન્યું નથી, પરંતુજો ટી 20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન નબળું હોય તો તેને અહીંથી પણ કાઢી શકાય છે.

કોહલીને વન ડે ફોર્મેટની કેપ્ટનશીપમાંથી હટાવાશે?
BCCIના સૂત્રએ વધુમાં જણાવ્યું કે, જો બોર્ડ આગામી સમયમાં વન ડે ફોર્મેટની કેપ્ટનશીપમાંથી કોહલીને હટાવવાનો નિર્ણય કરે છે, તો કોઈએ આશ્ચર્ય પામવાની જરૂરનથી, કારણ કે ભારતીય ક્રિકેટ જ તેનું નસીબ બદલવામાં વધારે સમય લેતું નથી. જો તે ખેલાડી પોતાનું પ્રદર્શન ચાલુ રાખવામાં સક્ષમ ન હોય.
BCCIના એકસૂત્રના જણાવ્યા અનુસાર, જો કોહલી ટ્રોફી વગરનો ટી 20 વર્લ્ડ કપ રમે તો તેને વન ડે ક્રિકેટમાં પણ બેટ્સમેન તરીકે રમવું પડી શકે છે. BCCIના આ સત્તાવાર સૂત્રઅનુસાર વિરાટ કોહલીને લાંબા સમયથી ડ્રેસિંગ રૂમમાં સંપૂર્ણ સમર્થન મળી રહ્યો નથી અને ટીમના વાઇસ કેપ્ટન રોહિત શર્માને લીડર તરીકે જોવામાં આવે છે. રોહિતશર્માએ વર્ષોથી ઇન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઇન્ડિયન્સની સફળતાપૂર્વક કેપ્ટનશીપ કરી છે અને યુવા ખેલાડીઓને પોતાની સાથે રાખ્યા છે.

વિરાટ કોહલીના નિર્ણયોને સમજવું મુશ્કેલ છે
નોંધનીય છે કે, વિરાટ કોહલીની કામ કરવાની રીત અને પોતે જે રીતે રહે છે, તેની ઘણી વખત ટીકા થઈ છે. એટલું જ નહીં ICC ટુર્નામેન્ટમાં તેની નિર્ણય લેવાનીપદ્ધતિઓ પર પણ પ્રશ્નો ઉઠાવવામાં આવ્યા છે, પછી ભલે તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની અંતિમ મેચમાં બે સ્પિન બોલર્સને રમવાનો નિર્ણય હોય કે પછી 2019 વર્લ્ડપહેલા ચાર નંબરના ખેલાડીની પસંદગી ન કરવી. વિરાટ કોહલીની નિર્ણય લેવામાં અસમર્થતાને કારણે ભારતીય ટીમે ઘણી વખત સહન કર્યું છે.
તાજેતરમાં ઈંગ્લેન્ડસામેની ટેસ્ટ શ્રેણીમાં ભારતીય ટીમે 2-1 ની લીડ મેળવી હતી, પરંતુ આમ હોવા છતાં આર અશ્વિનને બેન્ચ પર મૂકવાનો નિર્ણય તેમના માટે મુશ્કેલ સાબિત થયો હતો.

વિરાટ સાથે વાત કરવી મુશ્કેલ છે
ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી (જે કોહલીની કેપ્ટનશીપમાં રમી ચૂક્યો છે)ના જણાવ્યા અનુસાર ખેલાડીઓ માટે વિરાટ કોહલી સાથે વાતચીત કરવી મુશ્કેલ છેઅને આ જ કારણ છે કે, ડ્રેસિંગ રૂમ જરૂરી ચર્ચા કરતો નથી. વિરાટ સાથે સૌથી મોટી સમસ્યા વાતચીત છે, એમએસ ધોનીના કિસ્સામાં તેનો રૂમ 24x7 ખેલાડીઓ માટેખુલ્લો હતો અને ખેલાડીઓ આવી શકે છે અને PS4 રમી શકે છે, આ સાથે તેની સાથે જમી શકે છે. મેદાન છોડતા સમયે વખતે કોહલી સાથે વાતચીત કરવી લગભગઅશક્ય છે. આવા સમયે રોહિત શર્માની અંદર ધોનીની ઝલક જોવા મળે છે. તે તેના જુનિયર ખેલાડીઓને ડિનર માટે લઈ જાય છે. જ્યારે તેઓ નિરાશા અનુભવે છે,ત્યારે તે મૈત્રીપૂર્ણ પ્રશંસા કરે છે અને તેમની માનસિક સ્થિતિને સમજવાનો પ્રયત્ન કરે છે.

કોહલી ખેલાડીઓને મૂંઝવણમાં મૂકે છે
અન્ય એક ક્રિકેટરે વિરાટ કોહલીની કેપ્ટનશિપ પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું કે, તેની સાથે સૌથી મોટી સમસ્યા એ છે કે, જ્યારે ટીમના જુનિયર ખેલાડીઓ ખરાબતબક્કામાંથી પસાર થઈ રહ્યા હોય, ત્યારે તેઓ તેમને અધવચ્ચે લટકતા છોડી દે છે, તે પછી કુલદીપ યાદવ, ઋષભ પંત, ઉમેશ યાદવ અથવા યુઝવેન્દ્ર ચહલ હોય.
કુલદીપ યાદવની કારકિર્દી ઓસ્ટ્રેલિયામાં 5 વિકેટ લીધા બાદ તળીયે ગઈ હતી, રિષભ પંત સાથે પણ આવું જ કંઈક થયું હતું, જ્યારે તે ખરાબ ફોર્મમાંથી પસાર થયોહતો.
ઉમેશ યાદવ જે ટીમના વરિષ્ઠ બોલર છે, ભારતીય પીચ પર એક મહાન બોલર માનવામાં આવે છે, જ્યાં સુધી કોઈને ઈજા ન થાય ત્યાં સુધી તેને ટીમમાં સ્થાનઆપવામાં આવતું નથી. તે મીડિયા કોન્ફરન્સ દરમિયાન વાતચીતની વાત કરે છે, સત્ય એ છે કે, જ્યારે પણ તેનો કોઈ ખેલાડી મુશ્કેલ સમયમાંથી પસાર થઈ રહ્યો હોયત્યારે કેપ્ટન ભાગ્યે જ તેનો હાથ પકડે છે.

2023 વર્લ્ડ કપ સુધી કેપ્ટન રહેવું મુશ્કેલ
બોર્ડ દ્વારા બહાર પાડવામાં આવેલી અખબારી યાદીમાં એક ખાસ બાબત પર પ્રકાશ પાડતા BCCIના એક વરિષ્ઠ અધિકારીએ કહ્યું કે, આ કહેવું તદ્દન ખોટું હશે કે, તે2023ના વર્લ્ડ કપ સુધી વન ડે ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. જો તમે સૌરવ અને જય શાહના નિવેદનો પર નજર કરો તો બંનેએ તેમને અભિનંદન આપ્યા છે, પરંતુકોઈએ એક શબ્દ પણ કહ્યું નથી કે, તેમને 2023 વનડે વર્લ્ડ કપ સુધી ટીમના કેપ્ટન તરીકે ચાલુ રહેશે. તેથી આવી પરિસ્થિતિમાં તે અતિશયોક્તિપૂર્ણ રીતે કહી શકાય કે,તે કેપ્ટન પદ પર ચાલુ રહેશે.












Click it and Unblock the Notifications
