ક્રિકેટ ઈતિહાસનો સૌથી વિવાદિત મેચ, જ્યારે ખેલાડીઓએ અંપાયર સાથે કરી બગાવત
ક્રિકેટ ઈતિહાસનો સૌથી વિવાદિત મેચ, જ્યારે ખેલાડીઓએ અંપાયર સાથે કરી બગાવત
નવી દિલ્હીઃ ખેલના મેદાન પર રોમાંચ અને વિવાદ બંનેનો ઉંડો સંબંધ છે, ક્રિકેટ ઈતિહાસસમાં કેટલાય અવસરે જોવા મળ્યું છે જ્યારે ખેલાડીઓ વચ્ચે વિવાદ અને લડાઈ જોવા મળે છે. મેદાન પર સ્લેઈજિંગ આનો જ એક ભાગ છે જે સામાન્ય રીતે જોવા મળે છે, જો કે શું તમે ક્રિકેટ ઈતિહાસના સૌતી વિવાદિત મેચ વિશે જાણો છો જે આજ (27 એપ્રિલ)ના જ દિવસે શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયો હતો. આ મેચમાં વિવાદ ખેલાડીઓ વચ્ચે નહિ બલકે અંપાયરો વચ્ચે થયો હતો.
હાલાત એ હદ સુધી ખરાબ થયા કે અંપાયરના ફેસલાથી નારાજ કેપ્ટને પોતાની આખી ટીમ સાથે મેદાન છોડી દીધું અને મેચ રદ્દ કરવાની નોબત આવી ગઈ હતી. તો આવો આજે અમે તમને ક્રિકેટના ઈતિહાસના સૌથી વિવાદિત મેચ વિશે જણાવી છીએ જેણે 1999માં ક્રિકેટ જગતને હલાવીને રાખી દીધું હતું. આ મેચ બાદ ખેલાડીઓને પેનલ્ટી રૂપમાં મેચમાંથી બેનનો સામનો કરવો પડ્યો હતો.

અંપાયરે મુરલીધરનની એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા
આ વાત 1999ની છે જ્યારે ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ટેસ્ટ સીરિઝ રમવા શ્રીલંકા ટીમ ગઈ હતી. આ સીરિઝ બાદ શ્રીલંકાની ટીમને ઈંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સાથે વન ડે મેચની ત્રિકોણીય સીરિઝ રમવાની હતી. આ સીરિઝ અંતર્ગત ઈંગ્લેન્ડ-શ્રીલંકાની ટીમ એક બીજા સાથે એડિલેડના મેદાને ભીડી ગયા હતા. ઈંગ્લેન્ડની ટીમ પહેલા બેટિંગ કરી રહી હતી અને 15 ઓવરની ગેમ બાદ કેપ્ટન અર્જુન રણતુંગાએ પોતાના સ્પિન બોલર મુથૈયા મુરલીધરનને બોલિંગ સોંપી.
મુરલીધરને શાનદાર બોલિંગ કરી પરંતુ જેવી જ 18મી ઓવરની પાંચમી બોલ તેમણે નાખી તો અંપાયર રૉસ ઈમરસેને તેનો નોબોલ ગણાવી. કારણ પૂછવા પર અંપાયરે મુરલીધરનની એક્શનને ગેરકાયદેસર ગણાવી, જેનાથી કેપ્ટન રણતુંગા વિફરી ગયા અને પોતાની આખી ટીમને પીચ પાસે બોલાવી લીધી.

ગુસ્સામાં બાઉન્ડ્રી લાઈન પર ટીમ સાથે પહોંચી ગયા રણતુંગા
શ્રીલંકાઈ કેપ્ટને અંપાયરો સામે પોતાનો પક્ષ રાખ્યો અને સ્પષ્ટ કર્યું કે મુથૈયા મુરલીધરનને આઈસીસી તરફતી ક્લીન ચિટ મળી ચે અને તેની એક્શન એકદમ ઠીક છે. ઉલ્લેખનીય છે કે અંપાયર રૉસ ઈમરસેને આ મેચ પહેલા 5 જાન્યુઆરી 1996ના રોજ પણ મુરલીધરનની એક્શનને ગેરકાયદેસર ગણાવતા નો બોલ આપ્યો હતો. જે બાદ મુરલીધરને વર્ષ 1996 વર્લ્ડ કપ પહેલા હોંગકોંગ યૂનિવર્સિટી ઑફ સાયન્સ એન્ડ ટેક્નોલોજીમાં પોતાની બોલિંગની એક્શનની તપાસ કરાવી, જેમાં તેમને ક્લિન ચીટ મળી હતી. આ ઘટનાથી ઠીક 10 દિવસ પહેલા મેલબર્ન ટેસ્ટ દરમિયાન અમ્પાયર ડૈરેલ હેયરે પણ મુરલીધરનની એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા અને નો બોલ આપી દીધો હતો.
આ ત્રિકોણીય સીરિઝમાં અંપાયર રૉસ ઈમરસેનની પહેલી મેચ હતી અને તેમણે પહેલી જ ઓવરમાં 3 બોલને નો બોલ ગણાવી હતી અને જેવી જ તેમણે એકવાર ફરી મુરલીધરનની એક્શન પર સવાલ ઉઠાવ્યા તો અર્જુન રણતુંગા ભડકી ગયા અને પોતાની આખી ટીમ સાથે મેદાનની બાઉન્ડ્રી લાઈન પર ઉભા થઈ ગયા.

