Cricket: મુરલી વિજયે ક્રિકેટમાંથી સન્યાસની કરી જાહેરાત
મુરલી વિજયે હાલમાં જ એક ઈન્ટરવ્યુ આપ્યો હતો, એવું લાગી રહ્યું હતું કે તે ટૂંક સમયમાં નિવૃત્તિની જાહેરાત કરી શકે છે અને હવે એવું થયું છે.
ભારતીય ટેસ્ટ ટીમમાં સર્વશ્રેષ્ઠ ઓપનર રહેલા મુરલી વિજય લાંબા સમય સુધી ટીમ ઈન્ડિયા સાથે જોડાઈ શક્યો નહોતો. એવું લાગતું હતું કે તે હવે રમી શકશે નહીં. તેને પણ કદાચ આ વિશે ખબર પડી ગઈ હતી, હવે મુરલી વિજયે તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકીને નિવૃત્તિની જાહેરાત કરી છે. મુરલી વિજયે પોતાના આંતરરાષ્ટ્રીય ક્રિકેટને અલવિદા કહી દીધું છે. સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને વિજયે પોતાની નિવૃત્તિની જાણકારી આપી છે.

બીજી જગ્યાએ કિસ્મત આજમાવશે મુરલી વિજય
વિજય ભલે નિવૃત્ત થઈ ગયો હોય પરંતુ તેણે નવી તકો શોધવાની વાત કરી છે. તેણે કહ્યું કે હું વિશ્વ ક્રિકેટમાં મારી જાતને પડકાર આપવાનો પ્રયાસ કરતો રહીશ. તેણે કહ્યું કે હું સમજું છું કે આ મારી ક્રિકેટ સફરનું આગળનું પગલું છે. હું આ નવા પ્રકરણ સાથે આગળ વધવાનો છું. મુરલી વિજયે તેના પરિવાર, પ્રશંસકો, સાથી ખેલાડીઓ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વગેરેનો આભાર માનતા એક લાંબી નોંધ લખી હતી.

આવુ રહ્યું મુરલી વિજયનુ કરીયર
મુરલી વિજય ભારતીય ટીમમાં ખૂબ જ સારી ટેસ્ટ ક્રિકેટ રમ્યો હતો. મુરલી વિજયે ટીમ ઈન્ડિયા માટે સૌથી લાંબા ફોર્મેટમાં કુલ 61 ટેસ્ટ મેચમાં 3982 રન બનાવ્યા હતા. આ દરમિયાન તેના બેટમાંથી કુલ 12 સદી અને 15 અડધી સદી આવી. આ સિવાય તે ટીમ ઈન્ડિયા માટે ODI ક્રિકેટમાં પણ રમ્યો હતો પરંતુ તે સફળ થઈ શક્યો ન હતો, મુરલી વિજયે ODI ક્રિકેટમાં 17 મેચમાં માત્ર 339 રન બનાવ્યા હતા. આમ તે આ ફોર્મેટમાં સફળ થઈ શક્યો નહીં.

સન્યાસના આપ્યા સંકેત
હાલમાં જ મુરલી વિજયે એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે ભારતમાં ઉંમર એક અભિશાપ સમાન છે. થોડા મોટા થયા પછી તમને તકો મળતી નથી. તેણે બીસીસીઆઈની નીતિ પર પણ સવાલ ઉઠાવ્યા હતા. આ સિવાય તેણે એમ પણ કહ્યું કે મને સેહવાગની જેમ સપોર્ટ કરવામાં આવ્યો નથી. નોંધપાત્ર વાત એ છે કે મુરલી વિજય ભારત માટે છેલ્લે વર્ષ 2018માં રમ્યો હતો, ત્યારબાદ તે ટીમની બહાર રહ્યો હતો.
@BCCI @TNCACricket @IPL @ChennaiIPL pic.twitter.com/ri8CCPzzWK
— Murali Vijay (@mvj888) January 30, 2023
-
Women Reservation Amendment Bill: નારી શક્તિ વંદન અધિનિયમ લોકસભામાં બોલશે પીએમ મોદી, 33% અનામત પર થશે ચર્ચા -
ભારતને મળ્યા તેના પ્રથમ 'વર્કપ્લેસ હેપ્પીનેસ એવોર્ડ્સ', ઉદ્યોગના દિગ્ગજો દ્વારા નેતૃત્વ -
લેન્સેટના અભ્યાસમાં ચોંકાવનારો ખુલાસો, 2023માં 1.3 અબજ લોકો લિવરની બીમારીના શિકાર બન્યા -
ટ્રમ્પે પશ્ચિમ એશિયાના સંકટ અંગે પીએમ મોદીને અપડેટ કર્યા અને દ્વિપક્ષીય સંબંધોને મજબૂત બનાવ્યા -
Samay Raina Caste: સ્ટેન્ડ-અપ કૉમેડિયન સમય રૈનાના જાતિ-ધર્મ શું છે? ખુદને 'મૃતદેહ' જેવો કેમ કહ્યો? -
Putin India Visit: એક વર્ષમાં બીજીવાર ભારત આવી રહ્યા છે પુતિન, પશ્ચિમી દેશોની ઉંઘ ઉડી -
દૂન લિટ ફેસ્ટ દેહરાદૂનમાં સાહિત્ય, સિનેમા, ઇતિહાસ, નેતૃત્વ અને ટેક્નોલોજીને એકસાથે લાવે છે -
લોકસભા સીટ 850 કરવાનો પ્લાનઃ પરિસીમન શું છે? North Vs South વિવાદ વકર્યો, વિપક્ષ કેમ વિરોધ કરે છે- Explain -
Weather Update: દેશના 11 રાજ્યોમાં ભારે વરસાદ અને વાવાઝોડાની આગાહી -
ગુજરાત હાઈકોર્ટે AI ના દુરુપયોગ અને ડીપફેક નિયમન અંગે મેટા, ગૂગલ અને એક્સને નોટિસ ફટકારી -
Weather Update: આસામ-બંગાળ સહિત 13 રાજ્યોમાં આંધી-તોફાનની આગાહી -
અમેરિકા-ઈરાન તણાવ વચ્ચે પશ્ચિમ એશિયા સંકટ પર ઇઝરાયલી સમકક્ષ સાથે વિદેશ મંત્રી જયશંકરની વાતચીત



Click it and Unblock the Notifications
