Nitish Reddyએ ઓસ્ટ્રેલિયાની ટેસ્ટ મેચમાં રચ્યો ઈતિહાસ, રોહિત અને વિરાટ જે ન કરી શક્યા તે કરીને બતાવ્યું
નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની ચોથી ટેસ્ટ મેચમાં ઈતિહાસ રચ્યો છે. તેણે આ સિરીઝમાં સૌથી વધુ સિક્સર મારનાર બેટ્સમેન બનવાની સિદ્ધિ મેળવી હતી. આ સાથે નીતીશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયામાં ટેસ્ટ શ્રેણીમાં મુલાકાતી બેટ્સમેન દ્વારા સૌથી વધુ સિક્સર ફટકારવાનો રેકોર્ડ પણ બનાવ્યો છે. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા બેટ્સમેન પણ આ સિદ્ધિ મેળવી શક્યા નથી.
નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની આ શ્રેણીમાં અત્યાર સુધી 8 સિક્સર ફટકારી છે, જે ભારતીય ક્રિકેટના ઈતિહાસમાં એક મોટી ઉપલબ્ધિ છે. આ રેકોર્ડ અગાઉ ક્યારેય કોઈ ભારતીય બેટ્સમેને ઓસ્ટ્રેલિયા સામે ઘરની ધરતી પર ટેસ્ટ શ્રેણીમાં બનાવ્યો ન હતો. નીતિશનું આ પરાક્રમ ભારતીય ક્રિકેટ માટે શુભ સંકેત છે. નીતિશ કુમાર રેડ્ડીએ પોતાની બેટિંગથી ઊંડી છાપ છોડી છે.

ભારતીય ક્રિકેટર માટે આ એક મોટી સિદ્ધી
આ સિવાય નીતિશે ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન માઈકલ વોન અને વેસ્ટ ઈન્ડિઝના વિસ્ફોટક ઓપનર ક્રિસ ગેલના રેકોર્ડની બરાબરી કરી છે. બંને ક્રિકેટરોએ ટેસ્ટ ક્રિકેટમાં એક શ્રેણીમાં 8 છગ્ગા ફટકાર્યા હતા અને નીતિશે તેની બરાબરી કરી લીધી છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને 2002-2003ની એશિઝ શ્રેણી દરમિયાન ઓસ્ટ્રેલિયામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે આ સિરીઝમાં 8 સિક્સર ફટકારી હતી. જ્યારે વેસ્ટ ઈન્ડિઝના ભૂતપૂર્વ બેટ્સમેન ક્રિસ ગેલે 2009-2010માં ઓસ્ટ્રેલિયા પ્રવાસ પર ટેસ્ટ શ્રેણીમાં 8 છગ્ગા ફટકાર્યા હતા. આ પણ એક મોટી સિદ્ધિ હતી.
નીતિશ કુમારે અત્યાર સુધી 200 રન પૂરા કર્યા
નીતિશ કુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા સામેની વર્તમાન ટેસ્ટ શ્રેણીમાં 200 રન પૂરા કર્યા છે. આ શ્રેણીમાં 200 રન બનાવનાર કેએલ રાહુલ અને યશસ્વી જયસ્વાલ પછી તે ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે. નીતિશે આ શ્રેણીમાં અત્યાર સુધીમાં 5 વખત 30+ રન બનાવ્યા છે. આ ચોથી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાનો કોઈ બેટ્સમેન ટેસ્ટ સિરીઝમાં 7 કે તેનાથી નીચેના ક્રમ પર બેટિંગ કરતી વખતે 5 વખત 30+ રન બનાવવામાં સફળ રહ્યો છે.
-
VerSe Innovation : નફાકારકતા અને AI તરફ મજબૂત ડગલુ, ભવિષ્યમાં IPO લાવવાની યોજના -
અમેરિકાના ટેક્સાસમાં વેલેરો રિફાઇનરીમાં વિસ્ફોટ થતા હંગામાનો માહોલ -
ગુજરાતમાં આજથી ચણા-રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ, 2.96 લાખ ખેડૂતોને ફાયદો થશે -
ગુજરાતમાં પેટ્રોલની અછત હોવાની વાત ફેલાતા હંગામો, જાણો સરકારે શું કહ્યું? -
ગુજરાતના માછીમારોને રાહત, ડીઝલના ભાવમાં 22.43 રૂપિયાનો વધારો પાછો ખેંચાયો -
પીએમ નરેન્દ્ર મોદીએ ગેસ સંકટ મુદ્દે મૌન તોડ્યુ, જાણો શું કહ્યું? -
બજાર ખુલતાની સાથે જ શેરબજારમાં ધડાકો, સેન્સેક્સ-નિફ્ટી તુટ્યા -
ભારતને ઈરાનનો મોટો પ્રસ્તાવ, ક્રૂડ ઓઈલ અને ગેસ સપ્લાયની ઓફર -
ગુજરાતમાં બીજા દિવસે પણ પેટ્રોલ-ડીઝલને લઈને હંગામો યથાવત, લાંબી લાઈનો લાગી -
ગુજરાતમાં પેટ્રોલ-ડિઝલનો પુરતો જથ્થો, લોકોને શાંત રહેવા સરકારની અપીલ -
નાના થઈ જશે ગેસ સિલિન્ડર? જાણો શું છે હકિકત? -
ગુજરાતમાં સ્થાનિક ચૂંટણીઓ માટે મતદાર યાદી જાહેર, જાણો કેટલા મતદાર?








Click it and Unblock the Notifications