રણતુંગાએ અંપાયર સામે બગાવત કરી દીધી
અંપાયરના ફેસલા વિરુદ્ધ શ્રીલંકાઈ કેપ્ટન અર્જુન રણતુંગાએ મેદાન પર જ બગાવત કરવાનો ફેસલો લીધો અને મેચ છોડવા તૈયાર થઈ ગયા હતા. રણતુંગાનું માનવું હતું કે મુરલીધરનને આઈસીસી તરફથી ક્લીન ચિટ મળી હતી તો એવામાં તેઓ પોતાના યુવા બોલરનું સમર્થન કેમ ના કરે, પછી તેમણે પોતાની આખી મેચ જ કેમ છોડવી ના પડે.
રણતુંગા મેચને અધવચ્ચે જ છોડી મેદાનની બહાર જવા તૈયાર હતા પરંતુ અંતમાં શ્રીલંકાઈ ક્રિકેટ બોર્ડના અધિકારી તેમની સાથે વાત કરવા આવ્યા અને પોતાના બોર્ડના અધ્યક્ષ સાથે વાત કર્યા બાદ જ તેમની ટીમ રમવા રાજી થઈ અને મેદાન પર પરત ફરી. એડિલેડના મેદાન પર રમવામાં આવેલ આ મેચમાં શઅરીલંકાની ટીમે ઈંગ્લેન્ડને રોમાંચક રીતે 1 વિકેટથી હરાવ્યુ.

શ્રીલંકાએ રોમાંચક રીતે મેચ જીતી
એડિલેડમાં રમાયેલ આ મેચમાં શ્રીલંકા માટે સનથ જયસૂર્યાએ માત્ર 36 બોલમાં 51 રનનો સ્કોર ફટકાર્યો હતો અને મહેલા જયવર્ધને 111 બોલમાં 120 રનની ઈનિંગ રમી. અંતમાં મુરલીધરને વિક્રમસિંઘે સાથે શ્રીલંકા ટીમને જીત અપાવી. જો કે મેચ બાદ કેપ્ટન અર્જુન રણતુંગાને અંપાયર સાથે પોતાના વર્તાવ માટે એક મેચમાંથી બેન કરી દેવામાં આવ્યો હતો, સાથે જ મુરલીધરનની એક્શનની તપાસ કરાવવાની વાત કહેવામાં આવી.
પર્થમાં મુરલીધરનની એક્શનની તપાસ થઈ અને ફરી એકવાર તેમને ક્લીન ચિટ મળી. એટલું જ નહિ આઈસીસીએ તેમને એક્શનમાં સુધારો કરવાની વાત પણ નહોતી કરી. આ રિઝલ્ટ બાદ સ્પષ્ટ થઈ ગયું કે રણતુંગાએ મેચ દરમિયાન મુરલીધરનનો સાથ આપી કંઈ ખોટું નહોતું કર્યું.

મુરલીધરનની એક્શન પર આગળ પણ સવાલ ઉઠતા રહ્યા
જણાવી દઈએ કે આ વિવાદિત મેચ છતાં મુરલીધરનની એક્શન પર સવાલ ઉઠતા બંધ ના થયા. કરિયરમાં 800 ટેસ્ટ વિકેટ અને 534 વનડે વિકેટ લેનાર આ દિગ્ગજ ખેલાડીની એક્શન પર મેચ રેફરી ક્રિસ બૉડે 16 માર્ચ 2004ના રોજ સવાલ ઉઠાવ્યા હતા. આ મેચમાં મુરલીધરને પોતાની બીજી બોલથી કહેર વરસાતવતા 500 ટેસ્ટ વિકેટ પૂરી કરી હતી.
2006માં પણ મુરલીધરનને વેસ્ટર્ન ઓસ્ટ્રેલિયામાં બાયોમેકેનિકલ ટેસ્ટિંગ કરાવવી પડી જ્યાં એકવાર ફરી તેમને ક્લીન ચિટ મળી ગઈ.
-
IPL 2026: ઈશાન કિશને રચ્યો ઈતિહાસ, બનાવ્યો ગજબનો રેકોર્ડ, રૈનાએ આપ્યું વિસ્ફોટક નિવેદન -
Weather News: યુપી-એમપી સહિત 10 રાજ્યોમાં વરસાદનું એલર્ટ, જાણો IMDનું લેટેસ્ટ અપડેટ -
ગુજરાતમાં ફરી માવઠાની આફત: 29 અને 30 માર્ચે કમોસમી વરસાદની આગાહી, માછીમારોને દરિયો ન ખેડવા સૂચના -
RCB vs SRH: IPLમાં આજની મેચ ફ્રીમાં લાઈવ કેવી રીતે જોવી? જાણો અહીં -
Dhurandhar 2 BO Collection Day 8: 'ધુરંધર 2'એ બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી, 8માં દિવસે કરી છપ્પરફાડ કમાણી -
કોરોનાના નવા વેરિયન્ટથી દુનિયામાં હંગામો, જાણો ખાસિયત -
Petrol Diesel Price: 27 માર્ચે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ, જાણો તમારા શહેરની લેટેસ્ટ કિંમત -
IPL 2026: RCBએ હૈદરાબાદને ખરાબ રીતે હરાવ્યું, કોહલીની તોફાની બેટિંગ -
Gold Rate Today: 27 માર્ચના રોજ સોનાનો ભાવ વધ્યો કે ઘટ્યો? જાણો લેટેસ્ટ કિંમત -
અમદાવાદની સીએન વિદ્યાલયમાં વિદ્યાર્થિની સાથે છેડતી, અધ્યાપક વિરૂદ્ધ ફરિયાદ દાખલ -
આજથી 3 દિવસ ગુજરાતમાં માવઠાની આગાહી, આ જિલ્લાઓને વધુ અસર થશે -
RCB vs SRH: IPL 2026ની પહેલી મેચ માટે પ્લેઈંગ-11 ફાઈનલ! કોણ હશે પ્રથમ ઈમ્પેક્ટ પ્લેયર, કોણ મારશે બાજી?









Click it and Unblock the Notifications
