સચિન-સેહવાગ સહિતના દિગ્ગજો ફરીથી મેદાન પર જોવા મળશે, આવી રહી છે IPL જેવી જ ટુનાર્મેન્ટ
ભારતીય ક્રિકેટના દિગ્ગજ ખેલાડીઓને મેદાન પર રમતા જોવા એક લ્હાવો છે. આજે પણ લિજેન્ડ ક્રિકેટ લીગ જેવા ફોર્મેટ લોકપ્રિય છે. આ જ કારણ છે કે હવે બીસીસીઆઈ આ ખેલાડીઓ માટે એક નવી લીગ લાવવાનો વિચાર કરી રહી છે.
બીસીસીઆઈ એવી લીગ લાવવાનું વિચારવામાં આવ્યું છે જેમાં સચિન તેંડુલકર, વીરેન્દ્ર સેહવાગ, રાહુલ દ્રવિડ જેવા દિગ્ગજ ખેલાડીઓ રમતા જોવા મળે. આ અન્ય કેટલીક લીગમાં રમતા જોવા મળ્યા પણ છે.

બીસીસીઆઈ આઈપીએલ જેવી લીગ શરૂ કરવાનું વિચારી રહી છે જેમાં નિવૃત્ત ક્રિકેટરો ભાગ લે. આ વિચાર ઇંગ્લેન્ડમાં વર્લ્ડ ચેમ્પિયનશિપ ઓફ લિજેન્ડ્સ (WCL) ની સફળતા પછીનો છે, જેમાં મજબૂત ફેન ફોલોઈંગ જોવા મળી છે.
હાલમાં જ ઇસીબીના સહયોગથી ઇંગ્લેન્ડમાં WCLનું આયોજન કરવામાં આવ્યું હતું. યુવરાજ સિંહની કેપ્ટન્સીવાળી ભારત અને યુનિસ ખાનની આગેવાની હેઠળની પાકિસ્તાનની ટીમ વચ્ચે રમાયેલી ફાઈનલ મેચમાં ભારતીય ટીમે ટ્રોફી જીતી લીધી હતી.
આ સફળતા પછી, કેટલાક ભૂતપૂર્વ ખેલાડીઓએ ભારતમાં સમાન લીગનો પ્રસ્તાવ આપવા માટે BCCI સચિવ જય શાહનો સંપર્ક કર્યો છે.
ક્રિકેટરોએ IPL જેવા ફ્રેન્ચાઇઝી આધારિત મોડલનું સૂચન કર્યું હોવાના અહેવાલ છે. આમાં ટીમો હરાજી દરમિયાન ખેલાડીઓ માટે બોલી લગાવશે. બીસીસીઆઈએ આ દરખાસ્તનો સકારાત્મક પ્રતિસાદ આપ્યો છે અને ખાતરી આપી છે કે તેઓ તમામ શક્યતાઓને સારી રીતે તપાસશે.
બીસીસીઆઈના સૂત્રોએ આ ચર્ચાઓની પુષ્ટિ કરી છે, પરંતુ ઉલ્લેખ કર્યો છે કે આ વર્ષે આવી લીગનું આયોજન કરવું પડકારજનક રહેશે કારણ કે વાટાઘાટો હજુ પ્રારંભિક તબક્કામાં છે.
જો અમલ કરવામાં આવે તો આ લીગ અન્ય ખાનગી લીગ પર નોંધપાત્ર અસર કરી શકે છે કારણ કે ક્રિકેટરો BCCI દ્વારા મંજૂર કરાયેલી ટુર્નામેન્ટમાં રમવાનું પસંદ કરે છે. ભારતમાં વિશિષ્ટતા જાળવવા માટે બોર્ડ ખેલાડીઓને અન્ય લીગમાં ભાગ લેવા પર પ્રતિબંધ પણ મૂકી શકે છે.












Click it and Unblock the Notifications
